શોધખોળ કરો

ગુજરાત ભાજપ એક્શનમાં: કમલમ ખાતે યોજાઈ કાર્યશાળા, વિનોદ ચાવડાને સોંપાઈ આ મોટી જવાબદારી

પ્રદેશ પ્રમુખ પાટીલની અધ્યક્ષતામાં બેઠક, ૧૪થી ૨૪ એપ્રિલ સુધી રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.

 

  • ગાંધીનગરના કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ભાજપની કાર્યશાળા યોજાઈ.
  • કાર્યશાળામાં બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાનની રૂપરેખા અને કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી.
  • આ અભિયાન ૧૪ એપ્રિલથી ૨૪ એપ્રિલ સુધી ગુજરાતભરમાં ચાલશે અને ડો. આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડશે.
  • ગુજરાતમાં આ અભિયાનની જવાબદારી સાંસદ વિનોદ ચાવડાને સોંપવામાં આવી છે, અને અભિયાન દરમિયાન UCC, વક્ફ અને એક દેશ એક ચૂંટણી જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવશે.
  • ભાજપ એસસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલસિંહ આર્યએ કોંગ્રેસ પર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો અને જણાવ્યું કે ટૂંક સમયમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક થશે.

 

Babasaheb Ambedkar Samman Abhiyan: પ્રદેશ ભારતીય જનતા પાર્ટી (BJP) કાર્યાલય ‘કમલમ’ ખાતે આજે એક મહત્વપૂર્ણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં આગામી બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ્ય બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાનની રૂપરેખા તૈયાર કરવાનો અને કાર્યક્રમોને અંતિમ સ્વરૂપ આપવાનો હતો. આ અભિયાન અંતર્ગત ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતમાં ૧૪ એપ્રિલથી ૨૪ એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોને રાજ્યના નાગરિકો સુધી પહોંચાડવામાં આવશે.

ગુજરાતમાં આ સમગ્ર અભિયાનની જવાબદારી સાંસદ વિનોદ ચાવડાને સોંપવામાં આવી છે. વિનોદ ચાવડાની સાથે આ કમિટીમાં ગૌતમ ગેડીયા, કમલેશ મીરાણી, અનિતા પરમાર અને વિક્રમ તરસાડીયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ અભિયાન દરમિયાન ભાજપ યુનિફોર્મ સિવિલ કોડ (UCC), વક્ફ બોર્ડના મુદ્દાઓ અને એક દેશ એક ચૂંટણી જેવા મહત્વના વિષયોને લઈને લોકો વચ્ચે જશે.

કાર્યશાળામાં ઉપસ્થિત ભાજપ એસસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલસિંહ આર્યએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકરનું ક્યારે અને કેટલું અપમાન કર્યું છે તે વાતને ભાજપ લોકો સુધી લઈ જશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકરને અનેક રીતે અપમાનિત કર્યા છે અને ભાજપ આ વાત નાગરિકોને જણાવશે.

આ ઉપરાંત, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અંગે નિવેદન આપતા લાલસિંહ આર્યએ કહ્યું હતું કે ભાજપ પક્ષમાં રાષ્ટ્રીય અધ્યક્ષ કોઈ પાંચ લોકો નક્કી નથી કરતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ટૂંક સમયમાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે. આ કાર્યશાળા બાબા સાહેબ આંબેડકરના વિચારોને લોકો સુધી પહોંચાડવા અને પક્ષના સંગઠનને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Soup Recipe: સ્વાસ્થ્ય માટે વરદાન છે કાળા ચણાનું સૂપ; જાણો તેને તૈયાર કરવાની સિમ્પલ રેસીપી
Soup Recipe: સ્વાસ્થ્ય માટે વરદાન છે કાળા ચણાનું સૂપ; જાણો તેને તૈયાર કરવાની સિમ્પલ રેસીપી
Iran-US Tensions:ઇરાની અધિકારીએ મંશા કરી વ્યક્ત, માદુરો જેવો જ વ્યવહાર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ થવો જરૂરી
Iran-US Tensions:ઇરાની અધિકારીએ મંશા કરી વ્યક્ત, માદુરો જેવો જ વ્યવહાર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ થવો જરૂરી
Union Budget 2026:સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી થશે શરૂ,ઇતિહાસમાં પહેલી વાર રવિવારે સામાન્ય બજેટ થશે રજૂ
Union Budget 2026:સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી થશે શરૂ,ઇતિહાસમાં પહેલી વાર રવિવારે સામાન્ય બજેટ થશે રજૂ
Embed widget