શોધખોળ કરો

Surat : AAP નેતા મનોજ સોરઠીયા પર હુમલા મામલે ભાજપનું નિવેદન, 'આવા કોઈ ત્રાગા ચાલવાના નથી'

આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયા પર ગઈ કાલે હુમલો કરવામાં આવ્યો છે. સુરતના સીમાડા નાકા વિસ્તારમાં આપ નેતા પર હુમલો કરવામાં આવ્યો છે. હવે આ મુદ્દે ભાજપનું નિવેદન સામે આવ્યું છે.

સુરત: આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયા પર ગઈ કાલે હુમલો કરવામાં આવ્યો છે. સુરતના સીમાડા નાકા વિસ્તારમાં આપ નેતા પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં મનોજ સોરઠીયા ઘાયલ થયા છે અને તેમને માથું લોહી લુહાણ થયું છે. આમ આદમીના ટ્વિટર હેન્ડલ પર દાવો કરવામાં આવ્યો છે કે, આ હુમલો ભાજપના લોકો દ્વારા કરવામાં આવ્યો છે.

Surat : AAP નેતા મનોજ સોરઠીયા પર હુમલા મામલે ભાજપનું નિવેદન, 'આવા કોઈ ત્રાગા ચાલવાના નથી

આ મામલામાં  કાપોદ્રા પોલીસમાં 8 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. કલમ 323,324, 143,147,148,294ખ,304,506 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.  કાપોદ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ ગુજરાત આપ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ લોકો પાસે મદદ માંગી છે અને તેમને સુરત આવવા આહ્વાન કર્યું છે. તેમણે ગુજરાત આપના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલથી એક વીડિયો મેસેજ મુક્યો છે.

હવે આ મુદ્દે ભાજપના નેતા અને સહપ્રક્તા ઋત્વિજ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપના કાર્યકર્તાઓ સાથે આપના નેતાઓએ ઘર્ષણ કર્યું. આપ આવા ત્રાગાઓ રચી ને ખોટી સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરે છે. સુરતમાં ભાજપના કાર્યકરો છૂટાછવાયા ઊભા હતા, ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પર હુમલો કર્યો. ત્યાર બાદ બંને ટોળા વચ્ચે ઘર્ષણ થયું અને ઇજાઓ પહોંચી. ભાજપના દિનેશભાઈ દેસાઇ, કિશનભાઈ દેસાઇ, કરશનભાઈ સાગઠિયા આ ત્રણને ગંભીર ઇજાઓ થઈ છે. ત્રણેય સુરતની પ્રેરણા હોસ્પિટલમાં દાખલ છે. 

તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટીનો આ સ્વભાવ રહ્યો છે. ચૂંટણી નજીક આવે ત્યારે અરાજકતા ફેલાવવા માટેનો, હિંસા ફેલાવવા માટેનો તેમનો ભૂતકાળ પણ છે અને તેમનો સ્વભાવ પણ છે. ત્યાર બાદ આવા ત્રાગા કરીને સિંપથી મેળવવા માટેનો અને રાજનીતિમાં, સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક પોતાની ઉપસ્થિતિને દર્જ કરાવવા માટેનો હંમેશા આમ આદમી પાર્ટી આ પ્રકારે દંભ કરતી હોય છે. આ જ આમ આદમી પાર્ટી છે, જે ભૂતકાળમાં દારૂ પીને કમલમ પર આવીને કમલમમાં મહિલા કાર્યકરોની છેડતી કરી છે. ત્યાં મારામારી કરી છે. ત્યાં અરાજકતા ફેલાવી છે. બાકી કાયદો કાયદાનું કામ કરશે. પરંતુ આવા કોઈ ત્રાગા ચાલવાના નથી. ગુજરાતની પ્રજા બરોબર આમ આદમી પાર્ટી અને અરાજકતા ફેલાવનાર અર્બન નક્સલવાદીઓને ઓળખે છે અને તેમની ગુજરાતમાં ક્યારેય સ્વીકૃતિ થવાની નથી.

આરોપી તરીકે ફરિયાદીએ નોંધાવેલ નામ 

1 દિનેશ દેસાઈ

2 ભરત ઘેલાની

3 કાંતિ સાનગઠિયા

4 ભાવેશ ઘેલાની

5 કિશન દેસાઈ

6 કલ્પેશ દેવાણી

7 મહેશ સાકરીયા

8 મહેન્દ્ર દેસાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

આ અંગે આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું કે, વિપક્ષના લોકો પર આ રીતે હુમલો કરવો યોગ્ય નથી. ચૂંટણીમાં હાર જીત થતી રહે છે, પરંતુ વિપક્ષને હિંસાથી કચડી નાખવું એ ગુજરાતની સંસ્કૃતિની વિરુદ્ધ છે અને જનતા તેને પસંદ નથી કરતી. હું ગુજરાતના સીએમને અપીલ કરું છું કે ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવે અને દરેકની સુરક્ષા કરે.

 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
'જાદુથી 1 કરોડ લોકો આવી ગયા... અમે બધાને પકડી લઈશું, રાજસ્થાન-બિહાર વેબસાઇટ બંધ', રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર કર્યા પ્રહારો
'જાદુથી 1 કરોડ લોકો આવી ગયા... અમે બધાને પકડી લઈશું, રાજસ્થાન-બિહાર વેબસાઇટ બંધ', રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર કર્યા પ્રહારો
ગોઝારો શુક્રવાર, રાજ્યમાં રક્ષાબંધનના પૂર્વે રોડ અકસ્માતની હારમાળા,10 લોકોના મૃત્યુ
ગોઝારો શુક્રવાર, રાજ્યમાં રક્ષાબંધનના પૂર્વે રોડ અકસ્માતની હારમાળા,10 લોકોના મૃત્યુ
'જે સલમાન સાથે કામ કરશે તેને મારી નાખવામાં આવશે', કપિલ શર્મા ફાયરિંગ કેસમાં લોરેન્સ ગેંગસ્ટરે આપી ધમકી
'જે સલમાન સાથે કામ કરશે તેને મારી નાખવામાં આવશે', કપિલ શર્મા ફાયરિંગ કેસમાં લોરેન્સ ગેંગસ્ટરે આપી ધમકી
Advertisement

વિડિઓઝ

Rajkot Groundnut Theft Case : રાજકોટમાં મગફળીની ચોરીના કેસમાં ચોકીદાર નીકળ્યા ચોર, 4ની ધરપકડ
Surendranagar News : ખનીજના કૂવામાં પડતાં મોતના ભેટેલા યુવકનો 48 કલાક બાદ બહાર કઢાયો મૃતદેહ
Mehsana Accident : મહેસાણામાં કારની ટક્કરે એક્ટિવા પર જતાં 2 લોકોના મોત, ચાલક ફરાર
Surat Accident : સુરતમાં બેફામ કારે સાયકલને ટક્કર મારતા 2ના ઘટનાસ્થળે જ મોત, જુઓ અહેવાલ
Banaskantha Farmers Protest :  પાલનપુરમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, જમીનનું પૂરતું વળતર આપવા માંગ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
'જાદુથી 1 કરોડ લોકો આવી ગયા... અમે બધાને પકડી લઈશું, રાજસ્થાન-બિહાર વેબસાઇટ બંધ', રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર કર્યા પ્રહારો
'જાદુથી 1 કરોડ લોકો આવી ગયા... અમે બધાને પકડી લઈશું, રાજસ્થાન-બિહાર વેબસાઇટ બંધ', રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર કર્યા પ્રહારો
ગોઝારો શુક્રવાર, રાજ્યમાં રક્ષાબંધનના પૂર્વે રોડ અકસ્માતની હારમાળા,10 લોકોના મૃત્યુ
ગોઝારો શુક્રવાર, રાજ્યમાં રક્ષાબંધનના પૂર્વે રોડ અકસ્માતની હારમાળા,10 લોકોના મૃત્યુ
'જે સલમાન સાથે કામ કરશે તેને મારી નાખવામાં આવશે', કપિલ શર્મા ફાયરિંગ કેસમાં લોરેન્સ ગેંગસ્ટરે આપી ધમકી
'જે સલમાન સાથે કામ કરશે તેને મારી નાખવામાં આવશે', કપિલ શર્મા ફાયરિંગ કેસમાં લોરેન્સ ગેંગસ્ટરે આપી ધમકી
જ્યારે અચાનક રસ્તા પર આવી ગયો સિંહ,દ્રશ્ય જોઈને તમારા રુવાડા ઉભા થઈ જશે; વીડિયો વાયરલ
જ્યારે અચાનક રસ્તા પર આવી ગયો સિંહ,દ્રશ્ય જોઈને તમારા રુવાડા ઉભા થઈ જશે; વીડિયો વાયરલ
ઉત્તરકાશીમાં 'ઓપરેશન જિંદગી'ને મોટી સફળતા,  ગુજરાતના 131 પ્રવાસીઓના કરાયા રેસ્ક્યુ, જાણો અપડેટસ
ઉત્તરકાશીમાં 'ઓપરેશન જિંદગી'ને મોટી સફળતા, ગુજરાતના 131 પ્રવાસીઓના કરાયા રેસ્ક્યુ, જાણો અપડેટસ
Richest Indian Cricketers: આ છે ભારતના 7 સૌથી ધનિક ક્રિકેટરો, સંપત્તિનો આંકડો જાણીને ચોંકી જશો
Richest Indian Cricketers: આ છે ભારતના 7 સૌથી ધનિક ક્રિકેટરો, સંપત્તિનો આંકડો જાણીને ચોંકી જશો
Accident: મોરબીના માળિયા નજીક 2 ટ્રક અને કારનો ભયંકર અકસ્માત,  4 લોકો આગમાં ભૂંજાયા, 7 લોકોનું રેસ્ક્યુ
Accident: મોરબીના માળિયા નજીક 2 ટ્રક અને કારનો ભયંકર અકસ્માત, 4 લોકો આગમાં ભૂંજાયા, 7 લોકોનું રેસ્ક્યુ
Embed widget