શોધખોળ કરો

Gujarat Rain: કાલથી વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી 

રાજ્યમાં ફરી એક વખત મેઘરાજા મહેરબાન થશે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ  વધુ એક આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ: રાજ્યમાં ફરી એક વખત મેઘરાજા મહેરબાન થશે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ  વધુ એક આગાહી કરવામાં આવી છે.  રાજ્યમાં કાલથી વરસાદની આગાહી કરવામાં આવી છે.  20 અને 21 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.  જ્યારે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગ દ્વારા  અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે.  દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં 20 અને 21 ઓગસ્ટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.  રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી સ્વચ્છ આકાશ જોવા મળી રહ્યું છે. હાલ ગુજરાતમાં ઘણો ઓછો વરસાદ વરસી રહ્યો છે.  હવામાન વિભાગે આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદની તીવ્રતા કેવી હશે તે અંગેની આગાહી કરી છે.

હવામાન વિભાગ અનુસાર, કોઇ વરસાદની સિસ્ટમ સક્રીય નથી જેના કારણે ઘણો ઓછો વરસાદ વરસી રહ્યો છે.  આવતીકાલથી 20 અને 21મી ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં  હળવાથી સામાન્ય વરસાદની  આગાહી છે. વલસાડ, તાપી, નવસારી,ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.  

સૌથી વધારે વરસાદ કચ્છમાં વરસ્યો છે

ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 68.19 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 86.68 ટકા, તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 78.09 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 82.24 ટકા વરસાદ વરસ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં 50.98 ટકા અને મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 48.97 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. 

પંજાબ હરિયાણામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

પંજાબ અને હરિયાણામાં આજે હવામાન સ્વચ્છ રહેશે. જો કે 20 થી 22 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. અહીં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પહાડી રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા

પહાડી વિસ્તારોમાં પણ વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં 20 થી 22 ઓગસ્ટ સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશમાં 20 અને 21 ઓગસ્ટે વરસાદની સંભાવના છે. આ અંગે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

જાણો યુપી અને રાજસ્થાનની સ્થિતિ

22 ઓગસ્ટ સુધી પૂર્વ અને પશ્ચિમ રાજસ્થાનમાં હવામાન સ્વચ્છ રહેશે. પૂર્વ રાજસ્થાનમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે પૂર્વ અને પશ્ચિમ યુપીમાં ભારે વરસાદની સંભાવના છે. આ અંગે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવું જ હવામાન ઉત્તર પ્રદેશમાં 22 ઓગસ્ટ સુધી રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget