શોધખોળ કરો

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો ક્યાં-ક્યાં પડશે વરસાદ ?

સમગ્ર રાજ્યમાં હજુ પણ 48 ટકા વરસાદની ઘટ છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 18, 19 તારીખે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે.  

ગાંધીનગર: રાજ્યમાં લાંબા સમયના વિરામ  બાદ ફરી એકવાર વરસાદને લઈને હવામાન વિભાગ તરફથી સારા સામાચાર સામે આવ્યા છે. સમગ્ર રાજ્યમાં હજુ પણ 48 ટકા વરસાદની ઘટ છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 18, 19 તારીખે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે.   વલસાડ, નવસારી,  તાપી, સુરત, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડશે. જોકે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ રહી છે, તેની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. આ સમય દરમિયાન અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ અમુક જગ્યાએ છુટો-છવાયો વરસાદનું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે, હજુ પણ સમગ્ર રાજ્યને સારા વરસાદ માટે રાહ જોવી પડશે. અત્યાર સુધીમાં રાજ્યમાં 258 મિમિ વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં વરસાદ ઓછો પડ્યો છે, જેના કારણે ખેડૂતો માટે સિંચાઇની સમસ્યા ઉભી થઇ છે. ખેડૂતો પાણી માગી રહ્યાં છે ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટુ નિવેદન આપ્યુ છે. સ્વાતંત્ર્ય દિવસના પ્રસંગે નીતિન પટેલે કહ્યું કે, ખેડૂતોને સિંચાઇનુ પાણી આપી શકાય તેમ નથી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, આ વર્ષે રાજ્યમાં વરસાદ ઓછો પડ્યો છે, ચોમાસાના પાણી પર જ ખેતી નિર્ભર રહેશે, સિંચાઇનુ પાણી આપી શકાય એમ નથી, કારણ કે રાજ્યના તમામ ડેમોમાં 30 %સુધી પાણી હોઈ સિંચાઈ માટે આપી શકાય એમ નથી, માત્ર પીવાના પાણીનો રિઝર્વ જથ્થો હોઈ સિંચાઈનું પાણી આપવું શક્ય નથી. નીતિન પટેલના આ નિવદેનથી હવે ખેડૂતોમાં ચિંતા પેઠી છે. આગામી સમયમાં હવામાન ખાતાની આગાહી પ્રમાણે એક સપ્તાહમાં વરસાદ થાય તો જ ખેતી બચાવી શકાશે. 

ગુજરાતમાં વેપારીઓને કોરોના રસીકરણની સમય મર્યાદામાં વધારા મુદ્દે સરકારે શું આપ્યું મોટું નિવેદન?

અમદાવાદઃ આજે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે વેપારીઓને રસીકરણ મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું. વેપારીઓને વેકસીનેશનની મુદ્દતમાં નહિ થાય વધારો. વેક્સીન ન લેનારા લોકો સામે સમય આવવા પર કાર્યવાહી અંગે વિચારણા થશે.


અમદાવાદ સહિત ગુજરાતમાં વેપારીઓના વેકસીનેશન અંગે સરકારે બે વખત મુદ્દતમાં વધારો કર્યા બાદ હવે સરકાર મુદ્દત વધારવાના મૂડમાં નથી.આ નિવેદન આપ્યું છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે. અગાઉ જૂન માસમાં અને બાદમાં જુલાઈ માસમાં વેપારીઓનો મોટા ભાગનો વર્ગ વેકસીનથી વંચિત હોવાના કારણે વેપારીઓએ સરકાર સમક્ષ અલગ અલગ માધ્યમ દ્વારા મુદ્દત વધારવા માંગ કરી હતી.


31 જુલાઈ બાદ 15 ઓગસ્ટ સુધી વેકસીન લઈ લેવાની અંતિમ મુદ્દત બાદ હાલ પણ 25 ટકા વેપારીઓના બીજા ડોઝ બાકી હોવાથી હવે સરકાર મુદ્દત વધારવાની નથી. સરકાર દ્વારા બે વખત અપાયેલી છુટ ન માત્ર વેપારીઓ માટે પણ ગુમાસતા માટે પણ છૂટ આપવામાં આવી હતી.જે બાદ હવે સરકાર વેકસીન વેપારીઓને આપવા અંગેની મર્યાદામાં વધારો નહી કરે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget