શોધખોળ કરો

Agnipath Scheme: 'અગ્નિપથ' યોજના નોટબંધી જેવો નિર્ણય, કોગ્રેસે કેન્દ્ર સરકારની કરી ટીકા

દેશમાં સેનામાં ભરતીને લઈને અગ્નિપથ યોજના પર હોબાળો થયો છે. દેશના અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે

Congress PC on Agnipath Scheme: દેશમાં સેનામાં ભરતીને લઈને અગ્નિપથ યોજના પર હોબાળો થયો છે. દેશના અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. દરમિયાન કોંગ્રેસે અગ્નિપથ યોજનાને લઈને પત્રકાર પરિષદ યોજી હતી. કોંગ્રેસના નેતાઓ પ્રમોદ તિવારી, પવન ખેરા અને યુવા નેતા કન્હૈયા કુમારે સેનાની ભરતી માટેની અગ્નિપથ યોજનાની આકરી ટીકા કરી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેરાએ કહ્યું હતુ કે અગ્નિપથ યોજના નોટબંધી જેવો નિર્ણય છે. વડાપ્રધાન વિચાર્યા વગર નીતિઓ બનાવીને લોકો સાથે રમત રમી રહ્યા છે. તેમણે અગ્નિપથ યોજનાને તાત્કાલિક પાછી ખેંચવાની માંગ કરી હતી.

બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રમોદ તિવારીએ અગ્નિપથ યોજનાને નો રેન્ક, નો પેન્શન, માત્ર દિશા વિનાનું ટેન્શન ગણાવ્યું હતું. તેમણે પૂછ્યું હતું કે શું તે આર્થિક બચત માટે યુવાઓને શહીદ કરી દેશે? તેઓ પોતાના હકની માંગ કરી રહેલા યુવાનો પર લાકડીઓ વરસાવી રહ્યા છે. આ યોજના પાછી ખેંચો. આખરે કેટલા યુવાનોની શહીદી પછી તમે સહમત થશો?

અગ્નિપથ યોજના પાછી ખેંચવાની માંગ

કોંગ્રેસના યુવા નેતા કન્હૈયા કુમારે કહ્યું હતું કે બિહારમાં બેરોજગારીનો દર બમણો છે. યુવાનો પાસેથી તકો છીનવાઈ રહી છે. તેમણે કહ્યું હતું કે પીએમ અમને પાંજરામાં બંધ ઉંદરો માને છે. આ દેશ ગાંધીનો દેશ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ આર્મી ભરતી વિરુદ્ધ અગ્નિપથ યોજનાને લઇને કોગ્રેસ આંદોલનને સમર્થન આપી રહી છે. આ સાથે કન્હૈયા કુમારે યુવાનોને હિંસા અને આગચંપી ન કરવાની પણ અપીલ કરી હતી. તેમણે કહ્યું કે દેશની સંપત્તિને સળગાવી જોઈએ નહીં.

યુવક 4 વર્ષમાં નિવૃત્ત થઇ જશે તો લગ્ન કોણ કરશે?

કન્હૈયા કુમારે વધુમાં કહ્યું હતું કે જો યુવક 4 વર્ષમાં નિવૃત્ત થઈ જશે તો તેની સાથે લગ્ન કોણ કરશે? તેમણે કહ્યું કે 47 વર્ષ બાદ સૌથી વધુ બેરોજગારી મોદી સરકારમાં આવી છે. તેમણે પ્રશ્ન કર્યો હતો કે મોદી સરકારે આવી યોજના વિશે વિપક્ષ કે યુવાનોને અગાઉ કેમ પૂછ્યું નહીં? આર્મી એ માત્ર નોકરી નથી. જ્યારે કોઈને આર્મીમાં નોકરી મળે છે ત્યારે આખા વિસ્તારમાં તેનું સન્માન થાય છે. દેશની સુરક્ષાનો પ્રશ્ન છે, તેને મજાક ન બનાવો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સોનિયા ગાંધીની તબિયત લથડી! દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ
સોનિયા ગાંધીની તબિયત લથડી! દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ
બર્થ સર્ટિફિકેટમાં સુધારાનો છેલ્લો મોકો! તારીખ નોંધી લો! સરકારે ડેડલાઈન જાહેર કરી
બર્થ સર્ટિફિકેટમાં સુધારાનો છેલ્લો મોકો! તારીખ નોંધી લો! સરકારે ડેડલાઈન જાહેર કરી
મોહમ્મદ શમીની ધમાકેદાર વાપસીઃ આવતા જ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, વનડે ક્રિકેટમાં વિશ્વના તમામ બોલરોને છોડ્યા પાછળ
મોહમ્મદ શમીની ધમાકેદાર વાપસીઃ આવતા જ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, વનડે ક્રિકેટમાં વિશ્વના તમામ બોલરોને છોડ્યા પાછળ
તેલંગાણામાં વિરોધ, આંધ્રમાં સમર્થન! મુસ્લિમોને અપાતી આ સુવિધા પર ભાજપની ડબલ ઢોલકી....
તેલંગાણામાં વિરોધ, આંધ્રમાં સમર્થન! મુસ્લિમોને અપાતી આ સુવિધા પર ભાજપની ડબલ ઢોલકી....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ બેફામો પર બ્રેક મારોHun To Bolish : હું તો બોલીશ : કરોડોનો કાટમાળ !Abp Asmita Impact: મહેસાણામાં 'હું તો બોલીશ' કાર્યક્રમના અહેવાલની જોરદાર અસરDinu Solanki VS Digvijaysinh Jadeja: દિનુ સોલંકીના ગીર સોમનાથના કલેક્ટર પર ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોનિયા ગાંધીની તબિયત લથડી! દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ
સોનિયા ગાંધીની તબિયત લથડી! દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ
બર્થ સર્ટિફિકેટમાં સુધારાનો છેલ્લો મોકો! તારીખ નોંધી લો! સરકારે ડેડલાઈન જાહેર કરી
બર્થ સર્ટિફિકેટમાં સુધારાનો છેલ્લો મોકો! તારીખ નોંધી લો! સરકારે ડેડલાઈન જાહેર કરી
મોહમ્મદ શમીની ધમાકેદાર વાપસીઃ આવતા જ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, વનડે ક્રિકેટમાં વિશ્વના તમામ બોલરોને છોડ્યા પાછળ
મોહમ્મદ શમીની ધમાકેદાર વાપસીઃ આવતા જ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, વનડે ક્રિકેટમાં વિશ્વના તમામ બોલરોને છોડ્યા પાછળ
તેલંગાણામાં વિરોધ, આંધ્રમાં સમર્થન! મુસ્લિમોને અપાતી આ સુવિધા પર ભાજપની ડબલ ઢોલકી....
તેલંગાણામાં વિરોધ, આંધ્રમાં સમર્થન! મુસ્લિમોને અપાતી આ સુવિધા પર ભાજપની ડબલ ઢોલકી....
IND vs BAN: રોહિત શર્માએ 11 હજાર રન બનાવી રચ્યો ઇતિહાસ, તોડ્યો ‘ક્રિકેટના ભગવાન’નો રેકોર્ડ; માત્ર વિરાટ કોહલી આગળ
IND vs BAN: રોહિત શર્માએ 11 હજાર રન બનાવી રચ્યો ઇતિહાસ, તોડ્યો ‘ક્રિકેટના ભગવાન’નો રેકોર્ડ; માત્ર વિરાટ કોહલી આગળ
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા પર કોર્ટની મહોર, ફેમિલી કોર્ટમાં પૂરી થઈ કાનૂની પ્રક્રિયા
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા પર કોર્ટની મહોર, ફેમિલી કોર્ટમાં પૂરી થઈ કાનૂની પ્રક્રિયા
અશ્લીલ સામગ્રીને લઈને સરકાર કડક! OTT-સોશિયલ મીડિયા માટે નવી માર્ગદર્શિકા જાહેર
અશ્લીલ સામગ્રીને લઈને સરકાર કડક! OTT-સોશિયલ મીડિયા માટે નવી માર્ગદર્શિકા જાહેર
શીશમહેલનું ભાવિ શું હશે? દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની જાહેરાતથી ખળભળાટ
શીશમહેલનું ભાવિ શું હશે? દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની જાહેરાતથી ખળભળાટ
Embed widget