શોધખોળ કરો

રાજ્યમાં આગામી પાંચ દિવસ આ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ખરીફ પાકની વાવણી શરૂ

રાજ્યમાં સરદાર સરોવર જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના ૪૫.૦૯ ટકા જળસંગ્રહ છે.

રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. ગુજરાતની આસપાસના વિસ્તારમાં વરસાદ ખેંચી લાવે તેવી કોઇ સિસ્ટમ સક્રિય નથી. જેના પગલે આગામી એક સપ્તાહ સુધી નવું લો-પ્રેશર બનવાની શક્યતા નહીં હોવાથી વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં અત્યારસુધી મોસમનો ૮૭.૩૦ મી.મી. વરસાદ થયો છે. જે પાછલા ૩૦ વર્ષની રાજ્યની એવરેજ ૮૪૦ મી.મી.ની સરખામણીએ ૧૦.૩૮ ટકા છે.

હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ ભાવનગર, બોટાદ, મોરબી, ગીર સોમનાથ, અમરેલી, દીવ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જો કે, હાલની સ્થિતિ પ્રમાણે આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડે તેની સંભાવના નથી.

રાજ્યમાં સરદાર સરોવર જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના ૪૫.૦૯ ટકા જળસંગ્રહ છે. ૨૦૬ જળાશયોમાં કુલ સંગ્રહશક્તિના ૩૭.૧૪ ટકા જળસંગ્રહ છે અને ચાર  જળાશયો હાઇ એલર્ટ પર છે. તો ચાલુ વર્ષે અંદાજીત ૬.૮૯૪ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં ૧.૩૯૪ લાખ હેક્ટર વાવેતર થયું હતું.

રાજ્યમાં હવે પાંચ દિવસ મેઘરાજા ખમૈયા કરશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 9.5 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે સારો વરસાદ વરસતા હવે ખેડૂતોએ ખરીફ પાકની વાવણી શરૂ કરી છે. રાજ્યમાં ખરીફ પાકોનું વાવેતર 8.06 ટકા થયું છે. રાજ્યમાં સૌથી વધુ વાવેતર કપાસ અને મગફળીનું વાવેતર થયું છે. વરસાદ વરસશે તેમ આગામી દિવસોમાં વાવેતરમાં પણ વધારો થશે.

અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં 80 હજાર હેકટરમાં કપાસ, મગફળી અને અન્ય પાકોનું વાવેતર કરાયું છે. જે પૈકી 54 હજાર હેકટરમાં તો આગોતરૂ વાવેતર કરી નખાતા ખેડૂતોને ફાયદો થયો છે. વરસાદે વિરામ લેતા ઉપલેટા તાલુકામાં ખેડૂતોએ પાકમાં બેલી શરૂ કરી છે. ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામે મોટાભાગના ખેડૂતોએ કપાસ અને મગફળીનું આગોતરુ વાવેતર કર્યું હતું. હાલ રાજકોટ જિલ્લામાં વાવણી સમયે જ મજૂરોની અછત સર્જાઈ છે. મજૂરો ન મળતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે. કોરોનાના કારણે શ્રમિકો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર ચાલ્યા ગયા હતાં. જે આજ સુધી પરત ન ફરતા શ્રમિકોની અછત સર્જાઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઓરિસ્સા અને બંગાળમાં BJP ક્લિન સ્વીપ કરશે, PM મોદીએ ABP સાથેની ખાસ વાતચીતમાં કર્યો દાવો
ઓરિસ્સા અને બંગાળમાં BJP ક્લિન સ્વીપ કરશે, PM મોદીએ ABP સાથેની ખાસ વાતચીતમાં કર્યો દાવો
GT vs CSK: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતની ધમાકેદાર જીત, ચેન્નાઈની હારથી રોમાંચક થઈ પ્લેઓફની રેસ
GT vs CSK: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતની ધમાકેદાર જીત, ચેન્નાઈની હારથી રોમાંચક થઈ પ્લેઓફની રેસ
Surat News: નિલેશ કુંભાણી અત્યાર સુધી ક્યાં છુપાયો હતો, ખુદ કર્યો ખુલાસો, પ્રતાપ દુધાત અને ભાજપને લઈ કહી આ વાત
Surat News: નિલેશ કુંભાણી અત્યાર સુધી ક્યાં છુપાયો હતો, ખુદ કર્યો ખુલાસો, પ્રતાપ દુધાત અને ભાજપને લઈ કહી આ વાત
Arvind kejriwal: તિહાર જેલમાંથી છૂટ્યા બાદ CM કેજરીવાલે જાણો શું આપ્યું મોટુ નિવેદન
Arvind kejriwal: તિહાર જેલમાંથી છૂટ્યા બાદ CM કેજરીવાલે જાણો શું આપ્યું મોટુ નિવેદન
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : યે ઇલુ ઇલુ ક્યાં હૈ ? । abp AsmitaHun To Bolish : કેમ લાગી આગ ?  । abp AsmitaBanaskantha News । બનાસકાંઠાના ડીસાના મુડેથા ગામમાં ફટાકડાને કારણે લગ્ન મંડપમાં લાગી આગSurat News । સુરતના રાંદેર વિસ્તારમાં યુવાનો ભૂલ્યા ભાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓરિસ્સા અને બંગાળમાં BJP ક્લિન સ્વીપ કરશે, PM મોદીએ ABP સાથેની ખાસ વાતચીતમાં કર્યો દાવો
ઓરિસ્સા અને બંગાળમાં BJP ક્લિન સ્વીપ કરશે, PM મોદીએ ABP સાથેની ખાસ વાતચીતમાં કર્યો દાવો
GT vs CSK: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતની ધમાકેદાર જીત, ચેન્નાઈની હારથી રોમાંચક થઈ પ્લેઓફની રેસ
GT vs CSK: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતની ધમાકેદાર જીત, ચેન્નાઈની હારથી રોમાંચક થઈ પ્લેઓફની રેસ
Surat News: નિલેશ કુંભાણી અત્યાર સુધી ક્યાં છુપાયો હતો, ખુદ કર્યો ખુલાસો, પ્રતાપ દુધાત અને ભાજપને લઈ કહી આ વાત
Surat News: નિલેશ કુંભાણી અત્યાર સુધી ક્યાં છુપાયો હતો, ખુદ કર્યો ખુલાસો, પ્રતાપ દુધાત અને ભાજપને લઈ કહી આ વાત
Arvind kejriwal: તિહાર જેલમાંથી છૂટ્યા બાદ CM કેજરીવાલે જાણો શું આપ્યું મોટુ નિવેદન
Arvind kejriwal: તિહાર જેલમાંથી છૂટ્યા બાદ CM કેજરીવાલે જાણો શું આપ્યું મોટુ નિવેદન
‘મા કા દૂધ પિયા હે તો અકેલે મેરે સામને આના, કિતના પાવર હે દેખ લેંગે’, હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવીનો વીડિયો આવ્યો સામે
‘મા કા દૂધ પિયા હે તો અકેલે મેરે સામને આના, કિતના પાવર હે દેખ લેંગે’, હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવીનો વીડિયો આવ્યો સામે
માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપા ઉમેદવાર અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા વિરુદ્ધ પાટીલને કેમ લખ્યો પત્ર? જાણો
માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપા ઉમેદવાર અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા વિરુદ્ધ પાટીલને કેમ લખ્યો પત્ર? જાણો
Sai Sudharsan Record:  ગુજરાત ટાઈટન્સના સુદર્શને તોડ્યો સચિનનો રેકોર્ડ, આ મામલે બન્યો પ્રથમ ભારતીય
Sai Sudharsan Record: ગુજરાત ટાઈટન્સના સુદર્શને તોડ્યો સચિનનો રેકોર્ડ, આ મામલે બન્યો પ્રથમ ભારતીય
Brij Bhushan Singh: મહિલા રેસલર્સના જાતીય શોષણ મામલે ભાજપ નેતા બ્રિજભૂષણને લાગ્યો ઝટકો, કોર્ટે શું આપ્યો આદેશ
Brij Bhushan Singh: મહિલા રેસલર્સના જાતીય શોષણ મામલે ભાજપ નેતા બ્રિજભૂષણને લાગ્યો ઝટકો, કોર્ટે શું આપ્યો આદેશ
Embed widget