શોધખોળ કરો

Plane Crash: દુ:ખની ઘડીએ પણ ક્રેડિટ લેવાનો આશય? સાંભળો મૃત્તકના પરિજનને સાંત્વના આપવા ગયેલા આ મંત્રીએ શું કર્યો બફાટ

Plane Crash: મોડાસા ખાતે જ્યારે રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે મૃતક નુસરતજહાના પિતા અને પરિવારજનો સાથે કરી મુલાકાત ત્યારે તેમને કરેલું નિવેદન હાલ ચર્ચામાં આવ્યું છે

Ahmedabad Plane Crash: મોડાસામાં ખાનજી પાર્ક ખાતે મૃતક નુસરતજહાંના પરિજનોને રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર સાંત્વના પાઠવવા માટે મળ્યાં હતા. આ સમયે તેમણે આપેલા નિવેદનના કારણે વિવાદ સર્જાયો છે. તેમણે મીડિયા સમક્ષ રૂબરૂ થતાં જણાવ્યું હતું કે, તેમના કાર્યકર્તાની  ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને તેમણે પ્રશંસનિય માનવતાનું કામ કર્યું છે અને 200 મૃતદેહને બહાર કાઢ્યાં હતા. અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા મૃતકના પરિવારને સાંત્વના પાઠવા ગયેલા મંત્રી ભીખુસિંહ પરમારે આવુ નિવેદન જશ લેવા અને ક્રેડિટ લેવા માટે આપ્યું હોવાની ચર્ચા જાગી છે.

ઉલ્લેખનિય છે કે 12 જૂન અમદાવાદમાં સર્જાયેલા ભયંકર વિમાન દુર્ઘટનામાં  અરવલ્લી જિલ્લાની ત્રણ મહિલાઓએ જિંદગી ગુમાવી છે. જેના પગલે રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે  મૃતકના પરિવારોની મુલાકાત લીદી હતી.  અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃતકનો આંકડો 275 પહોંચ્યો છે. હાલ ડીએનએ રિપોર્ટ માટેની કામગીરી ચાલી રહી છે.

ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ના ડિરેક્ટર પ્રો. ડૉ. SO જુનારે જણાવ્યું હતું કે DNA પરીક્ષણની જવાબદારી NFSU અને ફોરેન્સિક સાયન્સ લેબ (FSL) ની છે. બંને સંસ્થાઓ એકસાથે DNA પરીક્ષણ કરી રહી છે. આવી સ્થિતિમાં, વધુ DNA પરીક્ષણો જરૂરી છે.

આવી સ્થિતિમાં, એક જ શરીર માટે એક કરતાં વધુ પરિવારના સભ્યો DNA નમૂના આપે છે. શરીરના બાકીના કોઈપણ ભાગ, જેમ કે સ્નાયુઓ, દાંત, હાડકાં અથવા અસ્થિ મજ્જાનો નમૂનો લઈને, આપણે એક કલાકમાં DNA પરીક્ષણ કરી શકીએ છીએ. ટુકડાઓમાં તૂટેલા મૃતદેહો માટે પરીક્ષણમાં વધુ સમય લાગી શકે છે.

ડૉ. જુનારે જણાવ્યું હતું કે કુલ 250  મૃતદેહોના નમૂના આવી ગયા છે. પરિવારના સભ્યોના 138  નમૂના NFSU પહોંચ્યા છે અને 138 નમૂના FSL પહોંચ્યા છે. વિદેશી નાગરિકો, અન્ય રાજ્યોના લોકો, પરિવારના સભ્યોના કોઈ નમૂના લેવામાં આવ્યા નથી. 50 ટકા મુસાફરોના મૃતદેહ ખરાબ રીતે બળી ગયા છે. તેમનું DNA પરીક્ષણ એક મોટો પડકાર છે. દાંત, હાડકાં અને અન્ય અવયવોની મદદથી ડીએનએ પરીક્ષણ કરવામાં આવશે.

સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 270 થી વધુ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 220 લોકોના DNA સેમ્પલિંગ કરવામાં આવ્યું છે. 7 મૃતદેહોની ઓળખ થઇ ચૂકી છે.

પીએમ મોદી શુક્રવારે સવારે અમદાવાદ પહોંચ્યા. સૌ પ્રથમ તેમણે ઘટનાસ્થળની મુલાકાત લીધી. આ પછી તેઓ સિવિલ હોસ્પિટલ ગયા, જ્યાં તેમણે લગભગ 10 મિનિટ સુધી પીડિતોને મળ્યા.

વિમાન અકસ્માતની તપાસ  8 એજન્સીઓ કરી રહી છે.  રાષ્ટ્રીય તપાસ એજન્સી, ગુજરાત પોલીસ, એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો (AAIB), નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA), યુનાઇટેડ કિંગડમની એર અકસ્માત તપાસ શાખા (UK-AAIB), યુનાઇટેડ સ્ટેટ્સનું રાષ્ટ્રીય પરિવહન સલામતી બોર્ડ (NTSB), ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) સામેલ છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે, એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 ના દુર્ઘટનાના કારણોની તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બહુ-શાખાકીય સમિતિની રચના કરવામાં આવી છે.

આ સમિતિ આવા અકસ્માતોને રોકવા અને નિયંત્રિત કરવા માટે જાહેર કરાયેલા હાલના માનક સંચાલન પ્રક્રિયાઓ (SOPs) અને માર્ગદર્શિકાઓની સમીક્ષા કરશે, અને ભવિષ્યમાં આવી ઘટનાઓનો સામનો કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શિકા સૂચવશે

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
Embed widget