શોધખોળ કરો

56 લાખ ફોલોવર્સ ધરાવતા એજાઝ ખાનને ચૂંટણીમાં માત્ર 146 મત મળ્યા, સોશિયલ મીડિયા પર ઉડી મજાક

Maharashtra Election Results 2024: અભિનેતા એજાઝ ખાન મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવવા ઉતર્યા હતા. પરંતુ તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો. જેના પછી તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઈ રહ્યા છે.

Ajaz Khan Trolled: મહારાષ્ટ્ર ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને જોરદાર સમર્થન મળ્યું છે. BJP અને સહયોગીઓએ મહાઆઘાડી ગઠબંધનનો સૂપડો સાફ કરી નાખ્યો છે. મહારાષ્ટ્ર ચૂંટણીમાં ઘણી બેઠકો પર ચોંકાવનારા પરિણામો આવ્યા છે પરંતુ અમે અહીં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચિત સેલિબ્રિટી એજાઝ ખાનની વાત કરી રહ્યા છીએ. એજાઝ ખાન પણ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવવા ઉતર્યા હતા. એજાઝે મોટા મોટા દાવા કર્યા હતા પરંતુ મતદાતાઓએ તેમના દાવાઓની હવા કાઢી નાખી.

વર્સોવા બેઠક પરથી ખરાબ રીતે હાર્યા એજાઝ ખાન

એજાઝ ખાનને મળ્યા માત્ર આટલા મત: એજાઝ ખાને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મુંબઈની વર્સોવા બેઠક પરથી ચૂંટણી લડી હતી. એજાઝ ખાનને ચંદ્રશેખરની પાર્ટી આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)માંથી ચૂંટણી માટે ટિકિટ મળી હતી. જેના પછી એજાઝ માટે ખુદ ચંદ્રશેખરે પણ મુંબઈ પહોંચીને પ્રચાર કર્યો હતો. આજે સવારથી જ પરિણામો ખુલવાની શરૂઆત થઈ ત્યારે એજાઝ ખાનની સ્થિતિનો ખુલાસો થઈ ગયો હતો. 10 રાઉન્ડની ગણતરી સુધી એજાઝને 70ની આસપાસ જ મત મળ્યા હતા. જ્યારે ખાસ વાત એ છે કે એજાઝનો દાવો છે કે તેમના ફેમિલી મેમ્બર્સ જ આનાથી વધારે છે. જોકે હવે તેમના મતોની સંખ્યા 100ને પાર થઈ ગઈ છે.

સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો એજાઝ

આ પછી સોશિયલ મીડિયા પર નેટિઝન્સે એજાઝ ખાનની ફિરકી લેવાનું શરૂ કરી દીધું. સોશિયલ મીડિયા પર એજાઝની જમાનત જપ્ત થવા અંગે ઘણા મીમ્સ વાયરલ થતા જોવા મળ્યા. એક મીમમાં યુઝરે લખ્યું હતું કે એજાઝને પોતાના પરિવારના પણ મત નથી મળ્યા.

લોકોએ કર્યા આવા આવા ફની કમેન્ટ્સ

જ્યારે બીજા યુઝરે એજાઝની ટીખળ કરતા લખ્યું કે, 'આખરે આ કોણ લોકો છે જેમણે એજાઝને મત આપ્યા છે. આના પર રિસર્ચ થવું જોઈએ.' એક યુઝરે તો એજાઝ અને રજત દલાલના ફેક્ટર પર ટીખળ કરતા કહ્યું કે આના કરતા તો રજત દલાલને જ ચૂંટણી લડાવી દેતા. આ સિવાય એક યુઝરે તો એ સુધી કહી દીધું કે, 'એજાઝ, રીલ લાઈફ રિયલ નથી હોતી. 56 લાખ ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ ધરાવતા વ્યક્તિને સોથી પણ ઓછા મત મળ્યા છે.'

જણાવી દઈએ કે એજાઝ ખાનને 18 રાઉન્ડની કાઉન્ટિંગ પછી પણ માત્ર 146 મત જ મળ્યા છે.

આ પણ વાંચોઃ

Maharashtra Election Results 2024: મહારાષ્ટ્રમાં શિંદે ચાલશે એવો દાવ કે પ્રચંડ જીત પછી પણ BJP જોતી રહી જશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
Embed widget