શોધખોળ કરો

વલસાડના કપરાડામાં આણું વાળવા જતા પરિવારની પીકઅપ વાન પલટી: 6 લોકોના કરુણ મોત, 28 ઈજાગ્રસ્ત

વીરક્ષેત્ર ગામ નજીક ચઢાણ પર પીકઅપ વાનની બ્રેક ફેઈલ થતા સર્જાયો ગોઝારો અકસ્માત. ખુશીના પ્રસંગે જઈ રહેલા પરિવારમાં છવાયો ભારે શોક. 10 ગંભીર ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વલસાડના કપરાડા નજીક લગ્ન પ્રસંગમાં જતી પીકઅપ વાન પલટી.
  • બ્રેક ફેઇલ થતાં 34 મુસાફરો ભરેલી વાન ચઢાણ પર પલટી.
  • અકસ્માતમાં 6 લોકોના મોત, 28 લોકોને ઇજાઓ.
  • પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

Valsad road accident today: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાંથી એક અત્યંત દુઃખદ અને હચમચાવી મૂકે તેવા સમાચાર સામે આવ્યા છે. અહીંના વીરક્ષેત્ર ગામ નજીક એક લગ્ન પ્રસંગમાં 'આણું' વાળવા જઈ રહેલા પરિવારની પીકઅપ વાન અચાનક પલટી ખાઈ ગઈ છે. આ ગોઝારા અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે, જ્યારે વાનમાં સવાર અન્ય 28 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. ખુશીના માહોલ વચ્ચે સર્જાયેલી આ દુર્ઘટનાને કારણે સમગ્ર પંથકમાં અરેરાટી અને પરિવારમાં ભારે માતમ છવાઈ ગયો છે.

કેવી રીતે સર્જાયો આ કાળમુખો અકસ્માત?

મળતી વિગતો મુજબ, આજે (22 એપ્રિલ) આ પરિવાર પીકઅપ વાનમાં બેસીને લગ્ન પ્રસંગની વિધિ પતાવવા માટે જઈ રહ્યો હતો. મુસાફરોથી ભરેલી આ વાન જ્યારે વીરક્ષેત્ર ગામ નજીક એક ચઢાણ વાળા રસ્તા પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક જ ગાડીની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. ઢાળ પર બ્રેક ન લાગવાને કારણે પીકઅપ વાન રિવર્સમાં (પાછળની તરફ) આવવા લાગી હતી. આ અણધારી પરિસ્થિતિમાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો અને જોતજોતામાં ગાડી બેકાબૂ બનીને રોડ પર જ પલટી ખાઈ ગઈ.

ઘટનાસ્થળે મચી ગઈ ભારે ચીસાચીસ

પીકઅપ વાનમાં ક્ષમતા કરતા વધુ એટલે કે અંદાજે 34 જેટલા લોકો (6 મૃતકો અને 28 ઈજાગ્રસ્તો) સવાર હતા. એકસાથે આટલી મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરી રહ્યા હોવાથી ગાડી પલટી ખાતા જ મુસાફરોમાં ભારે ભાગદોડ અને ચીસાચીસ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક રાહત બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.

પોલીસ અને 108 એમ્બ્યુલન્સની તાત્કાલિક કામગીરી

સ્થાનિકોએ તુરંત જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ગણતરીની મિનિટોમાં જ બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તમામ 28 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ, ઈજાગ્રસ્તોમાંથી 10 લોકોની હાલત અત્યંત ગંભીર છે અને તેમની સઘન સારવાર ચાલી રહી છે. પોલીસે હાલ આ સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Frequently Asked Questions

વલસાડમાં થયેલા અકસ્માતમાં કેટલા લોકોના મોત થયા?

આ ગોઝારા અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે.

અકસ્માત કેવી રીતે થયો?

વીરક્ષેત્ર ગામ નજીક એક ચઢાણ વાળા રસ્તા પર પીકઅપ વાનની બ્રેક ફેઈલ થતાં તે રિવર્સમાં આવી અને પલટી ખાઈ ગઈ.

અકસ્માતમાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા?

આ અકસ્માતમાં વાનમાં સવાર અન્ય 28 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે.

ઈજાગ્રસ્તોની હાલત કેવી છે?

ઈજાગ્રસ્તોમાંથી 10 લોકોની હાલત અત્યંત ગંભીર છે અને તેમની સઘન સારવાર ચાલી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી આખા ગુજરાતમાં વરસાદ તૂટી પડશે, રથયાત્રાથી જુલાઈ અંત સુધી...
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી આખા ગુજરાતમાં વરસાદ તૂટી પડશે, રથયાત્રાથી જુલાઈ અંત સુધી...
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Advertisement

વિડિઓઝ

Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ
Ahmedabad Rathyatra 2026 : ભગવાન જગન્નાથનું ભવ્ય મામેરું
Amit Shah : અમિત શાહે કહ્યું, કેમ કોઈએ ના પણ નહીં અને હા પણ નહીં...
Chinna Cyclone : ચીનમાં ત્રાટક્યું બાવી વાવાઝોડું
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Embed widget