શોધખોળ કરો

National Unity Day 2022: સરદાર વલ્લભભાઇ પટેલ જયંતિ પર જાણો લોહપુરુષ વિશેની 10 મહત્વની વાતો

સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875એ ગુજરાતના નડિયાદમાં થયો હતો. લંડન જઇને તેમને બેરિસ્ટરનો અભ્યાસ કર્યો અને પાછા અમદાવાદ આવીને વકીલાત કરવા લાગ્યા.

National Unity Day 2022: આજે દેશભરમાં એકતા દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. 31 ઓકટોબરના દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાના અને તમામ તાલુકાઓમાં મળી 100 જેટલા સ્થળે અને નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા 16 સ્થળે "રન ફોર યુનિટી" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજના દિવસે અહીં અમને સરદાર વલ્લભભાઇ પટેલ વિશે 10 મહત્વની વાતો બતાવી રહ્યાં છીએ....... 

અહીં જાણો સરદાર વલ્લભભાઇ પટેલ વિશે 10 મહત્વની વાતો  

1. સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875એ ગુજરાતના નડિયાદમાં થયો હતો. લંડન જઇને તેમને બેરિસ્ટરનો અભ્યાસ કર્યો અને પાછા અમદાવાદ આવીને વકીલાત કરવા લાગ્યા. મહાત્મા ગાંધીના વિચારોથી પ્રેરિત થઇને તેમને ભારતના સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લીધો. 

2. સ્વતંત્રતા આંદોલનમાં સરદાર વલ્લભભાઇ પટેલનું પહેલુ એવુ મોટુ યોગદાન 1918માં ખેડા સંઘર્ષમાં હતુ. તેમને 1928માં બારડોલી સત્યાગ્રહમાં ખેડૂત આંદોલનનુ સફળ નેતૃત્વ કર્યુ. 

3. લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલ ભારતના પહેલા ઉપ વડાપ્રદાન અને ગૃહમંત્રી બન્યા. 

4. સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ દેશી રજવાડાંઓનુ એકીકરણ કરીનેને અખંડ ભારત નિર્માણમાં તેમના યોગદાનને ભુલી શકાય એમ નથી. તેમને 562 નાના-મોટા રજવાડાંઓને ભારતીય સંઘમાં વિલિનીકરણ કરીને ભારતીય એકતાનુ નિર્માણ કર્યુ. 

5. મહાત્મા ગાંધીએ સરદાર વલ્લભભાઇ પટેલને લોહપુરુષની ઉપાધિ આપી. 

6. ગુજરાતમાં નર્મદાના સરદાર સરોવર બંધની સામે સરદાર વલ્લભભાઇ પટેલની 182 મીટર (597 ફૂટ) ઉંચી પ્રતિમા (સ્ટેચ્યૂ ઓફ યૂનિટી)નુ નિર્માણ કરવામાં આવ્યુ. આ વિશ્વની સૌથી ઉંતી પ્રતિમાં છે. આને 31 ઓક્ટોબર, 2018 એ દેશને સમર્પિત કરવામાં આવી. સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીની ઉંચાઇ માત્ર 93 મીટર છે. 

7. આ સરદાર વલ્લભભાઇ પટેલનુ જ વિજન હતુ કે ભારતીય વહીવટી સેવાઓ દેશને એક રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેમને ભારતીય વહીવટી સેવાઓને મજબૂત બનાવવા પર ખુબ ભાર મુક્યો, તેમને સિવિલ સેવાઓને સ્ટીલ ફ્રેમ કહી હતી. 

8.  બારડોલી સત્યાગ્રહ આંદોલનના સફળ થયા બાદ ત્યાંની મહિલાઓએ વલ્લભભાઇ પટેલને ‘સરદાર’ની ઉપાધિ આપી હતી. 

9. કોઇપણ દેશનો આધાર તેની એકતા અને અખંડતતામાં રહેલો હોય છે, અને સરદાર પટેલ દેશની એકતાના સૂત્રધાર હતા. આ જ કારણથી તેમના જન્મદિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. 

10. સરદાર વલ્લભભાઇ પટેલનુ નિધન 15 ડિેસેમ્બર, 1950 એ મુંબઇમાં થયુ હતુ, વર્ષ 1991માં સરદાર પટેલને મરણોપરાંત 'ભારત રત્ન'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Gujarat: રાજ્યના તમામ ખેડૂતોને મળશે લાભ, હેક્ટર દીઠ 22000 રૂપિયાની ચૂકવાશે સહાય  
Gujarat: રાજ્યના તમામ ખેડૂતોને મળશે લાભ, હેક્ટર દીઠ 22000 રૂપિયાની ચૂકવાશે સહાય  
Advertisement

વિડિઓઝ

હું તો બોલીશ: રઝળતા ઢોર અને કૂતરાંને લઈ સુપ્રીમ ઓર્ડર
Vadodara News: વડોદરાની SSG હોસ્પિ.માં રખડતા શ્વાનથી લોકોની દહેશતનો માહોલ
Kheda news: ખેડામાં ઠાસરા ટીચર્સ કો.ઓ.ક્રેડિટ સોસાયટીના પૂર્વ પ્રમુખની ધરપકડ
Praful Pansheriya: આરોગ્ય મંત્રી આવ્યા એકશનમાં, નિયમોનું પાલન ન કરનાર હોસ્પિટલો સામે કરી કાર્યવાહી
Stray Animal Verdict : રખડતા ઢોરને લઈ સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Gujarat: રાજ્યના તમામ ખેડૂતોને મળશે લાભ, હેક્ટર દીઠ 22000 રૂપિયાની ચૂકવાશે સહાય  
Gujarat: રાજ્યના તમામ ખેડૂતોને મળશે લાભ, હેક્ટર દીઠ 22000 રૂપિયાની ચૂકવાશે સહાય  
IND vs AUS: ગાબામાં બદલાશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 ? ક્યા ખેલાડીની કિસ્મત ચમકશે 
IND vs AUS: ગાબામાં બદલાશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 ? ક્યા ખેલાડીની કિસ્મત ચમકશે 
ચેતજો! મેરેજ ઇન્વિટેશન તમારુ ખાતું ખાલી ન કરી દે, સ્કેમર્સ લગ્નના કાર્ડ મોકલી કરી રહ્યા છે છેતરપિંડી
ચેતજો! મેરેજ ઇન્વિટેશન તમારુ ખાતું ખાલી ન કરી દે, સ્કેમર્સ લગ્નના કાર્ડ મોકલી કરી રહ્યા છે છેતરપિંડી
ICC એ કર્યો ઐતિહાસિક નિર્ણય, World Cup માં કર્યો મોટો બદલાવ, ટીમોની સંખ્યામાં થયો વધારો
ICC એ કર્યો ઐતિહાસિક નિર્ણય, World Cup માં કર્યો મોટો બદલાવ, ટીમોની સંખ્યામાં થયો વધારો
15 જાન્યુઆરીથી WhatsApp પર આ સર્વિસ થઈ જશે બંધ, કરોડો યૂઝર્સ થશે પ્રભાવિત
15 જાન્યુઆરીથી WhatsApp પર આ સર્વિસ થઈ જશે બંધ, કરોડો યૂઝર્સ થશે પ્રભાવિત
Embed widget