Gujarat Election 2022: મતદાન જાગૃતિ માટે સંતો આવ્યા મેદાન, ઈન્દ્ર ભારતી બાપુએ સાઈકલ રેલી યોજી
Gujarat Assembly Election 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. દરેક પાર્ટીઓ પ્રચાર પ્રસારમાં લાગી ગઈ છે. સરકાર દ્વારા લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

Gujarat Assembly Election 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. દરેક પાર્ટીઓ પ્રચાર પ્રસારમાં લાગી ગઈ છે. સરકાર દ્વારા લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. લોકશાહીના આ સૌથી મોટા ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે તે જરૂરી છે. હવે આ કડીમાં સાધુ સંતોએ પણ મતદાન માટે લોક જાગૃતિ લાવવા મેદાને આવ્યા છે. જૂનાગઢના સાધુ સંતો દ્વારા મતદાનને પ્રોત્સાહન આપવા દ્વારા સાઇકલ રેલી યોજવામાં આવી હતી. મતદાન જાગૃતિ અંગે રેલીના વીડિયો સામે આવ્યા છે. જૂનાગઢના ભવનાથથી કાળવા ચોક સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ઇન્દ્ર ભારતી બાપુ સહિતના સાધુ સંતો જોડાયા હતા. આ તમામ સાધુ સંતોએ લોકોને વધુ મતદાન કરવા અપીલ કરી હતી.
અશોક ગેહલોતે માર્યો ટોણો
ગુજરાત વિધાનસભાની ચૂંટણને લઈને વાતાવરણ ગરમાયું છે. એક બાદ એક નેતા વિરોધી પાર્ટીઓ પર વાર પર વાર કરી રહ્યા છે. હવે આ કડીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે રાજકોટ ખાતે બીજેપી પર પ્રહાર કર્યા છે. રાજકોટમાં અશોક ગેહલોતે પ્રેસ કોન્ફરન્સ કરી આમ આદમી પાર્ટી અને બીજેપીને આડે હાથ લીધી હતી.
તેમણે કહ્યું કે, ભાજપની ગૌરવ યાત્રા નિષ્ફળ ગઈ છે. કેજરીવાલ અહીંયા આવીને ખોટા વાયદાઓ કરે છે. ગુજરાત સરકાર આખી બદલવી પડી. મોરબી દુર્ઘટનામાં કોઈ ખાસ એક્શન લેવામાં નથી આવ્યા. પીએમ મોદીને અહીંયા દર અઠવાડિયે આવવું પડે છે. કોંગ્રેસની ભારત જોડો યાત્રાથી ભાજપ બોખલાયું છે. મેઘા પાટકર અંગે પીએમના નિવેદન અંગે પણ અશોક ગેહલોતે નિવેદન આપ્યું હતું, તેમણે કહ્યું કે, આ કોઈ કોંગ્રેસની યાત્રા નથી. અમે મેઘા પાટકરને રોકી ના શકીએ. તેઓ એનજીઓ તરીકે આવ્યા હતા. તેઓ આ યાત્રામાં રાહુલ ગાંધીને મોરલ સપોર્ટ કરવા માટે આવ્યા હતા. મોંઘવારી અંગે વાત કરવી જોઈએ. ભાજપના પોતાના જ રાજ્યમાં આવી ખરાબ સ્થિતિ છે.























