શોધખોળ કરો

Junagadh: મહાશિવરાત્રિ મેળામાં જતા ભક્તો માટે સારા સમાચાર, ગિરનાર રોપ- વેની ટિકિટના દરમાં કર્યો ઘટાડો

જૂનાગઢના આંગણે યોજાનાર ભવ્ય મહાશિવરાત્રિ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે ગિરનાર રોપ-વે મેનેજમેન્ટે ખુશખબર આપી છે.

જૂનાગઢના આંગણે યોજાનાર ભવ્ય મહાશિવરાત્રિ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે ગિરનાર રોપ-વે મેનેજમેન્ટે ખુશખબર આપી છે. રાજ્ય સરકાર અને વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ, મેળા દરમિયાન યાત્રિકોને રોપ-વેની ટિકિટમાં ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઓફર અંતર્ગત ભાવિકો માત્ર 630 (GST સહિત) રૂપિયાના રાહત દરે ગિરનારની યાત્રા કરી શકશે, જે સુગમ અને સુરક્ષિત પ્રવાસની તક પૂરી પાડશે. આ વિશેષ ઓફર 11થી 15 ફેબ્રુઆરી સુધી માન્ય રહેશે. યાત્રિકો દરરોજ સવારે 07:00 થી સાંજે 05:00 વાગ્યા સુધી આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકશે. જોકે, સાંજે 04:00 વાગ્યા પછી માત્ર એક તરફની ટિકિટ જ આપવામાં આવશે. આ પાવન પર્વ પર મહત્તમ ભક્તો ગિરનારની ટોચે બિરાજતા દત્તાત્રેય દર્શન કરી શકે તે હેતુથી આ આકર્ષક યોજના અમલમાં મૂકવામાં આવી છે.

મહાશિવરાત્રીના મેળાને લઈ પોલીસ એકશનમાં

ગિરનારની ગોદમાં શરૂ થનારા મહાશિવરાત્રીના મેળાને લઈ જૂનાગઢ પોલીસ એકશન મોડમાં આવી ગઈ છે. ભવનાથ મંદિર પરિસર, યાત્રા સ્થળ અને અખાડાઓમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ ઉપરાંત ભવનાથ વિસ્તારમાં સઘન ચેકિંગ શરૂ કરી દીધું છે. મહાશિવરાત્રી મેળા માટે હજારો શ્રદ્ધાળુ અને યાત્રિકો દેશભરમાંથી આવે છે. તે જોતા પોલીસ પ્રશાસને રાજ્યના મહત્વના પર્વની તૈયારીઓ પૂરેપૂરી સજ્જતા દર્શાવી છે. SOG, BDDS અને ડોગ સ્કવોડનીટીમોએ ભવનાથ પરિસર, યાત્રા સ્થળ અને અખાડાઓમાં ચેકિંગ કર્યું છે.  કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. મહાશિવરાત્રી મેળાને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરવા માટે જૂનાગઢ પોલીસ તમામ સ્તરે સજ્જ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

જૂનાગઢમાં ઓઘડની ટૂંક પર ધજાના કેસમાં નાથ સંપ્રદાયના વિરોધ બાદ આખરે ફરિયાદ નોંધાઈ છે. ભવનાથ પોલીસે બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઓઘડની જગ્યા નાથ સંપ્રદાયની છે. જ્યાં જૈન સંપ્રદાયનો ઝંડો લાગતા જ નાથ સંપ્રદાયના સાધુ- સંતોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. નાથ સંપ્રદાયના સાધુ- સંતોએ નાથ સંપ્રદાય અને જૈન સમાજમાં વૈમનસ્ય ફેલાય તેવું કૃત્ય ગણાવ્યું. આટલું જ નહીં આરોપ લગાવ્યો કે ફોટોમાં દેખાતા બંને શખ્સો ચોરીછૂપીથી ઝંડો ઉપર લઈ ગયા હતાં. જ્યાં ઓઘડની ટૂંક પર જઈ તેને લહેરાવાયો હતો. ભવનાથ પોલીસે હાલ ફોટોમાં દેખાતા બે શખ્સની શોધખોળ શરૂ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
પાટણ નપાનું ભોપાળું: ખાનગી માલિકીના જમીન પર બનાવી દીધો રોડ, માલિકે ફેન્સિંગ લગાવી કર્યો બંધ
પાટણ નપાનું ભોપાળું: ખાનગી માલિકીના જમીન પર બનાવી દીધો રોડ, માલિકે ફેન્સિંગ લગાવી કર્યો બંધ
સતત 8 ટર્મમાં અજેય રહેલા ધારાસભ્ય યોગેશ પટેલના આજે અંતિમ સંસ્કાર, પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન
સતત 8 ટર્મમાં અજેય રહેલા ધારાસભ્ય યોગેશ પટેલના આજે અંતિમ સંસ્કાર, પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Embed widget