હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતો, કાળુભાઈ પ્રજાપતિ અને સરોજબેન પ્રજાપતિના મોત નિપજ્યા છે.
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ
ખેડૂત પરિવારના ચાર સભ્યો ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે જ ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનના નીચા તાર ટ્રેક્ટરની ટ્રોલીને અડકતા ટ્રેક્ટરમાં વીજ કરંટ પ્રસર્યો હતો.

- હિંમતનગરના લક્ષ્મીપુરામાં ટ્રેક્ટર ટ્રોલી વીજ તારને અડકતા બે ખેડૂતોના મોત.
- ખેડૂતોએ નીચા લટકતા વીજ તાર અંગે અગાઉ રજૂઆત કરી હતી.
- હિંમતનગરની હડિયોલ ગામની સીમમાં પણ જોખમી વીજ વાયરો લટકી રહ્યા છે.
- ગોધરામાં ટ્રાન્સફોર્મર પર ઝાડી અને લટકતા વાયરો જોખમી બન્યા.
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના નિપજ્યા મોત છે. ખેતરમાં કામ કરતા સમયે ટ્રોલી સાથે વીજ તારને અડકતા ટ્રેક્ટરમાં સવાર ભાઈ-બહેનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ખેડૂત પરિવારના ચાર સભ્યો ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે જ ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનના નીચા તાર ટ્રેક્ટરની ટ્રોલીને અડકતા ટ્રેક્ટરમાં વીજ કરંટ પ્રસર્યો હતો. આ દુર્ઘટનામાં કાળુભાઈ પ્રજાપતિ અને સરોજબેન પ્રજાપતિનું વીજ કરંટ લાગતા મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતા હિંમતનગર ગ્રામ્ય પોલીસે પણ સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે. ઘટનાને પગલે સ્થાનિક ખેડૂતોમાં UGVCL સામે ભારે રોષ છે. ખેડૂતોનો આરોપ છે કે વિસ્તારમાં નીચા લટકતા વીજ તાર અંગે અગાઉ અનેક રજઆતો કર્યા છતાં રિપેરિંગ કરવાની કોઈ કાર્યવાહી કરાતી નથી. ABP અસ્મિતાના રિયાલિટી ચેકમાં પણ અનેક જગ્યાએ જોખમી વીજવાયરલ લટકતી હાલતમાં જોવા મળ્યા હતા.
ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ તરફથી ચોમાસા પહેલા ભરઉનાળે વીજકાપ મૂકી સમારકામ કામગીરી હાથ ધરાતી હોવાના તો દાવા થાય છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. હજુ હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટે નિર્દોષોનો જીવ લીધાની ઘટના તાજી જ છે. જોકે UGVCLના નિંભર પ્રશાસનની આંખ હજુ સુધી ખુલી નથી. હિંમતનગરની હડિયોલ ગામની સીમમાં મોતના વાયરો લટકી રહ્યા છે. બે વીજપોલ વચ્ચેથી પસાર થતા વાયરો નીચા જોવા મળ્યા હતા. પરિણામે સ્થિતિ એ છે કે હાથ ઉંચો કરો તો જીવતા વીજ વાયરને અડી શકાય. ખેતરો અને અવરજવરના રસ્તે આટલા નીચા વાયરો હોવા છતાં કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. અહીં સવાલ એ છે કે શું પ્રશાસન અગાઉની ઘટના પરથી કોઈ બોધપાઠ લેશે ખરા?. જો આ લટકતા વાયરો નિર્દોષોનો ભોગ લે તો જવાબદાર કોણ?. ક્યાં સુધી કામગીરીના માત્ર વાતો થતી રહેશે.
ગોધરામાં વીજ કંપનીના પાપનો પર્દાફાશ
ગોધરામાં વીજ કંપનીના પાપનો પર્દાફાશ થયો હતો. બામરોલી રોડ પર ટ્રાન્સફોર્મર પર ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યાં હતા. અનેક સ્થળોએ વીજ વાયર લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. ચોમાસામાં ખુલ્લામાં વીજ વાયરો લોકો માટે જોખમી બની શકે છે. શું વીજ કંપની કોઈ દુર્ઘટનાની રાહ જોઈને બેઠી છે? જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ?
Frequently Asked Questions
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટથી કેટલા લોકોના મોત થયા?
વીજ કરંટ લાગવાનું કારણ શું હતું?
ખેતરમાં કામ કરતી વખતે ટ્રેક્ટરની ટ્રોલી ખેતરની નીચી લટકતી વીજ લાઈનના તારને અડકતા ટ્રેક્ટરમાં વીજ કરંટ પ્રસર્યો હતો.
સ્થાનિક ખેડૂતોનો UGVCL સામે શું રોષ છે?
ખેડૂતોનો આરોપ છે કે વિસ્તારમાં નીચા લટકતા વીજ તાર અંગે અનેક રજઆતો કરવા છતાં UGVCL દ્વારા રિપેરિંગની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
હિંમતનગરની હડિયોલ ગામની સીમમાં વીજવાયરની શું સ્થિતિ છે?
હિંમતનગરની હડિયોલ ગામની સીમમાં બે વીજપોલ વચ્ચેના વીજવાયરો નીચા લટકી રહ્યા છે, જે હાથ ઊંચો કરતાં સ્પર્શી શકાય તેટલા જોખમી છે.
ગોધરામાં વીજ કંપનીના કયા પાપનો પર્દાફાશ થયો?
ગોધરામાં બામરોલી રોડ પર ટ્રાન્સફોર્મર પર ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા હતા અને અનેક સ્થળોએ વીજ વાયર લટકતી હાલતમાં જોવા મળ્યા હતા.






















