શોધખોળ કરો

Banaskantha: દાંતાના રાજવી મહારાણા મહિપેન્દ્રસિંહજીની આજે નીકળશે અંતિમ યાત્રા, ગંગવા ગામમાં થશે અંતિમવિધિ

બનાસકાંઠાના દાંતાનાં રાજવી મહારાણા મહિપેન્દ્રસિંહજી પરમારની આજે 10 વાગ્યે અંતિમ યાત્રા નીકળશે

બનાસકાંઠાના દાંતાનાં રાજવી મહારાણા મહિપેન્દ્રસિંહજી પરમારની આજે 10 વાગ્યે અંતિમ યાત્રા નીકળશે. 75 વર્ષની વયે રવિવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ગંગવામાં આવેલા સ્મશાન ગૃહમાં મહારાજાના પાર્થિવદેહને અગ્નિદાહ આપવામાં આવશે.

મહારાણા મહિપેન્દ્રસિંહજી દાંતા રાજવી પરિવારના મુરબ્બી હતા. મહારાણા મહિપેન્દ્રસિંહજીના નિધનથી સમગ્ર દાંતા સહિત પંથક શોકનો માહોલ છવાયો હતો. સ્ટેટ ઓફ દાંતાના રાજવી મહારાણા મહિપેન્દ્રસિંહજીની અંતિમ પાલખી યાત્રા દાંતાથી ગંગવા ગામે જશે. ગંગવા ખાતેનાં સ્મશાન ગૃહમાં મહારાજાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેઓ મા અંબાના પરમ ભક્ત હતા અને દાંતા રાજવી તરીકે એક વિશેષ પૂજા અર્ચના અંબાજીમાં કરવામાં આવતી હતી

દાંતા સ્ટેટ સમયથી મહારાજા મહિપેન્દ્રસિહની આસપાસના વિસ્તારમાં ભામાશા તરીકેની ઓળખ હતી.  તેઓ ક્રિકેટના શોખીન હતા. તેમણે સૌ પ્રથમ દાંતા ખાતે ઓસ્ટ્રેલિયન ટીમને ઉતારી હતી. પ્રજામાં શિક્ષણનો પાયો મજબૂત બનાવવા શિક્ષણ ક્ષેત્રે તેમણે અનેક કાર્યો કર્યા હતા. તેઓએ દાંતા કેળવણી મંડળ અને સરભવાની સિંહ વિદ્યાલયના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી હતી.

નોંધનીય છે કે, દાંતા રજવાડું બ્રિટિશ શાસન સમયમાં બોમ્બે પ્રેસિડેન્સી હેઠળની મહી કાંઠા એજન્સીમાં આવતું રજવાડું હતું. તેનું પાટનગર દાંતા હતું, જે હવે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવે છે. દાંતા રજવાડાની સ્થાપના ૧૦૬૮માં થઇ હતી. રજવાડા પર દાંતા અને સુદાસણાના હિંદુ બારડ (પરમાર) વંશનું શાસન રહ્યું હતું. 

ઇસ ૧૨૦૦માં આરબ આક્રમણ પછી પરમારોએ ચંદ્રાવતીને પોતાનું પાટનગર બનાવ્યું હતુ. અલાદ્દીન ખિલજી સાથેના યુદ્ધ પછી તેઓ ગુજરાતમાં સ્થાયી થયા. ત્યાંથી તેઓ ૩૮૦ વર્ષ પહેલાં દાંતામાં સ્થાયી થયા. દાંતાના છેલ્લા શાસકે ૬ નવેમ્બર ૧૯૪૮ના રોજ ભારત સંઘમાં ભળી જવા માટે સંમતિ દર્શાવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારની મોટી ભેટ: ખેત તલાવડીમાં સરકારી ખર્ચે જીઓમેમ્બ્રેન ફીટ થશે, જાણો કેવી રીતે?
ગુજરાત સરકારની મોટી ભેટ: ખેત તલાવડીમાં સરકારી ખર્ચે જીઓમેમ્બ્રેન ફીટ થશે, જાણો કેવી રીતે?
ગુજરાત પંચાયત સેવામાં મોટો ગંજીપો ચીપાયો: 150 TDOની બદલી-બઢતી, જુઓ આખી યાદી
ગુજરાત પંચાયત સેવામાં મોટો ગંજીપો ચીપાયો: 150 TDOની બદલી-બઢતી, જુઓ આખી યાદી
ગુજરાતને ફરી મળશે વિકાસની મોટી ભેટ: 31 માર્ચે PM મોદી ₹19,800 કરોડથી વધુના પ્રોજેક્ટ્સની કરશે શરૂઆત
ગુજરાતને ફરી મળશે વિકાસની મોટી ભેટ: 31 માર્ચે PM મોદી ₹19,800 કરોડથી વધુના પ્રોજેક્ટ્સની કરશે શરૂઆત
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : PM આવશે, વિકાસ લાવશે
Hun To Bolish : હું તો બોલીશ : ગેંગના ખાતમાનો આરંભ
Hun To Bolish : હું તો બોલીશ : કોના દબાણથી નથી હટતા દબાણ?
Umreth By Election : ઉમરેઠના ભાજપ ઉમેદવાર હર્ષદ પરમાર પિતાને યાદ કરતા થયા ભાવુક
Amit Shah on naxalism: આદિવાસીઓ માટે વિકાસ કેમ નથી? અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026: રાજસ્થાને ચેન્નાઈને 8 વિકેટે કચડી નાખ્યું, વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 બોલમાં ફટકારી તોફાની ફિફ્ટી!
IPL 2026: રાજસ્થાને ચેન્નાઈને 8 વિકેટે કચડી નાખ્યું, વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 બોલમાં ફટકારી તોફાની ફિફ્ટી!
ટ્રમ્પ એકલા પડ્યા! ‘આ અમારી લડાઈ નથી,’ કહી વધુ એક દેશે ઈરાન યુદ્ધમાં જોડાવાની ના પાડી
ટ્રમ્પ એકલા પડ્યા! ‘આ અમારી લડાઈ નથી,’ કહી વધુ એક દેશે ઈરાન યુદ્ધમાં જોડાવાની ના પાડી
1 એપ્રિલથી બદલાઈ રહ્યું છે ઈન્કમ ટેક્સનું ગણિત, તમારી સેલેરી સ્ટ્રક્ચર પર પડી શકે છે અસર
1 એપ્રિલથી બદલાઈ રહ્યું છે ઈન્કમ ટેક્સનું ગણિત, તમારી સેલેરી સ્ટ્રક્ચર પર પડી શકે છે અસર
IPL 2026: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ! 15 બોલમાં 5 છગ્ગા સાથે ફટકારી ત્રીજી ફાસ્ટેસ્ટ 50
IPL 2026: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ! 15 બોલમાં 5 છગ્ગા સાથે ફટકારી ત્રીજી ફાસ્ટેસ્ટ 50
iPhone : આ ફીચરને ઓન કર્યા પછી કોઈ હેક નહીં કરી શકે તમારો iPhone, જાણો કેવી રીતે કરશો ઉપયોગ
iPhone : આ ફીચરને ઓન કર્યા પછી કોઈ હેક નહીં કરી શકે તમારો iPhone, જાણો કેવી રીતે કરશો ઉપયોગ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના ભણકારા! ટ્રમ્પ સર્જિકલ સ્ટ્રાઈક કરવાના મૂડમાં છે? 50,000 અમેરિકી સૈનિકો તૈનાત...
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના ભણકારા! ટ્રમ્પ સર્જિકલ સ્ટ્રાઈક કરવાના મૂડમાં છે? 50,000 અમેરિકી સૈનિકો તૈનાત...
અમરેલીમાં ભરઉનાળે વરસાદ ખાબક્યો! 5 એપ્રિલ સુધી આખા ગુજરાતમાં માવઠાની આગાહી, ખેડૂતો ચિંતિત
અમરેલીમાં ભરઉનાળે વરસાદ ખાબક્યો! 5 એપ્રિલ સુધી આખા ગુજરાતમાં માવઠાની આગાહી, ખેડૂતો ચિંતિત
ગુજરાતને ફરી મળશે વિકાસની મોટી ભેટ: 31 માર્ચે PM મોદી ₹19,800 કરોડથી વધુના પ્રોજેક્ટ્સની કરશે શરૂઆત
ગુજરાતને ફરી મળશે વિકાસની મોટી ભેટ: 31 માર્ચે PM મોદી ₹19,800 કરોડથી વધુના પ્રોજેક્ટ્સની કરશે શરૂઆત
Embed widget