શોધખોળ કરો

Haridwar Kumbh: મહાકુંભમાં કોરોના વિસ્ફોટ, 18 સાધુ-100થી વધારે શ્રદ્ધાળુ કોરોના પોઝિટિવ, પ્રશાસન હરકતમાં

વિતેલા ચાર દિવસોમાં અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ અને નિરંજની અખાડાના પ્રમુખ નરેન્ગ્ર ગિરી સહિત 18 સાધુ કોરોના પોઝિટિવ આવ્યા છે.

હરિદ્વારઃ ઉત્તરાખંડમાં ચાલી રહેલ મહાકુંભમાં જે વાતનો ડર હતો એ જ થયું. અહીં કોરોના વિસ્ફોટ થયો છે. અહીં 102 તીર્થયાત્રીઓ અને 20 સાધુ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. મેળામાં અનેક ધાર્મિક સંગઠનોના પ્રમુખોએ કોરોના ટેસ્ટ કરવાની ના પાડી દીધી હતી. પરિણામ એ આવ્યું કે હવે મેળાની સ્થિતિ ખરાબ થઈ રહી છે. જ્યારે આ દરમિયાન કોરોના ગાઈડલાઈનનું પાલન પણ કરવામાં નથી આવી રહ્યું. ન તો માસ્ક કોઈના મોઢે જોવા મળી રહ્યા છે અને ન તો સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન કરવામાં આવી રહ્યું છે.

18 સાધુ-સંત કોરોના પોઝિટિવ

અખિલ ભારતીય અખાડા પરિષદનું માનીએ તો સોમવારે શાહી સ્નાનન માટે એક લાખ સાધુ-સંત ભેગા થયા હતા. હરિદ્વારના મુખ્ય મેડિકલ અધિકારી ડોક્ટર એસકે ઝાએ કહ્યું કે, સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ કોરોનાની ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. સીએમઓએ જાણકારી આપતા કહ્યું કે, વિતેલા 24 કલાકમાં જૂના અખાડાના પાંચ, બે નિરંજની અખાડાના, નાથ અને અગ્નિ અખાડાના એક એક સાધુ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમણે કહ્યું કે, વિતેલા ચાર દિવસોમાં અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ અને નિરંજની અખાડાના પ્રમુખ નરેન્ગ્ર ગિરી સહિત 18 સાધુ કોરોના પોઝિટિવ આવ્યા છે. સીએમઓએ કહ્યું કે, નરેન્દ્ર ગિરીની તબિયત બગડતા તેમને એમ્સ હરિદ્વારમાં દાખલ કરવામાં આવ્યા છે.

દેહરાદૂનમાં હવે સાડા દસ કલાકથી નાઈટ કર્ફ્યુ

બીજી બાજુ દેહરાદુનમાં રમઝાન, નવરાત્રિ અને લગ્નને ધ્યાનમાં રાખીને રાત્રી કર્ફ્યુનો સમય દસ કલાકથી વધારીને સાડા દસ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે મંગળવારે નવરાત્રી અને હાલમાં ચાલી રહેલ લગ્ન સીઝન અને રમઝાનનને ધ્યાનમાં રાખથા લોકોની સુવિધા માટે રાત્રી કર્ફ્યુનો સમય 10 કલાકથી વધારીને 10-30 કલાક કર્યો છે.

રાવતે લોકોને કોવિડ-19 નિયમોનું પાલન કરવાની અપીલ કરવાની સાથે જ તમામ ડીએમ અને એસપીને નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા છે. નોંધનીય છે કે, વિતેલા કેટલાક દિવસોમાં કોવિડ-19ના કેસ ઝડપથી વધ્યા બાદ રાજ્ય મંત્રિમંડળે શુક્રવારે દેહરાદુન નગર નિગમ ક્ષેત્રમાં રાત્રે 10 કલાકથી સવારે પાંચ કલાક સુધી કર્ફ્યુ લગાવાવનો નિર્ણય કર્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Opposition Protests In Parliament : ભારે હોબાળા બાદ લોકસભા અને રાજ્યસભામાં બંને સ્થગિતHun To Bolish : હું તો બોલીશ : સાયરનની શેખી કેમ?Hun To Bolish: હું તો બોલીશ : ABCD 'કૌભાંડની સીડી'?Cylinder Blast in Surat: સુરતના સચિન GIDCમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની  પત્નીને PM મોદીએ  આપી આ અનોખી ભેટ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની પત્નીને PM મોદીએ આપી આ અનોખી ભેટ
બાંગ્લાદેશમાં 1400 લોકોની હત્યા, મોહમ્મદ યુનુસ સરકારમાં હિંદુઓને બનાવ્યા નિશાન, UNનો ડરામણો રિપોર્ટ
બાંગ્લાદેશમાં 1400 લોકોની હત્યા, મોહમ્મદ યુનુસ સરકારમાં હિંદુઓને બનાવ્યા નિશાન, UNનો ડરામણો રિપોર્ટ
પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
હવે મજૂરોને પણ મળશે પેન્શન, સરકારની આ યોજનામાં મળશે ફાયદો
હવે મજૂરોને પણ મળશે પેન્શન, સરકારની આ યોજનામાં મળશે ફાયદો
Embed widget