શોધખોળ કરો
ગુજરાત પાસેના આ વિસ્તારમાં લગ્ન સમારોહની મળી છૂટ, જાણો કેટલાં મહેમાનોને રાખી શકાશે હાજર ?
ગુજરાત નજીકના સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવનો પણ ગ્રીન ઝોનમાં સમાવેશ થાય છે. આ સંઘ પ્રદેશોમાં લગ્ન સમારંભની છૂટ આપવામાં આવી છે.

વલસાડઃ દેશમાં હાલ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ભારત સરકાર દ્વારા લોકડાઉન 17મી મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે. આ સાથે લોકડાઉનને લઈને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં જિલ્લાઓને વિભાજીત કર્યા છે અને ઓરેન્જ તેમજ ગ્રીન ઝોનમાં અમુક છૂટછાટ આપી છે. ગુજરાત નજીકના સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવનો પણ ગ્રીન ઝોનમાં સમાવેશ થાય છે.
આ સંઘ પ્રદેશોમાં લગ્ન સમારંભની છૂટ આપવામાં આવી છે. જો યોગ્ય બાંહેધરી સાથે પરમીશન માંગવામાં આવશે તો 50 લોકોને લગ્ન સમારંભમાં બોલાવી શકાશે. દરેક મહેમાનની માહિતી પણ આપવી પડશે. નિયમોના પાલન સાથે 50 લોકો વચ્ચે લગ્ન પ્રસંગ યોજી શકાશે.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
દેશ
Advertisement