શોધખોળ કરો

હિમાચલ પ્રદેશમાં ચૂંટણી અગાઉ AAPને ઝટકો, પ્રદેશ અધ્યક્ષ સહિત વધુ બે નેતાઓ ભાજપમાં સામેલ

કેસરીએ કહ્યું હતું કે અમે હિમાચલ પ્રદેશમાં છેલ્લા આઠ વર્ષથી AAP માટે પૂરી ઈમાનદારી અને સમર્પણ સાથે ચોવીસ કલાક કામ કરી રહ્યા હતા.

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી અગાઉ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યના આપ પાર્ટીના પ્રમુખ અનૂપ કેસરી અને અન્ય બે નેતા શુક્રવાર ભાજપમાં સામેલ થઇ ગયા હતા. દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાન પર કેસરી સહિત સંગઠન મહાસચિવ સતીશ ઠાકુર અને ઉના જિલ્લાના પ્રમુખ ઇકબાલ સિંહ ભાજપમાં જોડાયા હતા. આ અવસર પર તેમણે કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. તેમણે કેજરીવાલ પર મંડી મતવિસ્તારમાં રોડ શો દરમિયાન પાર્ટીના નેતાઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો.

કેસરીએ કહ્યું હતું કે અમે હિમાચલ પ્રદેશમાં છેલ્લા આઠ વર્ષથી AAP માટે પૂરી ઈમાનદારી અને સમર્પણ સાથે ચોવીસ કલાક કામ કરી રહ્યા હતા. પરંતુ અરવિંદ કેજરીવાલે મંડીમાં રેલી અને રોડ શો દરમિયાન રાજ્યના પાર્ટી કાર્યકરોની અવગણના કરી હતી. રાજ્યના AAP કાર્યકરોની આ ઉપેક્ષાને અપમાન માન્યું અને સ્વાભિમાન માટે પાર્ટી છોડી દીધી છે.

'કેજરીવાલે અમને જોયા પણ નહોતા'

કેસરીએ કહ્યું કે અમે તેમના (કેજરીવાલ)થી ખૂબ જ નિરાશ છીએ. તેઓએ અમને જોયા પણ નથી, જેઓ પાર્ટી માટે દિવસ-રાત કામ કરે છે. માત્ર અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન જ મંડીમાં રોડ શોના મુખ્ય આકર્ષણ હતા. ભાજપમાં જોડાયા બાદ તેમણે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને ફરીથી સત્તામાં લાવવા માટે સખત મહેનત કરવાની ખાતરી આપી હતી.

'કર્મચારીઓ અપમાનિત અનુભવે છે'

સતીશ ઠાકુર અને ઈકબાલ સિંહે પણ AAP છોડવાનું આ જ કારણ આપ્યું. તેમણે કહ્યું કે પાર્ટી માટે પોતાને સમર્પિત કરનારા કાર્યકરો હિમાચલ પ્રદેશના રોડ શો દરમિયાન દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ દ્વારા અપમાનિત થયાની લાગણી અનુભવી રહ્યા છે. ઠાકુરે કહ્યું, "6 એપ્રિલે રોડ શો દરમિયાન અમને અપમાનિત થયાનું લાગ્યું હતું. તેથી અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કામ કરવા અને હિમાચલ પ્રદેશના લોકોની સેવા કરવા માટે ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું હતું.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget