શોધખોળ કરો

હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 

ખેડૂત પરિવારના ચાર સભ્યો ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે જ ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનના નીચા તાર ટ્રેક્ટરની ટ્રોલીને અડકતા ટ્રેક્ટરમાં વીજ કરંટ પ્રસર્યો હતો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હિંમતનગરના લક્ષ્મીપુરામાં ટ્રેક્ટર ટ્રોલી વીજ તારને અડકતા બે ખેડૂતોના મોત.
  • ખેડૂતોએ નીચા લટકતા વીજ તાર અંગે અગાઉ રજૂઆત કરી હતી.
  • હિંમતનગરની હડિયોલ ગામની સીમમાં પણ જોખમી વીજ વાયરો લટકી રહ્યા છે.
  • ગોધરામાં ટ્રાન્સફોર્મર પર ઝાડી અને લટકતા વાયરો જોખમી બન્યા.

હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના નિપજ્યા મોત છે. ખેતરમાં કામ કરતા સમયે ટ્રોલી સાથે વીજ તારને અડકતા ટ્રેક્ટરમાં સવાર ભાઈ-બહેનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ખેડૂત પરિવારના ચાર સભ્યો ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે જ ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનના નીચા તાર ટ્રેક્ટરની ટ્રોલીને અડકતા ટ્રેક્ટરમાં વીજ કરંટ પ્રસર્યો હતો. આ દુર્ઘટનામાં કાળુભાઈ પ્રજાપતિ અને સરોજબેન પ્રજાપતિનું વીજ કરંટ લાગતા મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતા હિંમતનગર ગ્રામ્ય પોલીસે પણ સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે. ઘટનાને પગલે સ્થાનિક ખેડૂતોમાં UGVCL સામે ભારે રોષ છે. ખેડૂતોનો આરોપ છે કે વિસ્તારમાં નીચા લટકતા વીજ તાર અંગે અગાઉ અનેક રજઆતો કર્યા છતાં રિપેરિંગ કરવાની કોઈ કાર્યવાહી કરાતી નથી. ABP અસ્મિતાના રિયાલિટી ચેકમાં પણ અનેક જગ્યાએ જોખમી વીજવાયરલ લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. 

ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ તરફથી ચોમાસા પહેલા ભરઉનાળે વીજકાપ મૂકી સમારકામ કામગીરી હાથ ધરાતી હોવાના તો દાવા થાય છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. હજુ હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટે નિર્દોષોનો જીવ લીધાની ઘટના તાજી જ છે. જોકે UGVCLના નિંભર પ્રશાસનની આંખ હજુ સુધી ખુલી નથી. હિંમતનગરની હડિયોલ ગામની સીમમાં મોતના વાયરો લટકી રહ્યા છે. બે વીજપોલ વચ્ચેથી પસાર થતા વાયરો નીચા જોવા મળ્યા હતા. પરિણામે સ્થિતિ એ છે કે હાથ ઉંચો કરો તો જીવતા વીજ વાયરને અડી શકાય. ખેતરો અને અવરજવરના રસ્તે આટલા નીચા વાયરો હોવા છતાં કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. અહીં સવાલ એ છે કે શું પ્રશાસન અગાઉની ઘટના પરથી કોઈ બોધપાઠ લેશે ખરા?.  જો આ લટકતા વાયરો નિર્દોષોનો ભોગ લે તો જવાબદાર કોણ?. ક્યાં સુધી કામગીરીના માત્ર વાતો થતી રહેશે.

ગોધરામાં વીજ કંપનીના પાપનો પર્દાફાશ

ગોધરામાં વીજ કંપનીના પાપનો પર્દાફાશ થયો હતો. બામરોલી રોડ પર ટ્રાન્સફોર્મર પર ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યાં હતા. અનેક સ્થળોએ વીજ વાયર લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. ચોમાસામાં ખુલ્લામાં વીજ વાયરો લોકો માટે જોખમી બની શકે છે. શું વીજ કંપની કોઈ દુર્ઘટનાની રાહ જોઈને બેઠી છે? જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? 

Frequently Asked Questions

હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટથી કેટલા લોકોના મોત થયા?

હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતો, કાળુભાઈ પ્રજાપતિ અને સરોજબેન પ્રજાપતિના મોત નિપજ્યા છે.

વીજ કરંટ લાગવાનું કારણ શું હતું?

ખેતરમાં કામ કરતી વખતે ટ્રેક્ટરની ટ્રોલી ખેતરની નીચી લટકતી વીજ લાઈનના તારને અડકતા ટ્રેક્ટરમાં વીજ કરંટ પ્રસર્યો હતો.

સ્થાનિક ખેડૂતોનો UGVCL સામે શું રોષ છે?

ખેડૂતોનો આરોપ છે કે વિસ્તારમાં નીચા લટકતા વીજ તાર અંગે અનેક રજઆતો કરવા છતાં UGVCL દ્વારા રિપેરિંગની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

હિંમતનગરની હડિયોલ ગામની સીમમાં વીજવાયરની શું સ્થિતિ છે?

હિંમતનગરની હડિયોલ ગામની સીમમાં બે વીજપોલ વચ્ચેના વીજવાયરો નીચા લટકી રહ્યા છે, જે હાથ ઊંચો કરતાં સ્પર્શી શકાય તેટલા જોખમી છે.

ગોધરામાં વીજ કંપનીના કયા પાપનો પર્દાફાશ થયો?

ગોધરામાં બામરોલી રોડ પર ટ્રાન્સફોર્મર પર ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા હતા અને અનેક સ્થળોએ વીજ વાયર લટકતી હાલતમાં જોવા મળ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot News: ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મૃત્યુ, ડોક્ટર પર બેદરકારીનો આરોપ
Rajkot News: ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મૃત્યુ, ડોક્ટર પર બેદરકારીનો આરોપ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
Advertisement

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Embed widget