શોધખોળ કરો

જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવાના કારણે તબાહી, ત્રણનાં મોત, શ્રીનગર હાઇવે બંધ

આ કુદરતી આફતને કારણે જિલ્લાના સેરી બાગન વિસ્તારમાં ઘરો કાટમાળથી ફેરવાઇ ગયા હતા

જમ્મુ વિભાગના રામબન જિલ્લામાં ભારે વરસાદ, કરા અને વાદળ ફાટવાના કારણે આવેલા પૂરમાં બે બાળકો સહિત ત્રણ લોકોના મોત થયા હતા. આ કુદરતી આફતને કારણે જિલ્લાના સેરી બાગન વિસ્તારમાં ઘરો કાટમાળથી ફેરવાઇ ગયા હતા. 200થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.

આ સાથે જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે રવિવારે જાહેર કરેલા આદેશમાં જણાવ્યું હતું કે ભારે વરસાદ અને ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને 21 એપ્રિલ, સોમવારના રોજ ખીણની તમામ શાળાઓમાં વર્ગો સ્થગિત રહેશે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર માહિતી આપતાં શિક્ષણ મંત્રી સકીના ઇત્તોએ જણાવ્યું હતું કે, "સતત બગડતા હવામાન અને હવામાન વિભાગની ચેતવણીઓને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા તરીકે ખીણની તમામ શાળાઓમાં 21 એપ્રિલે એક દિવસ માટે વર્ગ કાર્ય સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને આ પગલું લેવામાં આવ્યું છે.

નેશનલ હાઇવે બંધ

વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર નાશરી અને બનિહાલ વચ્ચે એક ડઝન સ્થળોએ પર્વત પરથી ભૂસ્ખલન અને કાટમાળ પડ્યો હતો. જેના કારણે બંને બાજુથી વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. આના કારણે સેંકડો મુસાફરો, ટ્રક અને બસો રસ્તામાં ફસાયેલા છે. સમગ્ર વિસ્તારમાં નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે. ધર્મકુંડ ગામમાં 40 ઘરોને ભારે નુકસાન થયું હતું. મોબાઇલ ટાવરને નુકસાન થવાને કારણે ટેલિકોમ્યુનિકેશન સેવાઓ ખોરવાઈ ગઈ છે.

પૂરને કારણે ઉભી થયેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે સેના, પોલીસ, QRT, NDRF અને SDRF ની ટીમો વહેલી સવારથી બચાવ કાર્યમાં રોકાયેલી છે. કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ત્રણ લોકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે અને અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત પહોંચાડવા સૂચનાઓ આપી છે.

હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી હતી. હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાનની ચેતવણી પહેલાથી જ જાહેર કરી હતી. રામબન જિલ્લામાં શનિવાર મોડી રાતથી વરસાદ શરૂ થયો હતો.

સેરી બાગન સહિત ઘણા વિસ્તારો પ્રભાવિત છે

રવિવારે સવારે લગભગ 3 વાગ્યે રામબનના સેરી બાગન વિસ્તારમાં વાદળ ફાટવાથી ભારે પૂર આવ્યું. સેરી બાગન, કેલા મોડ, બાઉલી બજાર અને ધર્મકુંડ વિસ્તારો તેનાથી પ્રભાવિત થયા હતા. સેરી બાગનાના રહેવાસી બે બાળકો, આકીબ અહેમદ અને મોહમ્મદ સાકિબ, સગા ભાઈઓ અને મુની રામ, કાટમાળ નીચે દબાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા.

કાશ્મીરમાં પણ ખતરો

પોલીસ કંટ્રોલ રૂમ અનુસાર, રામબન જિલ્લાના સેરી, કેલા મોડ અને ધરમકુંડમાં લગભગ 50 ઘરોને નુકસાન થયું છે. કિશ્તવાડમાં પણ ભૂસ્ખલન થયું હતું. કાશ્મીરમાં પણ સતત વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણીના સ્ત્રોત છલકાઈ રહ્યા છે અને લોકોને નદીઓ અને નાળાઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
દિલ્હી એરપોર્ટ પર Indigo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ; વિશાખાપટ્ટનમથી આવી રહ્યું હતું વિમાન
દિલ્હી એરપોર્ટ પર Indigo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ; વિશાખાપટ્ટનમથી આવી રહ્યું હતું વિમાન
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 
ઢાબા-રેસ્ટૉરન્ટવાળા માટે મોટા સમાચાર, દિલ્હીમાં કૉમર્શિયલ LPG નો નવો નિયમ, આ આધાર પર મળશે ગેસ
ઢાબા-રેસ્ટૉરન્ટવાળા માટે મોટા સમાચાર, દિલ્હીમાં કૉમર્શિયલ LPG નો નવો નિયમ, આ આધાર પર મળશે ગેસ

વિડિઓઝ

Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
કેમ રતન ટાટાનું સપનુ રહી ગયું અધૂરું? આખરે Tata Nano બંધ થવા પાછળનું કારણ શું હતું?
કેમ રતન ટાટાનું સપનુ રહી ગયું અધૂરું? આખરે Tata Nano બંધ થવા પાછળનું કારણ શું હતું?
Embed widget