શોધખોળ કરો

મંદિરોનું સંચાલન હિંદુઓને સોંપવામાં આવે, હિંદુઓની જનસંખ્યા વધારવી જરૂરીઃ સ્વામી સચ્ચિદાનંદ

અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રાંતની પ્રદેશ કાર્યકારીણી બેઠક વડતાલના સ્વામિનારાયણ મંદિરમાં યોજાઇ હતી.

અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રાંતની પ્રદેશ કાર્યકારીણી બેઠક વડતાલના સ્વામિનારાયણ મંદિરમાં યોજાઇ હતી. બેઠકમાં સ્વામી સચ્ચિદાનંદે માંગ કરી હતી કે મંદિરોનું સંચાલન હિંદુઓને સોંપવામાં આવે. તે સિવાય બાલાજી મંદિરની આવક વિધર્મી પાછળ વપરાતી હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો. મંદિરનું સંચાલન સરકાર નહીં હિંદુઓ કરે. મંદિરોની આવક હિંદુઓના હિતમાં જ વાપરવામાં આવે.

તે સિવાય તેમણે કહ્યું હતું કે હિંદુઓની જનસંખ્યા વધારવી જરૂરી છે. હિંદુ પરિવારમાં ઓછામાં ઓછા બે સંતાન જરૂરી છે. બંગાળમાં હિન્દુ તરીકે રહેવું મુશ્કેલ બની ગયું છે. બંગાળ અને બિહારમાં આપના જ ભાઈઓ આપના દુશ્મન બન્યા છે. હિન્દુ ઓની જનસંખ્યા ઘટી છે તેના કારણે હિન્દુઓ સામે સમસ્યા વધી છે. દીકરીઓની સાથે દીકરાઓ પણ વધવા જોઈએ. નૌતમ સ્વામી સહિત 300 સંત સમિતિની બેઠકમાં જોડાયા હતા. દ્વારકામાં થયેલા ડીમોલેશન મુદ્દે સરકારને સંતોએ સમર્થન આપ્યું હતું.

અધ્યક્ષ નૌતમ સ્વામીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેઓએ કહ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં ગર્વથી હિંદુ નહોતું બોલી શકાતુ. કોંગ્રેસના શાસનમાં લઘુમતીને સમર્થન કરતા જ કાયદા બનાવવામાં આવતા. નૌતમ સ્વામીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસ હિંદુ વિરોધી છે તે અમેરિકા જઈને સાબિત કર્યુ છે. અમેરિકામાં કહે છે મુસ્લિમ લીગ સેક્યુલર છે. હિંદુ કટ્ટર હિંદુ નથી એટલે લવ જેહાદ થાય છે. દીકરા-દીકરીઓમાં હિંદુત્વના સંસ્કાર સીંચવા પડશે. આજે ગૌરવથી ભારતનો હિન્દુ કહે છે કે હા હું હિન્દુ છે. અયોધ્યા મંદિર આક્રંતા મુસ્લિમોએ તોડ્યું હતું, જે હવે ફરી બની ગયું છે. અખિલ ભારતીય સંત સમિતિ રાજકીય નહિ રાષ્ટ્ર નિર્માણ માટેનું પ્લેટફોર્મ છે. ભારતમાં 127 હિન્દુ સંપ્રદાય ચાલે છે. ધર્મ રક્ષા, રાષ્ટ્ર રક્ષા, ગૌ રક્ષા અને ગંગા રક્ષા આ ચાર મુખ્ય કાર્યો અખિલ ભારતીય સંત સમિતિના છે. 100 વર્ષ પહેલાં હિન્દુ શબ્દ પ્રચલિત નહોતો. 100 વર્ષ પહેલાં વીર સાવરકરે હિન્દુ શબ્દ આપ્યો હતો. આટલા વર્ષોમાં કોઈએ વીર સાવરકરને યાદ કર્યા નહોતા. અમિતભાઈ અને નરેન્દ્રભાઇએ વીર સાવરકરને સન્માન આપ્યું છે.

લવ જેહાદ અંગે નૌતમ સ્વામીએ કહ્યું હતું કે લવ જેહાદ એટલે નથી થતો કે મુસ્લિમ બળવાન છે. હિન્દુ કટ્ટર હિન્દુ નથી એટલે લવ જેહાદ થાય છે. દીકરા - દીકરીઓમાં હિંદુત્વના સંસ્કાર સીંચવા પડશે. દાન અને ધાર્મિક ઉત્સવમાં લઈ જવા પડશે. તુલસી પૂજન અને ગાયના ઘીનો દીવો કરતા શીખવવું પડશે. હિંદુઓએ જેટલું સહન કર્યું એટલું કોઈએ સહન નથી કર્યું.હિન્દુ માતા અને દીકરીઓએ કેટલું સહન કર્યું તે કોઈએ સહન નથી કર્યું.

ચૈતન્ય શંભુપ્રસાદ મહારાજએ કહ્યું હતું કે મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીએ વિધર્મીએ દબાવેલી જમીન છોડાવી છે. વિધર્મીઓ પાસેની જમીન છોડાવીને ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઇએ હિન્દુઓને પરત કરી છે. સ્વ. હીરાબાને ચૈતન્ય શંભુપ્રસાદ મહારાજે જીજાબાઇ સાથે સરખાવ્યા હતા. હીરાબાએ જો નરેન્દ્રભાઈને જન્મ ના આપ્યો હોત તો પાવાગઢમાં આજે પણ ધજા ના ચડી હોત. 450 વર્ષ જૂનું કલંક પાવાગઢ પર હતું તે નરેન્દ્ર મોદી, સુરેન્દ્ર પટેલે દૂર કર્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના

વિડિઓઝ

ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ
Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ
Embed widget