![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
હવે રવિવારે રસીકરણ કેંદ્ર બંધ નહીં રહે, જાણો ક્યા લોકોને રસી મળશે અને કોને નહીં મળે ?
ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે.
![હવે રવિવારે રસીકરણ કેંદ્ર બંધ નહીં રહે, જાણો ક્યા લોકોને રસી મળશે અને કોને નહીં મળે ? Now the vaccination center will not be closed on Sunday but only these people will get the corona vaccine, know the details હવે રવિવારે રસીકરણ કેંદ્ર બંધ નહીં રહે, જાણો ક્યા લોકોને રસી મળશે અને કોને નહીં મળે ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/10/3d528102f8c33e6ad32304ed2a18b918_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર સામે લડવા રસીકરણ અભિયાન તેજ બનાવાયુ છે. હવે રવિવારે રજા નહીં પણ રસીનો બીજો ડોઝ આપવામાં આવશે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ થાળે પડી રહી છે. પરંતુ સામે કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. એવામાં કોરોનાની ત્રીજી લહેર પહેલા વધુને વધુ લોકોને રસીકરણમાં આવરી લેવા રાજ્ય સરકારે સઘન પ્રયાસો હાથ ઘર્યા છે. હવે રસીકરણ કેંદ્ર પર રજા રહેશે નહીં, પણ લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવશે.
ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં 28 જૂલાઈના રોજ કોરોનાના નવા 30 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 57 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.74 ટકા થયો છે. રાજ્યમાં ગઈકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં 3,69,164 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
અત્યાર સુધી 285 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 280 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,413 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10076 લોકોનાં મોત થઇ ચુક્યા છે. જો કે કોરોનાને કારણે ગઈકાલે એક પણ દર્દીનું મોત થયું નથી. જે ગુજરાત માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 30 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 57 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં રસીકરણ
રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 110 લોકોને પ્રથમ અને 8373 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારે ઉંમરના 64615 લોકોને રસીનો પ્રથમ અને 63370 લોકોને રસીનો બીજો ડોઝ આજ અપાયો હતો. 18-45 વર્ષના 187414 લોકોને રસીનો પ્રથમ અને 45282 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે રાજ્યમાં ગઈકાલે કુલ 3,69,164 લોોકનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં ગુજરાતનાં કુલ 3,21,75,416 લોકોનું રસીકરણ થઇ ચુક્યું છે.
ક્યાં નોંધાયા સૌથી વધુ કેસ
સુરત કોર્પોરેશનમાં 8, અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત 3, વડોદરા કોર્પોરેશનમાં 3, મહેસાણા 2,પંચમહાલ 2, રાજકોટ કોર્પોરેશન 2, અમરેલી 1, આણંદ 1, જામનગર 1, જામનગર કોર્પોરેશન 1, કચ્છ 1 અને વડોદરામાં 1 કેસ નોંધાયો હતો.
અહીં ન નોંધાયો એક પણ કેસ
અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, મહિસાગર, મોરબી, નર્મદા, નવસારી, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)