શોધખોળ કરો

IPS અભયસિંહ ચુડાસમાએ રાજકારણમાં આવવાને લઈને કર્યો મોટો ખુલાસો, કહ્યું – રાજકારણ મારું ક્ષેત્ર....

Abhaysingh Chudasma political plans: ગીર સોમનાથના કોડીનાર ખાતે રાજપૂત સમાજ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં અભયસિંહ ચુડાસમા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

IPS Abhaysingh Chudasma politics entry: ગુજરાત પોલીસના એડિશનલ ડીજી અભયસિંહ ચુડાસમાએ રાજનીતિમાં પ્રવેશ કરશે તેવી ચર્ચાઓને વિરામ આપતાં મોટો ખુલાસો કર્યો છે. ગીર સોમનાથના કોડીનાર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે તેઓ નિવૃત્તિ પછી રાજનીતિમાં જોડાવાના નથી.

અભયસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, "મારી નોંધ બહુ લેવાય છે. લોકો હંમેશા અનુમાન લગાવતા રહે છે કે હું આગળ શું કરીશ. પરંતુ હું સ્પષ્ટ કહું છું કે હું રાજનીતિમાં જવાનો નથી. મારું ક્ષેત્ર રાજનીતિ નથી."

તેમણે વધુમાં જણાવ્યું કે, "નિવૃત્તિ બાદ હું સમાજસેવાના કામમાં જોડાઈશ. ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે કામ કરવા માંગું છું. એક ટીમ બનાવીને આપણા ગામડાઓમાં જઈશું અને વિદ્યાર્થીઓને જરૂરી સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયાસ કરીશું."

ગીર સોમનાથના કોડીનાર ખાતે રાજપૂત સમાજ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં અભયસિંહ ચુડાસમા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે સફળતા મેળવનારા વિદ્યાર્થીઓ અને અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

અભયસિંહ ચુડાસમાની આ જાહેરાતથી રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. ઘણા લોકો માનતા હતા કે તેઓ રાજનીતિમાં પ્રવેશ કરશે, પરંતુ તેમણે સમાજસેવાના માર્ગને અપનાવવાનો નિર્ણય લીધો છે.

નોંધનીય છે કે, થોડા સમય પહેલા કારડિયા રાજપૂત સમાજના એક કાર્યક્રમમાં IPS અભય ચુડાસમાએ સમાજની રાજકીય સ્થિતિ અંગે દર્દ ઠાલવ્યું હતું.

સમાજની એકતાના અભાવને કારણે રાજકીય પ્રતિનિધિત્વ ઓછું હોવાનો મુદ્દો ઉઠાવતા અભય ચુડાસમાએ જણાવ્યું હતું કે, "છેલ્લી બે ટર્મથી આપણો એક પણ મંત્રી નથી, એના મૂળ સુધી જવું જોઈએ. આનું કારણ એ છે કે આપણે સહુ એક નથી."

તેમણે વધુમાં ઉમેર્યું કે, "સમાજની સંખ્યાના પ્રમાણમાં ચાર ધારાસભ્યો હોવા જોઈએ, પરંતુ માંડ માંડ બે જીતે છે કારણ કે આપણે વહેંચાયેલા છીએ."

સમાજની પ્રગતિમાં અવરોધક પરિબળો વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે, "મેં સમાજની સૌથી મોટી બદી જોઈ હોય તો તે છે આપણો વ્યક્તિગત ઈગો અને અભિમાન. અન્ય સમાજની સરખામણીમાં આપણે વધુ ઘમંડી છીએ, જેના કારણે વિકાસ રૂંધાઈ રહ્યો છે."

આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ છે અને સમાજમાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.'

આ પણ વાંચોઃ

મક્કામાં 40 કિલોમીટર પહેલાં જ..', મહાકુંભમાં મુસ્લિમોના પ્રતિબંધની વાત પર બોલ્યા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
Gujarat Rain: આગામી બે દિવસ આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણા હવામાન આગાહી
Gujarat Rain: આગામી બે દિવસ આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણા હવામાન આગાહી
Gujarat Rain: 6 દિવસ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી, આ જિલ્લાઓમાં તૂટી પડશે, જાણો હવામાન અપડેટ  
Gujarat Rain: 6 દિવસ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી, આ જિલ્લાઓમાં તૂટી પડશે, જાણો હવામાન અપડેટ  

વિડિઓઝ

Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી બે દિવસ આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણા હવામાન આગાહી
Gujarat Rain: આગામી બે દિવસ આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણા હવામાન આગાહી
CJP ના સમર્થનમાં સંસદ પરિસરમાં ધરણા પર બેઠા સાંસદ ચંદ્રશેખર આઝાદ, કહ્યું,'વિદ્યાર્થીઓ પર અત્યાચાર થયો'
CJP ના સમર્થનમાં સંસદ પરિસરમાં ધરણા પર બેઠા સાંસદ ચંદ્રશેખર આઝાદ, કહ્યું,'વિદ્યાર્થીઓ પર અત્યાચાર થયો'
Gujarat Rain: 6 દિવસ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી, આ જિલ્લાઓમાં તૂટી પડશે, જાણો હવામાન અપડેટ  
Gujarat Rain: 6 દિવસ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી, આ જિલ્લાઓમાં તૂટી પડશે, જાણો હવામાન અપડેટ  
Embed widget