શોધખોળ કરો

જન્માષ્ટમીને ધ્યાનમાં રાખી દ્વારકા મંદિર પ્રશાસને લીધો આ મહત્વનો નિર્ણય

દ્વારકા મંદિર દ્વારા કોરોના ગાઇડલાઇનના પાલન સાથે જન્માષ્ટમી ઉત્સવ ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર દ્વારકા મંદિર ખાતે કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે જન્માષ્ટમી પર્વ ઉજવવામાં આવશે.

દ્વારકાઃ દ્વારકા મંદિર દ્વારા કોરોના ગાઇડલાઇનના પાલન સાથે જન્માષ્ટમી ઉત્સવ ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર દ્વારકા મંદિર ખાતે કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે જન્માષ્ટમી પર્વ ઉજવવામાં આવશે. દર્શનના નક્કી કરેલા કલાકો દરમિયાન ભક્તો મંદિરમાં ભગવાનના દર્શન કરી શકશે. મંદિર પરિસરમાં કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જોકે, મંદિર પ્રશાસન દ્ધારા દર્શનાર્થીઓને ઓનલાઇન દર્શનનો લાભ લેવા માટે અપીલ કરવામા આવી છે.

શ્રી દ્વારકાધીશ દેવસ્થાન સમિતિએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે જન્માષ્ટમીના પર્વ પર નિયત કલાકો દરમિયાન દર્શનાર્થીઓ માટે મંદિર રાબેતા મુજબ ખુલ્લુ રહેશે. મંદિરમાં દર્શન માટે આવનારા તમામ ભક્તોએ કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે.મંદિર પરિસરમાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવાનું રહેશે.

બાડમેરમાં મિગ-21 પ્લેન ક્રેશ

ભારતીય એરફોર્સના મિગ-21 વિમાન રાજસ્થાનના બાડમેરમાં ક્રેશ થયું હતું. સૈન્ય પ્રવક્તા અમિતાભ શર્માએ કહ્યું હતું કે દુર્ઘટના બાદ પાયલટે પોતાને સુરક્ષિત રીતે વિમાનમાંથી ઇજેક્ટ કર્યું હતું. પ્રવક્તાએ કહ્યું કે, આ વિમાન ટ્રેનિંગ પર હતું. બાડમેરના પોલીસ અધિકારી આનંદ શર્માએ કહ્યું કે વિમાન ભૂરટિયા ગામ પાસે પડ્યું હતું.

તેમણે કહ્યું કે, વિમાન દુર્ઘટના થયાની ઘટનામાં કોઇને ઇજા પહોંચી હોવાના અહેવાલ નથી અને પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે. એરફોર્સે કહ્યું કે, આજે સાંજે લગભગ સાડા પાંચ વાગ્યે પશ્વિમી સેક્ટરમાં ટ્રેનિંગ માટે ઉડાણ ભરનારા મિગ-21 બાઇસન વિમાનમાં ટેક ઓફ બાદ ટેકનિકલ ખામી આવી હતી. પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો. આ પાછળનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ આપી દેવામાં આવ્યો છે.

રાજ્યમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ કુલ 160 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે. 155 સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,091 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10079 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના (Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ મોત થયું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત 3, વડોદરા કોર્પોરેશનમાં 3, ભાવનગર 1, કચ્છ 1 અને સુરત કોર્પોરેશન 1 કેસ  સાથે કુલ 14 કેસ નોંધાયા છે. આજે 25 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ, જલાલપોરમાં સૌથી વધુ 5.75 ઈંચ વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ, જલાલપોરમાં સૌથી વધુ 5.75 ઈંચ વરસાદ
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
ઘર પર સોલર પેનલ લગાવતા પહેલા જાણી લો પાંચ મોટા નુકસાન! પછી થશે પસ્તાવો
ઘર પર સોલર પેનલ લગાવતા પહેલા જાણી લો પાંચ મોટા નુકસાન! પછી થશે પસ્તાવો
8th Pay Commission : કેન્દ્રિય કર્મચારીઓના ગ્રેડ પે લેવલ્સના વિલયની માંગ, જાણો સેલેરીમાં વધારાનું ગણિત
8th Pay Commission : કેન્દ્રિય કર્મચારીઓના ગ્રેડ પે લેવલ્સના વિલયની માંગ, જાણો સેલેરીમાં વધારાનું ગણિત
સંસદ માર્ચ પહેલા જંતર-મંતર પર લાઠીચાર્જ, કોકરોચ જનતા પાર્ટીનું પહેલું રિએક્શન, કહ્યું- 'આ તો એકદમ...'
સંસદ માર્ચ પહેલા જંતર-મંતર પર લાઠીચાર્જ, કોકરોચ જનતા પાર્ટીનું પહેલું રિએક્શન, કહ્યું- 'આ તો એકદમ...'
'સંયોગ નહીં, પણ એક સંદેશ...', સંસદના ચોમાસુ સત્રના પહેલા જ PM મોદીનો દેશને મોટો મેસેજ, વાંચો શું-શું કહ્યું
'સંયોગ નહીં, પણ એક સંદેશ...', સંસદના ચોમાસુ સત્રના પહેલા જ PM મોદીનો દેશને મોટો મેસેજ, વાંચો શું-શું કહ્યું
Embed widget