શોધખોળ કરો
નોરતામાં વરસાદનું વિઘ્ન પડે તેવી સંભાવના, ગુજરાતના આ વિસ્તારમાં વરસાદની આગાહી
અમદાવાદમાં પણ શનિવારથી વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે.

અમદાવાદઃ આ વખતે નવરાત્રિના પ્રારંભિક નોરતામાં જ વરસાદનું વિઘ્ન પડે તેવી પૂરી સંભાવના છે. રાજ્યમાં વરસાદના વધુ એક રાઉંડથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલમાં રાજ્યમાં ઉત્તર-પૂર્વની દિશાનો પવન છે. આજે છોટાઉદેપુર, નર્મદા-ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી- ગીર સોમનાથ, ભાવનગર, કચ્છ તો આવતીકાલે વલસાડ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર કચ્છ, દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તો સોમવારે રાજકોટ-કચ્છ, જામનગર- દ્વારકામાં અને મંગળવારે આણંદ, ભરૂચ, સુરત, કચ્છમાં 40 કિલોમટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અમદાવાદમાં પણ શનિવારથી વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે.
Before You Go
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ





















