![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાજકોટમાં જન્માષ્ટમીનો મેળો યોજાશે કે નહીં ? જાણો કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શું નિર્ણય લેવાયો
સંભવિત ત્રીજી લહેરને લઈ સમીક્ષા કર્યા બાદ જ કોઈ નિર્ણય લેવાશે.
![રાજકોટમાં જન્માષ્ટમીનો મેળો યોજાશે કે નહીં ? જાણો કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શું નિર્ણય લેવાયો Will Janmashtami fair be held in Rajkot or not? Find out what was decided in the meeting chaired by the Collector રાજકોટમાં જન્માષ્ટમીનો મેળો યોજાશે કે નહીં ? જાણો કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શું નિર્ણય લેવાયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/21/0ef28dfb1dfbc73351b79fa0bf798933_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટ શહેર કે જ્યાં આ વર્ષે લોકમેળો યોજવો કે નહીં તેને લઈ હજુ પ્રશાસન અસમંજસમાં છે. રાજકોટ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં લોકમેળા સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં મેળા મુદ્દે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો કે, લોકમેળો ન યોજાય તેવી સંભાવના છે. કેમ કે, જો મેળો યોજાવાનો હોય તો બે થી ત્રણ મહિના પહેલાં તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે. પણ હજુ મેળાને લઈ કોઈ તૈયારી જ શરૂ નથી કરાઈ.
એટલું જ નહીં મેળા માટે કોઈ દરખાસ્ત પણ નથી આવી. ત્યારે સંભાવના પૂરી છે કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ મેળો ન યોજાય. મહત્વનું છે કે, રાજકોટના લોકમેળામાં સૌરાષ્ટ્રભરમાંથી પહોંચે છે લોકો. સંભવિત ત્રીજી લહેરને લઈ સમીક્ષા કર્યા બાદ જ કોઈ નિર્ણય લેવાશે.
ગુજરાતમાં કોરોના કેસ
ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં (Coronavirus Second Wave) નવા કેસમાં સતત ઘટાડો છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના નવા 29 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 61 દર્દીએ કોરોનાને માત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.73 ટકા થયો છે.
અહીં ન નોંધાયો એક પણ કેસ
અમદાવાદ શહેરમાં 6, સુરત શહેરમાં 4, વડોદરામાં 4, વડોદરા કોર્પોરેશનમાં 3, દાહોદમાં 2, જામનગરમાં 2, બનાસકાંઠા, ડાંગ, ગીર સોમનાથ, જુનાગઢ, કચ્છ, નવસારી, સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે. જ્યારે
અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, ભરૂચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જુનાગઢ કોર્પોરેશન, ખેડા, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સુરત, વલસાડ અને તાપીમાં એક પણ કેસ નોંધાયો નથી.
હાલ કેટલા દર્દી છે વેન્ટિલેટર પર
રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10 હજાર 76 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 14 હજાર 059 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 411 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 406 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 4,12,499 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જેની સાથે કુલ રસીકરણનો આંક 3,01,46,996 પર પહોંચ્યો છે.
કયા શહેરમાં કેટલા દર્દીએ આપી કોરોનાને મ્હાત
અમદાવાદ શહેરમાં 25, રાજકોટમાં 8, સુરત શહેરમાં 5, દાહોદ, સાબરકાંઠા, આણંદ, મહેસાણામાં 3-3, ભાવનગરમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, ગાંધીનગરમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, મોરબીમાં 2, પંચમહાલમાં 1, તાપીમાં 1, વલસાડમાં 2 દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)