શોધખોળ કરો

Junagadh: મહાશિવરાત્રિ મેળામાં જતા ભક્તો માટે સારા સમાચાર, ગિરનાર રોપ- વેની ટિકિટના દરમાં કર્યો ઘટાડો

જૂનાગઢના આંગણે યોજાનાર ભવ્ય મહાશિવરાત્રિ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે ગિરનાર રોપ-વે મેનેજમેન્ટે ખુશખબર આપી છે.

જૂનાગઢના આંગણે યોજાનાર ભવ્ય મહાશિવરાત્રિ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે ગિરનાર રોપ-વે મેનેજમેન્ટે ખુશખબર આપી છે. રાજ્ય સરકાર અને વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ, મેળા દરમિયાન યાત્રિકોને રોપ-વેની ટિકિટમાં ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઓફર અંતર્ગત ભાવિકો માત્ર 630 (GST સહિત) રૂપિયાના રાહત દરે ગિરનારની યાત્રા કરી શકશે, જે સુગમ અને સુરક્ષિત પ્રવાસની તક પૂરી પાડશે. આ વિશેષ ઓફર 11થી 15 ફેબ્રુઆરી સુધી માન્ય રહેશે. યાત્રિકો દરરોજ સવારે 07:00 થી સાંજે 05:00 વાગ્યા સુધી આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકશે. જોકે, સાંજે 04:00 વાગ્યા પછી માત્ર એક તરફની ટિકિટ જ આપવામાં આવશે. આ પાવન પર્વ પર મહત્તમ ભક્તો ગિરનારની ટોચે બિરાજતા દત્તાત્રેય દર્શન કરી શકે તે હેતુથી આ આકર્ષક યોજના અમલમાં મૂકવામાં આવી છે.

મહાશિવરાત્રીના મેળાને લઈ પોલીસ એકશનમાં

ગિરનારની ગોદમાં શરૂ થનારા મહાશિવરાત્રીના મેળાને લઈ જૂનાગઢ પોલીસ એકશન મોડમાં આવી ગઈ છે. ભવનાથ મંદિર પરિસર, યાત્રા સ્થળ અને અખાડાઓમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ ઉપરાંત ભવનાથ વિસ્તારમાં સઘન ચેકિંગ શરૂ કરી દીધું છે. મહાશિવરાત્રી મેળા માટે હજારો શ્રદ્ધાળુ અને યાત્રિકો દેશભરમાંથી આવે છે. તે જોતા પોલીસ પ્રશાસને રાજ્યના મહત્વના પર્વની તૈયારીઓ પૂરેપૂરી સજ્જતા દર્શાવી છે. SOG, BDDS અને ડોગ સ્કવોડનીટીમોએ ભવનાથ પરિસર, યાત્રા સ્થળ અને અખાડાઓમાં ચેકિંગ કર્યું છે.  કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. મહાશિવરાત્રી મેળાને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરવા માટે જૂનાગઢ પોલીસ તમામ સ્તરે સજ્જ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

જૂનાગઢમાં ઓઘડની ટૂંક પર ધજાના કેસમાં નાથ સંપ્રદાયના વિરોધ બાદ આખરે ફરિયાદ નોંધાઈ છે. ભવનાથ પોલીસે બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઓઘડની જગ્યા નાથ સંપ્રદાયની છે. જ્યાં જૈન સંપ્રદાયનો ઝંડો લાગતા જ નાથ સંપ્રદાયના સાધુ- સંતોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. નાથ સંપ્રદાયના સાધુ- સંતોએ નાથ સંપ્રદાય અને જૈન સમાજમાં વૈમનસ્ય ફેલાય તેવું કૃત્ય ગણાવ્યું. આટલું જ નહીં આરોપ લગાવ્યો કે ફોટોમાં દેખાતા બંને શખ્સો ચોરીછૂપીથી ઝંડો ઉપર લઈ ગયા હતાં. જ્યાં ઓઘડની ટૂંક પર જઈ તેને લહેરાવાયો હતો. ભવનાથ પોલીસે હાલ ફોટોમાં દેખાતા બે શખ્સની શોધખોળ શરૂ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાલીઓ સાવધાન! જામનગરની 14 વર્ષની માસૂમ દીકરીને આવ્યો હાર્ટ અટેક, રમતાં-રમતાં ગુમાવ્યો જીવ
વાલીઓ સાવધાન! જામનગરની 14 વર્ષની માસૂમ દીકરીને આવ્યો હાર્ટ અટેક, રમતાં-રમતાં ગુમાવ્યો જીવ
12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી
12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત

વિડિઓઝ

Textbooks Shortage in School : પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે મંડળના ચેરમેનનું નિવેદન
School Van Fare Hike: વાલીઓને મોંઘવારીનો માર, સ્કૂલ વર્ધી એસો.એ સ્કૂલવાન ભાડામાં કર્યો વધારો
Surat Deputy Mayor : સુરતના ડે. મેયર સુધાકર ચૌધરી આવ્યા વિવાદમાં, પુત્રો પર શું લાગ્યો આરોપ?
Share Market News: ભારતીય શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સમાં 550થી વધુ પોઇન્ટનો કડાકો
School Opening : શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ,વિદ્યાર્થીઓનું તિલક કરી કરાયું સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો
સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
ઐતિહાસિક ટેસ્ટ જીત બાદ ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, વનડે સિરીઝમાંથી 7 ખેલાડી આઉટ
ઐતિહાસિક ટેસ્ટ જીત બાદ ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, વનડે સિરીઝમાંથી 7 ખેલાડી આઉટ
Embed widget