શોધખોળ કરો

ભારે વરસાદને કારણે સુરેન્દ્રનગર જિલ્લાના કયા કયા ગામ બન્યા સંપર્ક વિહોણાં? જાણો વિગત

લખતર તાલુકાના ઢાંકી ગામ ફરતા ઉમઇ નદીના પૂરના પાણી ફરી વળતા ઢાંકી ગામ સંપર્ક વિહોણું બની ગયું છે. ભારે વરસાદને પગલે લખતર તાલુકાનું કારેલા ગામ સંપર્ક વિહોણું બન્યું છે.

સુરેન્દ્રનગરઃ લખતરના ઢાંકી ગામે જવાના તમામ રસ્તા પૂરના પાણીમાં ડૂબી જતા ઢાંકી ગામ સંપર્ક વિહોણું બન્યું છે. વરસાદને કારણે પાણી ફરી વળ્યા છે. લખતર તાલુકાના ઢાંકી ગામ ફરતા ઉમઇ નદીના પૂરના પાણી ફરી વળતા ઢાંકી ગામ સંપર્ક વિહોણું બની ગયું છે, ત્યારે લીલાપુર અને છારદ ગામ તરફથી ઢાંકી આવવાના રસ્તે ઉમઇ નદીના પાણી ફરતા તમામ રસ્તા બંધ થઈ ગયા છે. ગામ સંપર્ક વિહોણું થઈ ગયું હોય સરકારી તંત્ર દ્વારા યોગ્ય પગલા લઈ સહાય કરાય તે અત્યંત જરૂરી છે. ભારે વરસાદને પગલે લખતર તાલુકાનું કારેલા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. સુરેન્દ્રનગરના લખતરમાં 8 ઇંચ જેટલો વરસાદ તૂટી પડતાં તાલુકો પાણી-પાણી થઈ ગયો છે. કારેલા ગામ જવાના કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તા બંધ થયા છે. વઢવાણ પાસે આવેલા વરસાણી ગામ બેટમાં ફેરવાયું છે. વરસાણી ગામ પાસે કોઝવે પર પાણી આવ્યું છે. ગામની આસપાસ પણ પાણી ભરાયાં છે. લીંબડી લખતર સ્ટેટ હાઈવે પર તાવી નજીક પાણી ભરાયા છે. હાઈવે પર આવેલ કોઝવે પરથી પાણી પસાર થઈ રહ્યું છે. વરસાદ બંધ થવા છતાં પાણી નથી ઓસરી રહ્યા. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, બ્રીજ ન હોવાને કારણે પાણી ભરાઈ રહ્યા છે. તાવી આસપાસ ખેતરો પણ બેટમા ફેરવાયા છે. કપાસ,એરંડા , તલ સહીતના પાકને નુકશાન થયું છે. 20થી વધુ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. લખતર અને વઢવાણમાં 8 ઈંચ વરસાદ પડ્યો છે. ત્યારે ગામને જોડતુ કાચુ નાળુ તૂટ્યુ છે. ગ્રામજનોને અવર જવરમાં પરેશાની થઈ રહી છે. લખતરના તલસાણા ગામે વરસાદથી રસ્તા પર પાણી ભરાયા છે. જેના કારણે ગામમાં પ્રવેશવાનો માર્ગ બંધ થઈ ગયો છે. ઉમઈ નદી બે કાંઠે વહી રહી છે. લખતરનું તલસાણા ગામ બેટમા ફેરવાયું છે. લખતર તાલુકામાં પડેલા ધોધમાર વરસાદને લઈને દેવળીયા ગામનું તળાવ ઓવરફલો થયો છે. તળાવ ઓવરફલો થતા એક તરફનો પાળો તુટી ગયો છે. તળાવ રિપેરિંગ કામગીરી હાથ ધરાઈ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget