શોધખોળ કરો

Agnipath Scheme: 'અગ્નિપથ' યોજના નોટબંધી જેવો નિર્ણય, કોગ્રેસે કેન્દ્ર સરકારની કરી ટીકા

દેશમાં સેનામાં ભરતીને લઈને અગ્નિપથ યોજના પર હોબાળો થયો છે. દેશના અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે

Congress PC on Agnipath Scheme: દેશમાં સેનામાં ભરતીને લઈને અગ્નિપથ યોજના પર હોબાળો થયો છે. દેશના અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. દરમિયાન કોંગ્રેસે અગ્નિપથ યોજનાને લઈને પત્રકાર પરિષદ યોજી હતી. કોંગ્રેસના નેતાઓ પ્રમોદ તિવારી, પવન ખેરા અને યુવા નેતા કન્હૈયા કુમારે સેનાની ભરતી માટેની અગ્નિપથ યોજનાની આકરી ટીકા કરી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેરાએ કહ્યું હતુ કે અગ્નિપથ યોજના નોટબંધી જેવો નિર્ણય છે. વડાપ્રધાન વિચાર્યા વગર નીતિઓ બનાવીને લોકો સાથે રમત રમી રહ્યા છે. તેમણે અગ્નિપથ યોજનાને તાત્કાલિક પાછી ખેંચવાની માંગ કરી હતી.

બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રમોદ તિવારીએ અગ્નિપથ યોજનાને નો રેન્ક, નો પેન્શન, માત્ર દિશા વિનાનું ટેન્શન ગણાવ્યું હતું. તેમણે પૂછ્યું હતું કે શું તે આર્થિક બચત માટે યુવાઓને શહીદ કરી દેશે? તેઓ પોતાના હકની માંગ કરી રહેલા યુવાનો પર લાકડીઓ વરસાવી રહ્યા છે. આ યોજના પાછી ખેંચો. આખરે કેટલા યુવાનોની શહીદી પછી તમે સહમત થશો?

અગ્નિપથ યોજના પાછી ખેંચવાની માંગ

કોંગ્રેસના યુવા નેતા કન્હૈયા કુમારે કહ્યું હતું કે બિહારમાં બેરોજગારીનો દર બમણો છે. યુવાનો પાસેથી તકો છીનવાઈ રહી છે. તેમણે કહ્યું હતું કે પીએમ અમને પાંજરામાં બંધ ઉંદરો માને છે. આ દેશ ગાંધીનો દેશ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ આર્મી ભરતી વિરુદ્ધ અગ્નિપથ યોજનાને લઇને કોગ્રેસ આંદોલનને સમર્થન આપી રહી છે. આ સાથે કન્હૈયા કુમારે યુવાનોને હિંસા અને આગચંપી ન કરવાની પણ અપીલ કરી હતી. તેમણે કહ્યું કે દેશની સંપત્તિને સળગાવી જોઈએ નહીં.

યુવક 4 વર્ષમાં નિવૃત્ત થઇ જશે તો લગ્ન કોણ કરશે?

કન્હૈયા કુમારે વધુમાં કહ્યું હતું કે જો યુવક 4 વર્ષમાં નિવૃત્ત થઈ જશે તો તેની સાથે લગ્ન કોણ કરશે? તેમણે કહ્યું કે 47 વર્ષ બાદ સૌથી વધુ બેરોજગારી મોદી સરકારમાં આવી છે. તેમણે પ્રશ્ન કર્યો હતો કે મોદી સરકારે આવી યોજના વિશે વિપક્ષ કે યુવાનોને અગાઉ કેમ પૂછ્યું નહીં? આર્મી એ માત્ર નોકરી નથી. જ્યારે કોઈને આર્મીમાં નોકરી મળે છે ત્યારે આખા વિસ્તારમાં તેનું સન્માન થાય છે. દેશની સુરક્ષાનો પ્રશ્ન છે, તેને મજાક ન બનાવો.

 

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget