શોધખોળ કરો

સાબરકાંઠામાં સાર્વત્રિક મેઘમહેર, પિયત સમયે વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ

સપ્તાહના વિરામ બાદ વરસેલા વરસાદને લઈ ખેડૂતો ખુશખુશાલ છે. ખેતપાકોમાં પિયત સમયે વરસાદ વરસતા ખેડૂતો હરખાયા છે. પંથકમાં મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકોનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવેલ છે.

Rainfall in Sabarkantha: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘમહેર થઈ રહી છે. સાબરકાંઠામાં પણ મોડી રાત્રે વરસાદ પડ્યો હતો. જિલ્લાના ઇડર,વડાલી અને હિંમતનગર પંથકમાં વરસાદ વરસ્યો હતો. ઇડર શહેર અને આસપાસના ગ્રામ્ય પંથક લાલોડા,સાપાવાડા, નેત્રમાલી,દરામલી,ગંભીરપુરા સહિતના પંથકમાં મેઘમહેર થઈ છે.

સાથે જ વડાલી શહેર અને ગ્રામ્ય પંથક એવા કુબાધરોલ,ધામડી, વડાલી કંપા,વડગામડા,થુરાવાસ,મેઘ સહિતના પંથકમાં પણ વરસાદ પડ્યો છે. હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય પંથક હડિયોલ, ગઢોડા, હાજીપૂર, આકોદ્રા, કાંકણોલ, ભોલેશ્વર, બેરણાં સહિતના પંથકમાં વરસાદ ખાબક્યો છે.

સપ્તાહના વિરામ બાદ વરસેલા વરસાદને લઈ ખેડૂતો ખુશખુશાલ છે. ખેતપાકોમાં પિયત સમયે વરસાદ વરસતા ખેડૂતો હરખાયા છે. પંથકમાં મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકોનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવેલ છે.

જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં  નોંધાયેલ વરસાદ

ખેડબ્રહ્મા: 46 મિમી

વિજયનગર: 00 મિમી

વડાલી: 64 મિમી

ઇડર: 47 મિમી

હિંમતનગર: 13 મિમી

પ્રાંતિજ: 04 મિમી

તલોદ: 09 મિમી

પોશીના: 23 મિમી

રાજ્યમાં ગઈકાલે સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના સુત્રાપાડામાં અને રાજકોટના ધોરાજીમાં ખાબક્યો છે. સુત્રાપાડામાં 14 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ધોરાજીમાં 10 ઈંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 22 જૂલાઈ સુધી મેઘરાજા ગુજરાત પર મહેરબાન રહેશે. 22 જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું  છે.  

આગામી 30 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 30 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ વરસશે તેવી આગાહી કરી છે.  હાલમાં ડીપ ડિપ્રેશન બન્યું છે જેના કારણે 18થી 22 તારીખ ભારેથી અતિભારે વરસાદ વરસશે.  દક્ષિણ ગુજરાત, વડોદરાથી અમદાવાદ સુધીના વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. મહેસાણા, પાલનપુર, ડીસા, થરાદ અને સાબરકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડશે.

19, 20 અને 21 જુલાઈએ કચ્છ, સૌરાષ્ટ્રના વિસ્તારમાં અતિભારે વરસાદની શક્યતા છે.  19થી 21 જુલાઈના રોજ ભારે પવન સાથે અતિભારે વરસાદ પડશે.  સાબરમતી, નર્મદા અને તાપી નદી બે કાંઠે વહેતી થવાની શક્યતા છે.   સરદાર સરોવર બંધ ઓવરફ્લો થશે. ઓગસ્ટ મહિનામાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ભૂમધ્ય સાગરના 3 જબરદસ્ત સ્ટ્રોમ બની રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં ભારે પવન સાથે દરિયામાં હલચલ વધશે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
GPSC Job 2024: જીપીએસસીમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર સહિત વિવિધ પદ પર નીકળી ભરતી, આવતીકાલથી ભરી શકાશે ઓનલાઇન ફોર્મ
GPSC Recruitment 2024: જીપીએસસીમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર સહિત વિવિધ પદ પર નીકળી ભરતી, આવતીકાલથી ભરી શકાશે ઓનલાઇન ફોર્મ
Water Fasting Benefits: વોટર ફાસ્ટિંગનો વધી રહ્યો છે ક્રેઝ, શું તમે જાણો છો કેટલું કારગર છે
Water Fasting Benefits: વોટર ફાસ્ટિંગનો વધી રહ્યો છે ક્રેઝ, શું તમે જાણો છો કેટલું કારગર છે
Embed widget