શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં આગામી પાંચ દિવસ યથાવત રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી
અપર એયર સાક્લોનિક સર્ક્યુલેશનના કારણે સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગાંધીનગર: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી હજુ પણ વરસાદી માહોલ યથાવત રહશે. અપર એયર સાક્લોનિક સર્ક્યુલેશનના કારણે સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે ભાવનગર, અમરેલી, પોરબંદર, દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના મતે ગુજરાતમાં આગામી 17થી 21 જૂન વચ્ચે ચોમાસાનો પ્રારંભ થઇ શકે છે. અમદાવાદમાં જૂનના ત્રીજા સપ્તાહથી ચોમાસું સત્તાવાર રીતે બેસે તેની સંભાવના છે.
આજે સવારથી જ રાજ્યના ઘણા તાલુકામાં વરસાદ છે. સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 49 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ જૂનાગઢના માળીયામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડ, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, સુરત, અમરેલી સહિતના તાલુકામાં વરસાદ પડ્યો છે.
સુરતના ઉમરપાડામાં વરસાદી ઝાપટા પડ્યા છે. ઓલપાડ માંગરોળમાં વરસાદને કારણે રાજમાર્ગો પર પાણી ભરાયા છે. છેલ્લા થોડા દિવસથી વરસી રહેલા વરસાદને કારણે તાપમાનનો પારો નીચો જતાં ગરમીમાં રાહત મળી છે.
ભાવનગરમાં સાર્વત્રિક વરસાદ ખાબકયો છે. મહુવાના સિહોર, સોનગઢ,સણોસરા, અમરગઢ, આંબળા, જીથરી, નવા ગામ, વડાવડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
ગુજરાત
ગુજરાત
Advertisement