શોધખોળ કરો

પાટણ જીલીયાકાંડ: અલ્પેશ ઠાકોરની લાલ આંખ બાદ SP નો સપાટો, LCB ના 4 પોલીસકર્મી સસ્પેન્ડ, ઠાકોર સમાજની સભા મોકૂફ

આરોપીઓના સરઘસમાં બેદરકારી અને નિર્દોષોને માર મારવાના આક્ષેપ બાદ હસમુખસિંહ, અતુલકુમાર, કુલદીપકુમાર અને કિરણભાઈને કરાયા સસ્પેન્ડ; કાર્યવાહી થતાં 23 માર્ચનું મહાસંમેલન રદ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • જીલીયાકાંડ બાદ LCBના 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરાયા.
  • નિર્દોષ લોકોને માર મારવા બદલ કાર્યવાહી કરાઈ.
  • ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની રજૂઆત બાદ પગલાં.
  • મહાસંમેલન મોકૂફ રખાયું, સમાજ દ્વારા નિર્ણય.
  • ૪ પોલીસકર્મી સસ્પેન્ડ: પાટણના જીલીયાકાંડમાં LCB ના ૪ પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરાયા.
  • નિર્દોષોને માર: પોલીસ પર સરઘસમાં બેદરકારી અને નિર્દોષોને માર મારવાનો આક્ષેપ છે.
  • અલ્પેશ ઠાકોરનો વિરોધ: ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પોલીસની આ એકતરફી કામગીરીનો ઉગ્ર વિરોધ કર્યો.
  • SP નો સપાટો: રજૂઆત બાદ SP એ તાત્કાલિક એક્શન લઈને પોલીસકર્મીઓ સામે પગલાં લીધા.
  • મહાસંમેલન રદ: યોગ્ય કાર્યવાહી થતાં ૨૩ માર્ચનું ઠાકોર સમાજનું મહાસંમેલન મોકૂફ રખાયું.

Patan Ziliyakand: પાટણમાં બનેલા ચકચારી જીલીયાકાંડ મામલે પોલીસની કામગીરીમાં મોટો વળાંક આવ્યો છે. ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનોની ઉગ્ર રજૂઆત બાદ પાટણ જિલ્લા પોલીસ વડા (SP) એ મોટી કાર્યવાહી કરતા LCB ના 4 પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા સમયે દાખવેલી બેદરકારી અને નિર્દોષ લોકોને માર મારવાના ગંભીર આક્ષેપોને પગલે આ એક્શન લેવામાં આવ્યા છે. SP ની આ કડક કાર્યવાહી બાદ, ન્યાય માટે 23 માર્ચે યોજાનારું ઠાકોર સમાજનું મહાસંમેલન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, જીલીયાકાંડ બાદ પોલીસે કેટલાક આરોપીઓને પકડીને જાહેરમાં તેમનો વરઘોડો કાઢ્યો હતો. પરંતુ, આ કાર્યવાહી પર ભાજપના જ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સવાલો ઉઠાવીને પોલીસ પર એકતરફી કામગીરી કરવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્સ્ટેબલોએ માત્ર ગુનેગારોને જ નહીં, પરંતુ કેટલાક નિર્દોષ લોકોને પણ જાહેરમાં ઢોર માર માર્યો છે, જે બિલકુલ ચલાવી લેવાય નહીં.

અલ્પેશ ઠાકોરે પાટણ SP સાથે મુલાકાત કરીને આક્રમક માંગ કરી હતી કે જો કાયદાનો દંડો બતાવવો જ હોય તો બંને જૂથના નામાંકિત ગુનેગારોના સરઘસ નીકળવા જોઈએ. નિર્દોષ વ્યક્તિઓએ જે માર ખાધો છે તેમને ન્યાય મળવો જ જોઈએ અને આવા પોલીસ કર્મચારીઓ સામે દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ. આ રજૂઆત બાદ SP એ ફરજમાં બેદરકારી દાખવવા બદલ LCB માં ફરજ બજાવતા 4 પોલીસ કર્મચારીઓ - હસમુખસિંહ, અતુલકુમાર, કુલદીપકુમાર અને કિરણભાઈને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા છે.

પોલીસના મારનો ભોગ બનેલા નિર્દોષ લોકોને ન્યાય અપાવવા માટે ઠાકોર સમાજ દ્વારા 23 માર્ચના રોજ એક વિશાળ મહાસંમેલન બોલાવવામાં આવ્યું હતું. પરંતુ, અલ્પેશ ઠાકોર અને સમાજના આગેવાનોની SP સાથેની સકારાત્મક મુલાકાત અને ત્યારબાદ 4 પોલીસકર્મીઓ પર લેવાયેલા આ સસ્પેન્શનના કડક પગલાંને પગલે, હવે સમાજે આ સભા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.

Frequently Asked Questions

પાટણમાં જીલીયાકાંડ મામલે LCB ના કેટલા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે?

પાટણ LCB ના 4 પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પોલીસ કર્મચારીઓને શા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે?

આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢતી વખતે દાખવેલી બેદરકારી અને નિર્દોષ લોકોને માર મારવાના ગંભીર આક્ષેપોને પગલે તેમને સસ્પેન્ડ કરાયા છે.

પોલીસ કાર્યવાહી સામે કોણે વાંધો ઉઠાવ્યો હતો?

ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પોલીસ પર એકતરફી કામગીરી કરવાનો આરોપ લગાવ્યો હતો અને નિર્દોષ લોકોને માર મારવાની વાત કરી હતી.

પોલીસ કાર્યવાહી બાદ ઠાકોર સમાજે શું નિર્ણય લીધો છે?

SP દ્વારા લેવાયેલા પગલાં બાદ, પોલીસના મારનો ભોગ બનેલા નિર્દોષ લોકોને ન્યાય અપાવવા માટે 23 માર્ચે યોજાનારું મહાસંમેલન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
4 સિસ્ટમ સક્રિય થતા આ તારીખથી રાજ્યમાં ધમાકેદાર વરસાદની હવામાન વિભાગની આગાહી
4 સિસ્ટમ સક્રિય થતા આ તારીખથી રાજ્યમાં ધમાકેદાર વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget