શોધખોળ કરો

Banaskantha: દાંતાના રાજવી મહારાણા મહિપેન્દ્રસિંહજીની આજે નીકળશે અંતિમ યાત્રા, ગંગવા ગામમાં થશે અંતિમવિધિ

બનાસકાંઠાના દાંતાનાં રાજવી મહારાણા મહિપેન્દ્રસિંહજી પરમારની આજે 10 વાગ્યે અંતિમ યાત્રા નીકળશે

બનાસકાંઠાના દાંતાનાં રાજવી મહારાણા મહિપેન્દ્રસિંહજી પરમારની આજે 10 વાગ્યે અંતિમ યાત્રા નીકળશે. 75 વર્ષની વયે રવિવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ગંગવામાં આવેલા સ્મશાન ગૃહમાં મહારાજાના પાર્થિવદેહને અગ્નિદાહ આપવામાં આવશે.

મહારાણા મહિપેન્દ્રસિંહજી દાંતા રાજવી પરિવારના મુરબ્બી હતા. મહારાણા મહિપેન્દ્રસિંહજીના નિધનથી સમગ્ર દાંતા સહિત પંથક શોકનો માહોલ છવાયો હતો. સ્ટેટ ઓફ દાંતાના રાજવી મહારાણા મહિપેન્દ્રસિંહજીની અંતિમ પાલખી યાત્રા દાંતાથી ગંગવા ગામે જશે. ગંગવા ખાતેનાં સ્મશાન ગૃહમાં મહારાજાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેઓ મા અંબાના પરમ ભક્ત હતા અને દાંતા રાજવી તરીકે એક વિશેષ પૂજા અર્ચના અંબાજીમાં કરવામાં આવતી હતી

દાંતા સ્ટેટ સમયથી મહારાજા મહિપેન્દ્રસિહની આસપાસના વિસ્તારમાં ભામાશા તરીકેની ઓળખ હતી.  તેઓ ક્રિકેટના શોખીન હતા. તેમણે સૌ પ્રથમ દાંતા ખાતે ઓસ્ટ્રેલિયન ટીમને ઉતારી હતી. પ્રજામાં શિક્ષણનો પાયો મજબૂત બનાવવા શિક્ષણ ક્ષેત્રે તેમણે અનેક કાર્યો કર્યા હતા. તેઓએ દાંતા કેળવણી મંડળ અને સરભવાની સિંહ વિદ્યાલયના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી હતી.

નોંધનીય છે કે, દાંતા રજવાડું બ્રિટિશ શાસન સમયમાં બોમ્બે પ્રેસિડેન્સી હેઠળની મહી કાંઠા એજન્સીમાં આવતું રજવાડું હતું. તેનું પાટનગર દાંતા હતું, જે હવે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવે છે. દાંતા રજવાડાની સ્થાપના ૧૦૬૮માં થઇ હતી. રજવાડા પર દાંતા અને સુદાસણાના હિંદુ બારડ (પરમાર) વંશનું શાસન રહ્યું હતું. 

ઇસ ૧૨૦૦માં આરબ આક્રમણ પછી પરમારોએ ચંદ્રાવતીને પોતાનું પાટનગર બનાવ્યું હતુ. અલાદ્દીન ખિલજી સાથેના યુદ્ધ પછી તેઓ ગુજરાતમાં સ્થાયી થયા. ત્યાંથી તેઓ ૩૮૦ વર્ષ પહેલાં દાંતામાં સ્થાયી થયા. દાંતાના છેલ્લા શાસકે ૬ નવેમ્બર ૧૯૪૮ના રોજ ભારત સંઘમાં ભળી જવા માટે સંમતિ દર્શાવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather : રાજ્યમાં આ તારીખ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાનું સંકટ, હવામાન વિભાગનું એલર્ટ
Weather : રાજ્યમાં આ તારીખ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાનું સંકટ, હવામાન વિભાગનું એલર્ટ
વિધાનસભામાં નાણામંત્રીની મોટી જાહેરાત: ગીર-બરડાના માલધારીઓને ST માંથી હટાવી OBC માં મૂકવા સરકારની વિચારણા
વિધાનસભામાં નાણામંત્રીની મોટી જાહેરાત: ગીર-બરડાના માલધારીઓને ST માંથી હટાવી OBC માં મૂકવા સરકારની વિચારણા
અફવાઓ પર ધ્યાન ન આપો: રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો છે, પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો ન લગાવવા CM ભૂપેન્દ્ર પટેલની અપીલ
અફવાઓ પર ધ્યાન ન આપો: રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો છે, પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો ન લગાવવા CM ભૂપેન્દ્ર પટેલની અપીલ
ગુજરાત વિધાનસભામાં UCC 2026 બિલ રજૂ: બળજબરીથી લગ્ન પર 7 વર્ષની જેલ, કોંગ્રેસે બિલને ગણાવ્યો 'રાજકીય એજન્ડા'
ગુજરાત વિધાનસભામાં UCC 2026 બિલ રજૂ: બળજબરીથી લગ્ન પર 7 વર્ષની જેલ, કોંગ્રેસે બિલને ગણાવ્યો 'રાજકીય એજન્ડા'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધર્મ ગમે તે, કાયદો સમાન
Hun To Bolish : હું તો બોલીશ : મહાદાનનો મહારેકોર્ડ
Hun To Bolish : હું તો બોલીશ : કાળાબજારીઓના કાંડનો પર્દાફાશ
UCC Bill Passed In Gujarat Assembly : વિધાનસભામાં UCC વિધેયક બહુમતીથી પસાર
PM Modi Speech: મિડલ ઈસ્ટ સંકટ પર રાજ્યસભામાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસને ઝટકોઃ દિલ્હીની વર્ષો જુની પાર્ટી ઓફિસ ખાલી કરવા મળી નૉટિસ, શનિવાર સુધીની મુદત
કોંગ્રેસને ઝટકોઃ દિલ્હીની વર્ષો જુની પાર્ટી ઓફિસ ખાલી કરવા મળી નૉટિસ, શનિવાર સુધીની મુદત
Weather : રાજ્યમાં આ તારીખ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાનું સંકટ, હવામાન વિભાગનું એલર્ટ
Weather : રાજ્યમાં આ તારીખ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાનું સંકટ, હવામાન વિભાગનું એલર્ટ
Share Market: શેરબજારમાં ફરી હરિયાળી, સેંસેક્સમાં 900 અંકનો ઉછાળો, નિફ્ટી 23,216ને પાર
Share Market: શેરબજારમાં ફરી હરિયાળી, સેંસેક્સમાં 900 અંકનો ઉછાળો, નિફ્ટી 23,216ને પાર
ટ્રમ્પે કર્યો યુદ્ધ જીતવાનો મોટો દાવો, બોલ્યા- ઈરાન માની ગયુ, અમને મોકલી કિંમતી ગિફ્ટ
ટ્રમ્પે કર્યો યુદ્ધ જીતવાનો મોટો દાવો, બોલ્યા- ઈરાન માની ગયુ, અમને મોકલી કિંમતી ગિફ્ટ
ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ
ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ
Meta Case: બાળકો પર પડી રહ્યો છે દુષ્પ્રભાવ, મેટાને ભરવા પડશે 3 હજાર કરોડ, કોર્ટે કહ્યું- 'ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વૉટ્સએપ જેવા પ્લેટફોર્મ...'
Meta Case: બાળકો પર પડી રહ્યો છે દુષ્પ્રભાવ, મેટાને ભરવા પડશે 3 હજાર કરોડ, કોર્ટે કહ્યું- 'ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વૉટ્સએપ જેવા પ્લેટફોર્મ...'
સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, રાહુલ-પ્રિયંકા પહોંચ્યા
સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, રાહુલ-પ્રિયંકા પહોંચ્યા
મહાયુદ્ધનો અંત નજીક? અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીના એંધાણ, શરતો સાથે વાતચીત માટે ઈરાન તૈયાર
મહાયુદ્ધનો અંત નજીક? અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીના એંધાણ, શરતો સાથે વાતચીત માટે ઈરાન તૈયાર
Embed widget