શોધખોળ કરો

Porbandar: ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરના રેલવે સ્ટેશનને વિશ્વ કક્ષાનું બનાવવામાં આવશે

પોરબંદર: સરકારની અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પોરબંદર રેલ્વે સ્ટેશનનો સમાવેશ કરી ભારતના ૮૭ રેલવે સ્ટેશન વિશ્વ કક્ષાના બનાવવાની જાહેરાતને પોરબંદરની જનતાએ આવકારી છે.

પોરબંદર:  ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરના રેલવે સ્ટેશનને વિશ્વ કક્ષાનું બનાવવામાં આવશે. સરકારની અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પોરબંદર રેલ્વે સ્ટેશનનો સમાવેશ કરી ભારતના ૮૭ રેલવે સ્ટેશન વિશ્વ કક્ષાના બનાવવાની જાહેરાતને પોરબંદરની જનતાએ આવકારી તથા પોરબંદરથી વધુ લાંબા રુટની ટ્રેન આપવામાં આવે તેવી માંગ પણ કરી છે.

પોરબંદર સહિત ભારત દેશના ૮૭ રેલવે સ્ટેશનનો સમાવેશ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કરાયો છે, અને આ રેલ્વે સ્ટેશનને વિશ્વ કક્ષાના બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે વિભાગના મિનિસ્ટરનો આભાર વ્યક્ત કરી જિલ્લા ભાજપે સરકારની આ જાહેરાતને આવકારી છે. પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ મોઢવાડિયાએ જણાવ્યું છે કે કેન્દ્રીય રેલવે મંત્રીને પોરબંદર સહિત રાજકોટ અને સૌરાષ્ટ્ર ગુજરાતના રેલ્વે સ્ટેશન વિકસાવવા માટે ભલામણ કરવામાં આવી હતી. અને કેન્દ્રના બજેટમાં પોરબંદર સહિત ગુજરાતના ૮૭ રેલવે સ્ટેશનનો અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિશ્વ કક્ષાના બનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. 

પોરબંદર સહિત દેશના ૮૭ રેલવે સ્ટેશનને વિશ્વ કક્ષાના બનાવવાની જાહેરાત કરવામાં આવી હોવાની ખુશી વ્યક્ત કરવામાં આવી છે. રેલ્વે દ્વારા ફલાઈવ ઓવર અને અંડર બ્રિજ બનાવવામાં આવ્યા છે. તેમજ વન સ્ટેશન વન પ્રોડકટ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. આ વિકાસલક્ષી સુવિધાઓ પૂરી પાડવા માટે કેન્દ્ર સરકારે મહત્વની જાહેરાત કરી છે. બજેટમાં રેલવે માટે ઘણી જાહેરાત કરવામાં આવી છે. જેમાં બે લાખ ચાલીસ હજાર કરોડના ખર્ચે રેલવેની નવી લાઈનો નાખવી નવી ટ્રેનો સહિતના કામોમાં ખર્ચ કરવામાં આવશે. અને ૨૦૨૬ સુધીમાં મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન શરૂ થાય તેવી સંભાવના છે.

પોરબંદરના રેલ્વે સ્ટેશનને વિશ્વ કક્ષાનું બનવાની જાહેરાતને પોરબંદર પેસેન્જર અસોસિએસન દ્વારા આવકારવામાં આવી છે. આ ઉપરાંત પોરબંદર રેલ્વે સ્ટેશનમાં ધણીબધી મુશ્કેલીઓનો સામનો યાત્રિકોએ કરતાં આવે છે, જેમ કે લાંબા અંતરની ટ્રેન પ્લેટફોર્મ નંબર 3 પર આવતી હોવાથી યાત્રિકોને ઓવેરબ્રિજ પરથી આવન જાવન કરવું પડે છે. અહિયાં કોઈપણ એક્સિલએટર અથવા તો લિફ્ટની કોઈ સગવડતા નથી, જેથી સિનિયર સિટીજનને વધુ તકલીફ પડે છે. તેમજ પોરબંદરથી રાજકોટ લોકલ ટ્રેન કોરોના સમય દરમ્યાન બંધ થઈ હતી તે ચાલુ કરવી અને વધારાની લાંબા અંતરની ટ્રેન પોરબંદરને આપવાની માંગ કરી છે.

પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ આ જાહેરાત ને આવકારવામાં આવી છે પરંતુ પોરબંદર થી લાંબા અંતરની અને ધાર્મિક સ્થળને જોડતી કોઈ ટ્રેન નથી, છેલ્લા સાતથી આઠ વર્ષમાં કોઈપણ નવી ટ્રેનનો સમાવેશ થયેલ નથી. પોરબંદરથી હરિદ્વાર,પોરબંદરથી મદ્રાસના રુટની ટ્રેન શરૂ કરવી જોઈએ અને પોરબંદર મુંબઈ જે ટ્રેન ચાલે છે તેને સવારે પણ ચાલુ કરવા ઉપરાંત જામનગર,રાજકોટ સાથેની કનેક્ટિવિટી ધરાવતી ટ્રેન આપવાંમાં આવે તેમ જણાવ્યુ હતું. ભારત  સરકારની અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પોરબંદર રેલ્વે સ્ટેશન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાનSurat News: સુરત જિલ્લામાં બુટલેગરનો આતંક, ગભેણી ગામે પોલીસકર્મી સાથે હાથાપાઈ, Video ViralIPL 2025 schedule: IPLની 18મી સીઝનનું શિડ્યૂલ જાહેર, RCB અને KKR વચ્ચે 22 માર્ચે ઓપનિંગ મેચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.