શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કોરોના વાયરસઃ સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાંથી કવોરન્ટાઇન સ્ટેમ્પવાળા છ લોકોને ઉતારાયા
આ લોકો વાસ્તવમાં સિંગાપોરથી આવ્યા હતા અને મુંબઇ સેન્ટ્રલ રેલવેથી વડોદરા આવી રહ્યા હતા.
![કોરોના વાયરસઃ સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાંથી કવોરન્ટાઇન સ્ટેમ્પવાળા છ લોકોને ઉતારાયા 6 passengers with home quarantine stamps deboarded at Borivali station કોરોના વાયરસઃ સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાંથી કવોરન્ટાઇન સ્ટેમ્પવાળા છ લોકોને ઉતારાયા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/19210959/1.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ કોરોના વાયરસ દુનિયાભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. મહારાષ્ટ્રમાં પણ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે ગુરુવારે પશ્વિમ રેલવેએ સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાંથી કવોરન્ટાઇન સ્ટેમ્પવાળા છ લોકોને ઉતારવામાં આવ્યા હતા. આ લોકો વાસ્તવમાં સિંગાપોરથી આવ્યા હતા અને મુંબઇ સેન્ટ્રલ રેલવેથી વડોદરા આવી રહ્યા હતા.
નોંધનીય છે કે આ અગાઉ પણ ગઇકાલે જર્મનીથી ભારત આવેલા ચાર લોકોને ગરીબરથ ટ્રેનમાંથી સુરત આવી રહ્યા હતા. જેઓને પર ક્વોરન્ટાઇનનો સ્ટેમ્પ મારવામાં આવ્યા હતા તેમ છતાં મુસાફરી કરી રહ્યા હતા અને તેઓને પાલઘર ઉતારી દેવાયા હતા. તેઓને આઇસોલેટમાં રહેવાની સલાહ આપવામાં આવી હતી તેમ છતાં ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમના હાથ પર ક્વોરન્ટાઇનનો સ્ટેમ્પ જોઇને ટીસીએ તેમને ઉતારી દીધા હતા.
નોંધનીય છે કે તાજેતરમાં જ લંડનથી મુંબઇ આવેલી 22 વર્ષની મહિલાને કોરોના પોઝિટીવ આવ્યો હતો. મુંબઇના હાજી અલી દરગાહને પણ કોરોનાના કારણે બંધ કરી દેવામાં આવી છે. ભારતે કોરોના વાયરસના કારણે 36 દેશોમાંથી આવનારા લોકો પર અસ્થાયી પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જ્યારે 11 દેશોના મુસાફરોને ફરજિયાત રીતે અલગ રાખવામાં આવશે. ગૃહમંત્રાલયે બુધવારે આ જાણકારી આપી હતી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)