શોધખોળ કરો

ગુજરાત ભાજપ એક્શનમાં: કમલમ ખાતે યોજાઈ કાર્યશાળા, વિનોદ ચાવડાને સોંપાઈ આ મોટી જવાબદારી

પ્રદેશ પ્રમુખ પાટીલની અધ્યક્ષતામાં બેઠક, ૧૪થી ૨૪ એપ્રિલ સુધી રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.

 

  • ગાંધીનગરના કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ભાજપની કાર્યશાળા યોજાઈ.
  • કાર્યશાળામાં બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાનની રૂપરેખા અને કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી.
  • આ અભિયાન ૧૪ એપ્રિલથી ૨૪ એપ્રિલ સુધી ગુજરાતભરમાં ચાલશે અને ડો. આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડશે.
  • ગુજરાતમાં આ અભિયાનની જવાબદારી સાંસદ વિનોદ ચાવડાને સોંપવામાં આવી છે, અને અભિયાન દરમિયાન UCC, વક્ફ અને એક દેશ એક ચૂંટણી જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવશે.
  • ભાજપ એસસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલસિંહ આર્યએ કોંગ્રેસ પર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો અને જણાવ્યું કે ટૂંક સમયમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક થશે.

 

Babasaheb Ambedkar Samman Abhiyan: પ્રદેશ ભારતીય જનતા પાર્ટી (BJP) કાર્યાલય ‘કમલમ’ ખાતે આજે એક મહત્વપૂર્ણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં આગામી બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ્ય બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાનની રૂપરેખા તૈયાર કરવાનો અને કાર્યક્રમોને અંતિમ સ્વરૂપ આપવાનો હતો. આ અભિયાન અંતર્ગત ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતમાં ૧૪ એપ્રિલથી ૨૪ એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોને રાજ્યના નાગરિકો સુધી પહોંચાડવામાં આવશે.

ગુજરાતમાં આ સમગ્ર અભિયાનની જવાબદારી સાંસદ વિનોદ ચાવડાને સોંપવામાં આવી છે. વિનોદ ચાવડાની સાથે આ કમિટીમાં ગૌતમ ગેડીયા, કમલેશ મીરાણી, અનિતા પરમાર અને વિક્રમ તરસાડીયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ અભિયાન દરમિયાન ભાજપ યુનિફોર્મ સિવિલ કોડ (UCC), વક્ફ બોર્ડના મુદ્દાઓ અને એક દેશ એક ચૂંટણી જેવા મહત્વના વિષયોને લઈને લોકો વચ્ચે જશે.

કાર્યશાળામાં ઉપસ્થિત ભાજપ એસસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલસિંહ આર્યએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકરનું ક્યારે અને કેટલું અપમાન કર્યું છે તે વાતને ભાજપ લોકો સુધી લઈ જશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકરને અનેક રીતે અપમાનિત કર્યા છે અને ભાજપ આ વાત નાગરિકોને જણાવશે.

આ ઉપરાંત, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અંગે નિવેદન આપતા લાલસિંહ આર્યએ કહ્યું હતું કે ભાજપ પક્ષમાં રાષ્ટ્રીય અધ્યક્ષ કોઈ પાંચ લોકો નક્કી નથી કરતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ટૂંક સમયમાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે. આ કાર્યશાળા બાબા સાહેબ આંબેડકરના વિચારોને લોકો સુધી પહોંચાડવા અને પક્ષના સંગઠનને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, અનેક લોકોના મોત
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, અનેક લોકોના મોત
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
Flight Attendant Rules: ફ્લાઈટમાં એર હોસ્ટેસ નથી કરી શકતી આ કામ, નિયમોના ભંગ બદલ થાય છે કાર્યવાહી
Flight Attendant Rules: ફ્લાઈટમાં એર હોસ્ટેસ નથી કરી શકતી આ કામ, નિયમોના ભંગ બદલ થાય છે કાર્યવાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, અનેક લોકોના મોત
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, અનેક લોકોના મોત
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
Flight Attendant Rules: ફ્લાઈટમાં એર હોસ્ટેસ નથી કરી શકતી આ કામ, નિયમોના ભંગ બદલ થાય છે કાર્યવાહી
Flight Attendant Rules: ફ્લાઈટમાં એર હોસ્ટેસ નથી કરી શકતી આ કામ, નિયમોના ભંગ બદલ થાય છે કાર્યવાહી
થાઈલેન્ડમાં નવા વર્ષની ઉજવણી કરતો જોવા મળ્યો MS Dhoni, પુત્રી ઝીવાના લુકે ચોંકાવ્યા
થાઈલેન્ડમાં નવા વર્ષની ઉજવણી કરતો જોવા મળ્યો MS Dhoni, પુત્રી ઝીવાના લુકે ચોંકાવ્યા
Premanand Maharaj Video: પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કેવી રીતે કરવી જોઈએ 2026 ના પહેલા દિવસની ઉજવણી
Premanand Maharaj Video: પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કેવી રીતે કરવી જોઈએ 2026 ના પહેલા દિવસની ઉજવણી
દેશમાં કેટલા પ્રકારના છે રેલવે સ્ટેશન? જંક્શન-સેન્ટ્રલ સિવાય અન્ય વિશે પણ જાણો
દેશમાં કેટલા પ્રકારના છે રેલવે સ્ટેશન? જંક્શન-સેન્ટ્રલ સિવાય અન્ય વિશે પણ જાણો
Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
Embed widget