શોધખોળ કરો

પ્રથમ વખત પોરબંદરના કોઈ સાંસદ કેન્દ્રીય સરકારમાં મંત્રી બનશે, જાણો મનસુખ માંડવિયા વિશે

આ વખતે મનસુખ માંડવિયાને ભાજપે પોરબંદરથી ટીકીટ આપી હતી. અહીં તેમની સાથે કોંગ્રેસે લલિત વસોયાને મેદાનમાં ઉતાર્યા હતા. આ સીટ પર મનસુખ માંડવિયાની 383360 મતોથી જીત થઈ હતી.

Porbandar MP Mansukh Mandaviya: નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ પહેલા એનડીએના સાથી પક્ષોના સાંસદોને મંત્રી બનાવવાના ફોન આવવા લાગ્યા છે. હાલ સૂત્રોનું માનીએ તો ગુજરાતમાંથી અમિત શાહ અને મનસુખ માંડવિયાનું કેન્દ્રીય મંત્રી બનવાનું નક્કી મનાઈ રહ્યું છે. તો ગુજરાતથી રાજ્યસભાના સાંસદ એસ. જયશંકરને પણ કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે. તો પરશોત્તમ રૂપાલા મોદી સરકાર 3.0માં મંત્રી મંડળમાંથી આઉટ થઈ શકે છે. તેનો ફરી મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવે તેવી શક્યતાઓ નહીંવત છે.

નોંધનીય છે કે, આ વખતે મનસુખ માંડવિયાને ભાજપે પોરબંદરથી ટીકીટ આપી હતી. અહીં તેમની સાથે કોંગ્રેસે લલિત વસોયાને મેદાનમાં ઉતાર્યા હતા. આ સીટ પર મનસુખ માંડવિયાની 383360 મતોથી જીત થઈ હતી. તેમને કુલ 633118 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના લલિત વસોયાને કુલ 249758 મત મળ્યા હતા.

મનસુખ માંડવિયાનો જન્મ 1 જુલાઈ, 1972ના રોજ ભાવનગર, ગુજરાત ખાતે થયો હતો. તે એક સામાન્ય પરિવારમાંથી આવતા હતા અને તેના પિતા વ્યવસાયે ખેડૂત હતા. માંડવીયા પાટીદાર સમાજના લેઉઆ સમુદાયના છે, જેને ગુજરાતના રાજકારણમાં મહત્વની ભૂમિકા માનવામાં આવે છે. મનસુખભાઈ શરૂઆતથી જ સારો અભ્યાસ કર્યો છે અને તેના પરિવારમાં સૌથી નાના છે. તેને કુલ ચાર ભાઈઓ છે, જેમાંથી તે સૌથી નાનો હોવાનું કહેવાય છે. બીજેપીના અન્ય નેતાઓની જેમ મનસુખભાઈએ પણ પ્રારંભિક જીવન એબીવીપી અને સંઘ સાથે વિતાવ્યું છે.

જેઓ તેમને ઓળખે છે તેઓ કહે છે કે માંડવિયાએ ભાજપની યુવા પાંખ, સંઘ અને એબીવીપી સાથે કામ કર્યું છે. એવું માનવામાં આવે છે કે તેમણે તેમની રાજકીય સફર પણ અહીંથી શરૂ કરી હતી. એક સમયે માંડવિયા ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન પણ રહી ચૂક્યા છે. માંડવિયા માત્ર 28 વર્ષની ઉંમરે પાલીતાણા મતવિસ્તારમાંથી ચૂંટણી જીત્યા અને સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા. જાણકારોનું કહેવું છે કે મનસુખ માંડવિયાને પદયાત્રાઓ કાઢવાનો ઘણો શોખ છે, તેઓ રાજકારણમાં યાત્રાઓનું મહત્વ સારી રીતે સમજે છે. આ કારણોસર, તેમણે 2005માં ધારાસભ્ય તરીકે તેમની પ્રથમ 123 કિલોમીટર લાંબી પદયાત્રા કાઢી હતી. આ પછી પણ આ સિલસિલો ચાલુ રહ્યો અને માંડવીયાએ અનેક પદયાત્રાઓ કાઢી. ગત લોકસભા ચૂંટણી દરમિયાન માંડવિયાએ 150 કિલોમીટર લાંબી યાત્રા કરી હતી.

એક રીતે મનસુખ માંડવિયાને મોદી સરકારના સંકટ મોચક તરીકે પણ જોવામાં આવે છે. જ્યારે દેશમાં કોરોનાનો પ્રકોપ હતો અને હર્ષવર્ધન સિંહને રાજીનામું આપવાની ફરજ પડી હતી, ત્યારે મુશ્કેલ સમયમાં પીએમ મોદીએ માંડવિયામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તેમના દ્વારા આવા ઘણા પગલાં લેવામાં આવ્યા હતા જેની આજે પણ પ્રશંસા થાય છે. પછી તે ઘણી જરૂરી દવાઓના દરમાં ઘટાડો કરવા અથવા સ્ટંટના ભાવમાં ઘટાડો કરવા.

પોરબંદર બેઠક

રાજકીય સમીકરણની વાત કરીએ તો આ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે, 1991થી અત્યાર સુધી કોંગ્રેસ અહીં માત્ર 2009માં જ જીતી શકી હતી. હાલમાં અહીંથી સાંસદ રમેશ ભાઈ ધડુક હતા જેમણે કોંગ્રેસના લલિત વસોયાને હરાવ્યા હતા. 1977માં પહેલીવાર અહીં ચૂંટણી યોજાઈ હતી, પહેલીવાર જનતા પાર્ટીના ઉમેદવાર આ બેઠક પરથી જીત્યા હતા. આ પછી 1980 અને 1984માં અહીંથી કોંગ્રેસના ઉમેદવારો જીત્યા હતા. આ બેઠક 1991માં ભાજપે કબજે કરી હતી અને અત્યાર સુધી આ બેઠક પર છે, 2009માં કોંગ્રેસના વિઠ્ઠલ રાદડિયા અહીંથી જીત્યા હતા, પરંતુ 2013માં તેઓ ભાજપમાં જોડાયા હતા અને પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ પર જીત્યા હતા. આ બેઠક ગોંડલ, જેતપુર ધોરાજી, પોરબંદર કુતિયાણા માણાવદર અને કેશોદ વિધાનસભા બેઠકોની બનેલી છે. અહીંની વસ્તી 21 લાખ છે, જેમાંથી 60 ટકા શહેરોમાં રહે છે. આ બેઠક પાટીદાર મતદારોની છે. તેઓ નક્કી કરે છે કે આ સીટ કયો ઉમેદવાર જીતશે. એવું માનવામાં આવે છે કે અહીં પાટીદાર મતદારો પર ભાજપની પકડ વધુ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Embed widget