શોધખોળ કરો

IPS અભયસિંહ ચુડાસમાએ રાજકારણમાં આવવાને લઈને કર્યો મોટો ખુલાસો, કહ્યું – રાજકારણ મારું ક્ષેત્ર....

Abhaysingh Chudasma political plans: ગીર સોમનાથના કોડીનાર ખાતે રાજપૂત સમાજ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં અભયસિંહ ચુડાસમા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

IPS Abhaysingh Chudasma politics entry: ગુજરાત પોલીસના એડિશનલ ડીજી અભયસિંહ ચુડાસમાએ રાજનીતિમાં પ્રવેશ કરશે તેવી ચર્ચાઓને વિરામ આપતાં મોટો ખુલાસો કર્યો છે. ગીર સોમનાથના કોડીનાર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે તેઓ નિવૃત્તિ પછી રાજનીતિમાં જોડાવાના નથી.

અભયસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, "મારી નોંધ બહુ લેવાય છે. લોકો હંમેશા અનુમાન લગાવતા રહે છે કે હું આગળ શું કરીશ. પરંતુ હું સ્પષ્ટ કહું છું કે હું રાજનીતિમાં જવાનો નથી. મારું ક્ષેત્ર રાજનીતિ નથી."

તેમણે વધુમાં જણાવ્યું કે, "નિવૃત્તિ બાદ હું સમાજસેવાના કામમાં જોડાઈશ. ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે કામ કરવા માંગું છું. એક ટીમ બનાવીને આપણા ગામડાઓમાં જઈશું અને વિદ્યાર્થીઓને જરૂરી સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયાસ કરીશું."

ગીર સોમનાથના કોડીનાર ખાતે રાજપૂત સમાજ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં અભયસિંહ ચુડાસમા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે સફળતા મેળવનારા વિદ્યાર્થીઓ અને અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

અભયસિંહ ચુડાસમાની આ જાહેરાતથી રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. ઘણા લોકો માનતા હતા કે તેઓ રાજનીતિમાં પ્રવેશ કરશે, પરંતુ તેમણે સમાજસેવાના માર્ગને અપનાવવાનો નિર્ણય લીધો છે.

નોંધનીય છે કે, થોડા સમય પહેલા કારડિયા રાજપૂત સમાજના એક કાર્યક્રમમાં IPS અભય ચુડાસમાએ સમાજની રાજકીય સ્થિતિ અંગે દર્દ ઠાલવ્યું હતું.

સમાજની એકતાના અભાવને કારણે રાજકીય પ્રતિનિધિત્વ ઓછું હોવાનો મુદ્દો ઉઠાવતા અભય ચુડાસમાએ જણાવ્યું હતું કે, "છેલ્લી બે ટર્મથી આપણો એક પણ મંત્રી નથી, એના મૂળ સુધી જવું જોઈએ. આનું કારણ એ છે કે આપણે સહુ એક નથી."

તેમણે વધુમાં ઉમેર્યું કે, "સમાજની સંખ્યાના પ્રમાણમાં ચાર ધારાસભ્યો હોવા જોઈએ, પરંતુ માંડ માંડ બે જીતે છે કારણ કે આપણે વહેંચાયેલા છીએ."

સમાજની પ્રગતિમાં અવરોધક પરિબળો વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે, "મેં સમાજની સૌથી મોટી બદી જોઈ હોય તો તે છે આપણો વ્યક્તિગત ઈગો અને અભિમાન. અન્ય સમાજની સરખામણીમાં આપણે વધુ ઘમંડી છીએ, જેના કારણે વિકાસ રૂંધાઈ રહ્યો છે."

આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ છે અને સમાજમાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.'

આ પણ વાંચોઃ

મક્કામાં 40 કિલોમીટર પહેલાં જ..', મહાકુંભમાં મુસ્લિમોના પ્રતિબંધની વાત પર બોલ્યા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત

વિડિઓઝ

Gujarat Monsoon 2026: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર
Gujarat DGP : ગુજરાત પોલીસને મળ્યા નવા વડા, GS મલિક બન્યા ગુજરાતના નવા DGP
PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ખાદ્ય તેલ કંપનીઓની ચાલાકી બંધ: 850 કે 900 ગ્રામના પેકિંગ પર સરકારે મૂક્યો મોટો પ્રતિબંધ
ખાદ્ય તેલ કંપનીઓની ચાલાકી બંધ: 850 કે 900 ગ્રામના પેકિંગ પર સરકારે મૂક્યો મોટો પ્રતિબંધ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?
સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
Embed widget