શોધખોળ કરો

નર્મદા પરિક્રમા મધ્યાંતરે: ભક્તોનો ભારે ધસારો જોતા કલેક્ટરે આ દિવસોમાં પરિક્રમા કરવાની કરી અપીલ

જિલ્લા વહીવટી તંત્ર પરિક્રમાવાસીઓની સેવામાં સજ્જ, તમામ ઘાટ પર સુવિધાઓ ઉપલબ્ધ.

Narmada Parikrama news: નર્મદા જિલ્લામાં ચૈત્ર માસમાં યોજાતી પવિત્ર નર્મદા પરિક્રમા તેના મધ્યાંતર ભાગમાં પહોંચી ગઈ છે. છેલ્લા 15 દિવસથી ચાલી રહેલી આ પરિક્રમામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આગામી 15 દિવસોમાં પણ ભક્તોનો પ્રવાહ યથાવત રહેવાની સંભાવના છે. જિલ્લા કલેકટર એસ. કે. મોદીએ પરિક્રમા કરવા આવતા ભક્તોને સપ્તાહના ચાલુ દિવસોમાં પરિક્રમા કરવા અપીલ કરી છે, જેથી તેઓને વધુ સારી સુવિધાઓ મળી શકે.

કલેકટર એસ. કે. મોદીએ જણાવ્યું હતું કે નર્મદા પરિક્રમા રૂટના દરેક ઘાટ પર શ્રદ્ધાળુઓ માટે તમામ જરૂરી વ્યવસ્થા અને સુવિધાઓ ઉપલબ્ધ છે. જેમાં લાઈટ, પાણી, બેસવાની નાવડીની સુવિધા, સ્નાન માટેની વ્યવસ્થા, ટોયલેટ, રસ્તાની સાફ સફાઈ, પાર્કિંગ અને સેવા કેન્દ્રોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કોઈપણ પ્રકારની કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે SDRFની ટીમો પણ કાર્યરત છે. પોલીસ દ્વારા પરિક્રમાવાસીઓની સલામતી અને આરોગ્યની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

પરિક્રમા કરવા માટે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. કલેકટર મોદીએ શ્રદ્ધાળુઓને વિનંતી કરી છે કે શનિવાર અને રવિવાર તેમજ જાહેર રજાઓના દિવસોમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળે છે. આથી, જો તેઓ જાહેર રજાના બદલે સપ્તાહના ચાલુ દિવસોમાં પરિક્રમા કરે તો વહીવટી તંત્ર તેમને વધુ સારી રીતે સેવા અને સુવિધા પૂરી પાડી શકશે, જેનાથી તેમની પરિક્રમા સુખદ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે.

તેમણે વધુમાં જણાવ્યું કે રાત્રીના સમયે અથવા વહેલી સવારે યાત્રા કરવાથી ગરમી અને તડકાની સમસ્યા પણ નહીં રહે. કલેકટર મોદીએ નર્મદામૈયાની કૃપા સૌના પર બની રહે અને સૌને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેવી કામના પણ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે વહીવટી તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમામ ભક્તો અને શ્રદ્ધાળુઓ સુખરૂપ રીતે અને સારી રીતે પોતાની યાત્રા પૂર્ણ કરે. પરિક્રમા કરી રહેલા ભક્તો પણ વહીવટી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. વહીવટી તંત્રના તમામ કર્મચારીઓ પરિક્રમાવાસીઓની સેવામાં સતત ખડે પગે તત્પર છે અને સૌને શાંતિપૂર્ણ રીતે પરિક્રમા પૂર્ણ કરવા માટે સહકાર આપવા અનુરોધ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
Embed widget