શોધખોળ કરો

ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી હવે ખાનગી સંસ્થા કરશે! કચ્છમાં જાહેરાત બહાર પાડતા ભારે કકળાટ

કચ્છ જિલ્લામાં સરકારી શાળાઓમાં શિક્ષકોની ભારે ઘટ છે. આ સમસ્યાના નિવારણ માટે શ્રી સર્વસેવા સંઘ, ભુજ દ્વારા મુંદ્રા તાલુકામાં 150 હંગામી શિક્ષકોની ભરતી કરવામાં આવશે.

Gujarat Teacher Recruitment 2025: ગુજરાતમાં સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી હવે ખાનગી સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે તેવા સમાચારથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકામાં સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટને પૂરી કરવા માટે 'શ્રી સર્વસેવા સંઘ, ભુજ' નામની સામાજિક સંસ્થા દ્વારા હંગામી ધોરણે 150 શિક્ષકોની ભરતી માટે જાહેરાત આપવામાં આવી છે. આ નિર્ણયને લઈને શિક્ષણ ક્ષેત્રે ખાનગીકરણના મુદ્દે ભારે ચર્ચાઓ અને વિવાદ ઊભો થયો છે.

કચ્છ જિલ્લામાં સરકારી શાળાઓમાં શિક્ષકોની ભારે ઘટ છે. આ સમસ્યાના નિવારણ માટે શ્રી સર્વસેવા સંઘ, ભુજ દ્વારા મુંદ્રા તાલુકામાં 150 હંગામી શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ શિક્ષકોને ₹9,000 નું માસિક માનદ વેતન આપવામાં આવશે. આ ભરતી વર્ષ 2025-26 ના પ્રથમ સત્ર માટે કરવામાં આવી રહી છે. આ ઘટનાને કારણે શિક્ષણ ક્ષેત્રે સરકારની ભૂમિકા પર પ્રશ્નો ઊભા થયા છે અને કોંગ્રેસ દ્વારા પણ જિલ્લા પંચાયત કક્ષાએ આ મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે.

ખાનગી સંસ્થા કરશે શિક્ષકોની ભરતી

મુંદ્રા તાલુકાની સરકારી શાળાઓમાં શિક્ષકોની ભારે અછત છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, શ્રી સર્વસેવા સંઘ, ભુજ નામની સંસ્થાએ 'જ્ઞાનજ્યોતિ યોજના' હેઠળ હંગામી ધોરણે 150 સ્વ-શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી છે. આ ભરતી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક એમ ત્રણેય સ્તરે કરવામાં આવશે. આ શિક્ષકોને માસિક ₹9,000 નું માનદ વેતન આપવામાં આવશે, અને તેમને નિમણૂક પત્ર સંસ્થા દ્વારા જ આપવામાં આવશે. આ સંસ્થાનું નેતૃત્વ દિવંગત પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાના પુત્ર જીગર છેડા કરી રહ્યા છે.

ભરતી સામે ઉઠતા પ્રશ્નો

આ ભરતી પ્રક્રિયા સામે અનેક સવાલો ઊભા થયા છે. મુખ્ય પ્રશ્ન એ છે કે શું ગુજરાત સરકાર પોતાની શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવા સક્ષમ નથી? શું સરકારી શાળાઓમાં શિક્ષકોની અછતને પૂરી કરવા માટે ખાનગી સંસ્થાઓ પર આધાર રાખવો પડશે? આ ઘટના શિક્ષણ ક્ષેત્રે ખાનગીકરણની વધતી દખલગીરીનો સંકેત આપી રહી છે, જેના કારણે શિક્ષકો અને શિક્ષણની ગુણવત્તા પર અસર થઈ શકે છે.

કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

શિક્ષકોની ઘટનો મુદ્દો કચ્છમાં લાંબા સમયથી ઉગ્ર છે. થોડા દિવસો પહેલા જ જિલ્લા પંચાયતની ઓફિસમાં કોંગ્રેસના કાર્યકરોએ આ મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો. તેમણે સત્તાધારી પક્ષના હોદ્દેદારો પાસેથી રાજીનામાની માંગ કરી હતી. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું, જેનાથી મામલો ગરમાયો હતો.

શિક્ષણની કથળતી સ્થિતિ

કચ્છ જિલ્લામાં, ખાસ કરીને અંતરિયાળ અને છેવાડાના ગામડાઓમાં, શિક્ષણની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં લગભગ 50% મહેકમની ઘટ હોવાના અહેવાલો છે, જેનાથી બાળકોના ભણતર પર ગંભીર અસર થઈ રહી છે. સરકાર દ્વારા આ મુદ્દે કોઈ નક્કર પગલાં ન લેવાતા હવે સામાજિક સંસ્થાઓએ આ જવાબદારી ઉપાડવી પડી છે, જે રાજ્યના શિક્ષણ માળખા માટે એક ચિંતાજનક પરિસ્થિતિ દર્શાવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Embed widget