![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
શરદ પવારના ઘરે પહોંચ્યા નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, NCPમાં ભંગાણ બાદ પ્રથમ મુલાકાત
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર શુક્રવારે (14 જુલાઈ) શરદ પવારને મળવા સિલ્વર ઓક પહોંચ્યા હતા. અજિત પવાર કાકી પ્રતિભા પવારના ખબરઅંતર પૂછવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા.
![શરદ પવારના ઘરે પહોંચ્યા નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, NCPમાં ભંગાણ બાદ પ્રથમ મુલાકાત ajit pawar meets sharad pawar maharashtra ncp crisis શરદ પવારના ઘરે પહોંચ્યા નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, NCPમાં ભંગાણ બાદ પ્રથમ મુલાકાત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/14/d0ebc8b0ee317f5992ffe5393b4a8568168935817519178_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ajit Pawar Meets Sharad Pawar: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર શુક્રવારે (14 જુલાઈ) શરદ પવારને મળવા સિલ્વર ઓક પહોંચ્યા હતા. અજિત પવાર કાકી પ્રતિભા પવારના ખબરઅંતર પૂછવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. પ્રતિભા પવારની તબિયત ખરાબ છે.
શુક્રવારે જ તેમને મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે સર્જરી બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
2 જુલાઈના રોજ અજિત પવાર તેમના કાકા શરદ પવારની પાર્ટી એનસીપીના ઘણા ધારાસભ્યો સાથે બળવો કર્યો અને ભાજપ-એકનાથ શિંદે ગઠબંધન સરકારમાં જોડાયા હતા.
આ સરકારમાં અજિત પવાર નાયબ મુખ્યમંત્રી છે. આજે ખુદ મુખ્યમંત્રી એકનાથ શિંદે તેમને નાણા મંત્રાલયની જવાબદારી સોંપી છે. બળવા પછી આ પહેલીવાર અજિત પવાર અને શરદ પવાર મળ્યા છે.
સુપ્રિયા સુલેનું ઈમોશનલ ટ્વિટ
સુપ્રિયા સુલે પણ માતા પ્રતિભા પવાર સાથે હોસ્પિટલમાં હાજર હતી. આ વાતનો ઉલ્લેખ કરતા તેમણે ટ્વીટ કર્યું કે જ્યારે અમે હોસ્પિટલથી ઘરે પહોંચ્યા ત્યારે બાબા (શરદ પવાર)એ આયના ઘરમાં સુંદર ફૂલોની સજાવટ કરી હતી. તેણે તેની સાથે તેની તસવીર પણ શેર કરી છે.
We just arrived home from the hospital, guess what Baba had organized beautiful flowers for Aai in their room. 🌸 🌼❤️
— Supriya Sule (@supriya_sule) July 14, 2023
सुंदर अशी अनमोल भेट...!
आम्ही आईला घेऊन हॉस्पिटलमधून घरी आलो तर बाबांनी तिच्या स्वागतासाठी हि अशी सुंदर फुले ठेवली होती... 🌸🌼❤️ pic.twitter.com/LtLhlyzAtL
શુક્રવારે શરદ પવાર પણ પત્ની પ્રતિભા પવારને મળવા માટે બ્રિજ કેન્ડી હોસ્પિટલ પહોંચ્યા હતા.
NCP સામે બળવો કરનારા નેતાઓને શું મળ્યું ?
મહારાષ્ટ્ર સરકારમાં અજિત પવાર સાથે મંત્રી તરીકે જોડાયેલા ધનંજય મુંડેને કૃષિ વિભાગની કમાન સોંપવામાં આવી છે. દિલીપ વાલસે પાટીલને સહકારી મંત્રી બનાવવામાં આવ્યા છે. એનસીપીના અન્ય નેતાઓ જેમને મંત્રી બનાવવામાં આવ્યા છે તેમાં હસન મુશ્રીફને મેડિકલ એજ્યુકેશન, છગન ભુજબળને અન્ન અને નાગરિક પુરવઠા, ધર્મરાવ આત્રામને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન, સંજય બંસોડને રમતગમત, અદિતિ તટકરેને મહિલા અને બાળ વિકાસ અનિલ પાટીલને રાહત, પુનર્વસન અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)