શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સોમનાથ મંદિરમાં દર્શન માટે પાસ સિસ્ટમ લાગુ, દર્શનના સમયમાં પણ ફેરફાર
વેરાવળ તાલુકાના લોકો માટે પાસ સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે.
![સોમનાથ મંદિરમાં દર્શન માટે પાસ સિસ્ટમ લાગુ, દર્શનના સમયમાં પણ ફેરફાર pass system in Somnath Mahadev Temple સોમનાથ મંદિરમાં દર્શન માટે પાસ સિસ્ટમ લાગુ, દર્શનના સમયમાં પણ ફેરફાર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/22034553/Somnath-temple.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગીર સોમનાથ: પવિત્ર શ્રાવણ મહીનાથી શરૂઆત થઈ ગઈ છે. સોમનાથ મંદિર ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. સોમનાથમાં આજે ભાવિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયા બાદ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને સોમનાથ ટ્રસ્ટે સંકલન બેઠક કરી હતી. સોમનાથ મંદિરમાં દર્શન માટે પાસ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.
હવેથી સોમનાથ મંદિરમાં દર્શન કરવામાં માટે પાસ સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે. વેરાવળ તાલુકાના લોકો માટે પાસ સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે. તાલુકાની બહારના દર્શનાર્થી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન બાદ જ દર્શન કરવાની પરવાનગી મળશે.
સોમનાથ મંદિરના દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. સવારે 5.30 થી 6.30, બપોરે 12.30 થી 6.30 અને સાંજે 7.30 થી 9.15 સુધીનો સમય રાખવામાં આવ્યો છે. આ તમામ નિયમો શનીવારથી લાગુ પડશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)