શોધખોળ કરો

રાજ્યમાં ધોરણ 1 થી 5ની શાળાઓ ક્યારથી શરૂ થશે, શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ શું આપ્યું નિવેદન?

નવી શિક્ષણ નીતિ અમલમાં નહીં આવે ત્યાં સુધી  ટેટની વેલીડિટી વધારવામાં આવી હતી. રાષ્ટ્રીય શિક્ષા નીતિની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરાયો છે.  

ગાંધીનગરઃ રાજ્યમાં દિવાળી બાદ ધોરણ 1 થી 5 ની શાળાઓ શરૂ  કરવામાં આવે તેવા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સંકેત આપ્યા હતા. ધોરણ એક થી પાંચની શાળાઓ શરૂ કરવા મામલે તેમણે કહ્યું કે રાજ્ય સરકારે અભ્યાસ માટે કમિટી બનાવી છે. શિક્ષકોને પણ ધોરણ 1 થી 5 ની શાળાઓ શરૂ કરતાં પહેલાં તાલીમ અપાશે.

નવી શિક્ષણ નીતિ અમલમાં નહીં આવે ત્યાં સુધી  ટેટની વેલીડિટી વધારવામાં આવી હતી. રાષ્ટ્રીય શિક્ષા નીતિની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરાયો છે.  ટેટ પાસ કરેલા ઉમેદવારોને નુકસાન ન જાય તે માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. સરકાર 3 હજાર 300 જેટલી જગ્યાઓ પર ભરતીઓ કરશે.

ગુજરાત સરકારના મંત્રી જીતુ વાઘાણીએ વીજકાપ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. હાલ રાજ્યમાં વિજળી ની કટોટકટી નથી. વીજ કાપ પણ રાજ્યમાં કોઈ જગ્યાએ આપવામાં આવ્યો નથી. કેન્દ્રના સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે. હાલ વીજળીની કોઈ કટોકટી નથી. આ ઉપરાંત તેમણે સ્પર્ધાત્મક પરીક્ષઓ મુદ્દે પણ મોટી જાહેરાત કરી હતી. 

ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કોરોનાના કારણે ભાગ ન લઈ શક્યા હોય તેવા વિદ્યાર્થીઓને વયમર્યાદામાં એક વર્ષની છૂટ આપવામાં આવી છે. સરકારની સીધી ભરતીમાં એક વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. 

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આપણે જાણીએ છીએ કે કોરોનાની સ્થિતિમાં અનેક પરીક્ષાઓ , ભરતી માટે તકલીફો એ ખાસ કરીને રાજ્યના યુવાનોએ વેઠી છે, સહન કરી છે. એમાંથી એમને બહાર કાઢવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે લેવાઇ રહી છે, એમાં એક વર્ષની છૂટછાટ આપવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે. 

તેમણે કહ્યું હતું કે, એક વર્ષની ભરતીમાં, જે કોમ્પિટિવ એક્ઝામો છે, એના માટે કોરોનાને કારણે કેટલીક પરીક્ષાઓ કેન્સલ થઈ, ન લેવાણી તો કેટલાક યુવાનો એલિઝિબલ ન થતા હોય, એના કારણે એક્ઝામમાં બેસી ન શકે. એમના માટે એક વર્ષની વયમર્દામાં છૂટ આપવામાં આવી છે. 1-9-2021થી 31-8-2022 સુધી સરકારની સીધી ભરતીમાં આ નિયમ લાગુ પડશે. સ્નાતક અને સમકક્ષ ડિગ્રી ધરાવતા ઉમેદવારોની વય મર્યાદા 35 હતી, જે બિન અનામત વર્ગના ઉમેદવારો માટે હવે 36 વર્ષની વયમર્યાદ રહેશે. સ્નાતકથી નીચેની લાયકાત કક્ષામાં બિન અનામત પુરુષની વય મર્યાદા 33 હતી, જે વધારીને 34 વર્ષ કરવામાં આવી છે. એસ.ટી., એસસી અને ઓબીસી અને આર્થિક રીતે નબળા કેટેગરીમાં પુરુષ ઉમેદવારો, આ કક્ષામાં સ્નાતક માટેની હાલની વય મર્યાદા 40 હતી, જેમાં એક વર્ષનો વધારો કરી 41 કરાઈ છે. આ કક્ષામાં સ્નાતકથી નીચેની કેટેગરી માટે વય મર્યાદા 38 હતી, જેમાં વધારો કરીને 39 કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની હાલમાં શું છે સ્થિતિ? સરકારે આપ્યો મોટો રિપોર્ટ
ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની હાલમાં શું છે સ્થિતિ? સરકારે આપ્યો મોટો રિપોર્ટ
ઉનાળાના આકરા તાપ વચ્ચે ચોથા માવઠાનું સંકટ! આવતીકાલે રાજ્યના 18 જિલ્લામાં વરસાદની આગાહી
ઉનાળાના આકરા તાપ વચ્ચે ચોથા માવઠાનું સંકટ! આવતીકાલે રાજ્યના 18 જિલ્લામાં વરસાદની આગાહી
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અપમાનની રાજનીતિ!
Amreli BJP : અમરેલી ભાજપમાં ભડકો, હેમાશ્રીબેન રાદડિયાનું રાજીનામું
US Israel Iran War Update : મહાયુદ્ધનો આવી શકે છે અંત, પ્રસ્તાવ પર સહમતિ તો 15-20 દિવસમાં યુદ્ધવિરામ
Hun To Bolish: હું તો બોલીશ : રૂપિયા રળવાની રાજનીતિ!
Harsh Sanghavi : હારનું મંથન કરવાના બદલે કોંગ્રેસ ગુજરાતીઓને ગાળો આપે છે

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની હાલમાં શું છે સ્થિતિ? સરકારે આપ્યો મોટો રિપોર્ટ
ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની હાલમાં શું છે સ્થિતિ? સરકારે આપ્યો મોટો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
ડોલર ગગડતાં સોના ચાંદીમાં તેજી! ચાંદીમાં ₹5,000 અને સોનામાં ₹2,300 નો ઉછાળો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ
ડોલર ગગડતાં સોના ચાંદીમાં તેજી! ચાંદીમાં ₹5,000 અને સોનામાં ₹2,300 નો ઉછાળો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
સરકારે સોનું-ચાંદી સસ્તું કર્યું! આ નિર્ણયથી ગ્રાહકોને કેટલો ફાયદો થશે? જાણો અસલી હકીકત
સરકારે સોનું-ચાંદી સસ્તું કર્યું! આ નિર્ણયથી ગ્રાહકોને કેટલો ફાયદો થશે? જાણો અસલી હકીકત
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
Embed widget