શોધખોળ કરો

મહીસાગરઃ સંતરામપુર પાસે ST બસ અને બાઇક વચ્ચે અકસ્માત, ત્રણ યુવકોના ઘટનાસ્થળે મોત

મહીસાગરમાં એસ.ટી બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ત્રણ જણાના ઘટનાસ્થળે જ મોત થયા છે

મહીસાગરઃ મહીસાગરમાં એસ.ટી બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ત્રણ જણાના ઘટનાસ્થળે જ મોત થયા છે. મળતી જાણકારી અનુસાર મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના હીરાપુર ગામ પાસે આજે ST બસ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં એક જ પરિવારના 3 યુવાનોના મોત થયા હતા. અમદાવાદ ઝાલોદ બસના ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.

સંતરામપુર તાલુકાના વાજીયાકોટના ડેમલી ફળિયામાં રહેતા બે સગાભાઇ અજય લાલસિંગ ખરાડી જયદીપ લાલસિંગ ખરાડી અને વિકાસભાઈ સોમાભાઈ ખરાડી આજે ઘરેથી હીરાપુર ગામ તરફ જવા નીકળ્યા હતા. તે સમયે હીરાપુર ગામ પાસે ઝાલોદ-અમદાવાદ ST બસ અને બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ત્રણેય યુવાનોના મોત થયા હતા. સંતરામપુર પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

નીતિન પટેલનું મોટું નિવેદન

અમદાવાદઃ  કેનેડા-યુએસ બોર્ડર પર ચાર ભારતીયનાં બરફના તોફાનમાં માઇન્સ 35 ડીગ્રી ઠંડીને કારણે થીજી જતાંમોત થયાં એ ઘટના ગુજરાતમાં ચર્ચાસ્પદ બની છે. ગુજરાતીઓ આ રીતે વિદેશ જવાની લાલચમાં ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં જીવ ગુમાવે છે તેની ટીકા પણ થઈ રહી છે ત્યારે ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ પાટીદાર નેતા નીતિન પટેલે ચોંકાવનારું નિવેદન કર્યું છે.

નીતિન પટેલે કહ્યું કે, આપણે ત્યાં લોકોને પૂરતી તકો મળતી નથી તેથી ગમે તે રીતે વિદેશ જવા માટે પ્રયત્ન કરે છે તેમાં ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં કેનેડામાં બની એ પ્રકારની ઘટના બને છે. નીતિન પટેલે આડકતરી રીતે ભાજપના શસાન પર દોષનો ટોપલો ઢોળ્યો છે કેમ કે ગુજરાતમાં છેલ્લાં પચીસ વર્ષથી ભાજપનું શાસન છે અને કેન્દ્રમાં પણ છેલ્લાં સાત વરસથી ભાજપની સરકાર છે. 

કેનેડામાં કલોલનો પટેલ પરિવાર લાપતા થવાને લઇને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું. તેમણે દેશમાં યોગ્ય તક ન હોવાથી લોકો વિદેશ જતા હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો. નીતિન પટેલે કહ્યું કે મહેનત કરવા છતા પણ યોગ્ય સ્થાન ન મળતા લોકો વિદેશ જાય છે. તક ન મળતી હોવાથી લોકો મોટા ખર્ચાઓ કરી, જીવના જોખમે વિદેશ જાય છે. દેશમાં મહેનત કર્યા બાદ પણ સ્થાન ન મળતા લોકો જોખમ લઇને વિદેશ જાય છે. દેશમાં નોકરી, ધંધા મર્યાદિત હોવાથી લોકો વિદેશમાં જાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

બે વર્ષમાં રાજ્યમાં 1029 કરોડની વીજચોરી,  દોઢ લાખ વીજગ્રાહકો સામે નોંધાઈ ફરિયાદ
બે વર્ષમાં રાજ્યમાં 1029 કરોડની વીજચોરી, દોઢ લાખ વીજગ્રાહકો સામે નોંધાઈ ફરિયાદ
Gold-Silver Rate: ફરી એક લાખ રૂપિયાને પાર સોનાની કિંમત, જાણો એક કિલો ચાંદીનો ભાવ કેટલે પહોંચ્યો?
Gold-Silver Rate: ફરી એક લાખ રૂપિયાને પાર સોનાની કિંમત, જાણો એક કિલો ચાંદીનો ભાવ કેટલે પહોંચ્યો?
Gmail યૂઝર્સ સાવધાનઃ સ્કેમર્સ તમારો પાસવર્ડ્સ ચોરવા માટે કરી રહ્યા છે Gemini નો ઉપયોગ, આ રીતે બચો
Gmail યૂઝર્સ સાવધાનઃ સ્કેમર્સ તમારો પાસવર્ડ્સ ચોરવા માટે કરી રહ્યા છે Gemini નો ઉપયોગ, આ રીતે બચો
ખત્મ જઈ જશે UGC, AICTE અને NCTE, નવું આયોગ બનાવશે સરકાર, બિલ લાવવાની તૈયારી
ખત્મ જઈ જશે UGC, AICTE અને NCTE, નવું આયોગ બનાવશે સરકાર, બિલ લાવવાની તૈયારી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish: ગરીબોના નામે કોનું કલ્યાણ ?
Hun To Bolish: ખેડૂતોનો કોણે કર્યો ખેલ ?
Hun To Bolish: મંત્રીથી જનતા...રોડ અને ટોલથી ત્રસ્ત !
Kheda news: ખેડા જિલ્લામાં રઝડતુ ભવિષ્ય, ક્યારે બનશે પ્રાથમિક શાળાના ઓરડા ?
Mehsana Accident News: મહેસાણામાં ST બસ-ઈકો કાર વચ્ચે ભયંકર અકસ્માત, બેના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બે વર્ષમાં રાજ્યમાં 1029 કરોડની વીજચોરી,  દોઢ લાખ વીજગ્રાહકો સામે નોંધાઈ ફરિયાદ
બે વર્ષમાં રાજ્યમાં 1029 કરોડની વીજચોરી, દોઢ લાખ વીજગ્રાહકો સામે નોંધાઈ ફરિયાદ
Gold-Silver Rate: ફરી એક લાખ રૂપિયાને પાર સોનાની કિંમત, જાણો એક કિલો ચાંદીનો ભાવ કેટલે પહોંચ્યો?
Gold-Silver Rate: ફરી એક લાખ રૂપિયાને પાર સોનાની કિંમત, જાણો એક કિલો ચાંદીનો ભાવ કેટલે પહોંચ્યો?
Gmail યૂઝર્સ સાવધાનઃ સ્કેમર્સ તમારો પાસવર્ડ્સ ચોરવા માટે કરી રહ્યા છે Gemini નો ઉપયોગ, આ રીતે બચો
Gmail યૂઝર્સ સાવધાનઃ સ્કેમર્સ તમારો પાસવર્ડ્સ ચોરવા માટે કરી રહ્યા છે Gemini નો ઉપયોગ, આ રીતે બચો
ખત્મ જઈ જશે UGC, AICTE અને NCTE, નવું આયોગ બનાવશે સરકાર, બિલ લાવવાની તૈયારી
ખત્મ જઈ જશે UGC, AICTE અને NCTE, નવું આયોગ બનાવશે સરકાર, બિલ લાવવાની તૈયારી
IND vs ENG: ટીમ ઈન્ડિયા માટે આજે 'કરો યા મરો' મેચ, અંશુલ કંબોજ કરી શકે છે ડેબ્યૂ, નાયરને મળશે વધુ એક તક
IND vs ENG: ટીમ ઈન્ડિયા માટે આજે 'કરો યા મરો' મેચ, અંશુલ કંબોજ કરી શકે છે ડેબ્યૂ, નાયરને મળશે વધુ એક તક
ટીવી સિરિયલ જોઈ પોતાની હત્યાનું નાટક રચ્યું, બે લાખનો વીમો પકવવા મિત્રની કરી હત્યા
ટીવી સિરિયલ જોઈ પોતાની હત્યાનું નાટક રચ્યું, બે લાખનો વીમો પકવવા મિત્રની કરી હત્યા
ITR Filing Last date:  ITR મોડુ ફાઈલ કરવા પર કેટલો થશે દંડ? જાણો કઈ છે અંતિમ તારીખ?
ITR Filing Last date: ITR મોડુ ફાઈલ કરવા પર કેટલો થશે દંડ? જાણો કઈ છે અંતિમ તારીખ?
IND Women vs ENG Women 3rd ODI: 84 બોલમાં ફટકારી તોફાની સદી, હરમનપ્રીત કૌરે ઈગ્લેન્ડમાં રચ્યો ઈતિહાસ
IND Women vs ENG Women 3rd ODI: 84 બોલમાં ફટકારી તોફાની સદી, હરમનપ્રીત કૌરે ઈગ્લેન્ડમાં રચ્યો ઈતિહાસ
Embed widget