શોધખોળ કરો

મુંબઈ પોલીસના પૂર્વ કમિશનરનો આરોપ- મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ આપ્યો 100 કરોડ વસૂલવાનો ટાર્ગેટ, અનિલ દેશમુખે આપી આ પ્રતિક્રિયા

અનિલ દેશમુખે ટ્વિટ કરી કહ્યું કે, "પરમબીર સિંહે પોતાના બચાવવા માટે અને કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે ખોટા આરોપ લગાવ્યા છે. મુકેશ અંબાણી કેસની સાથે સાથે મનસુખ હિરેન હત્યા કેસમાં સચિન વાઝેની સંડોવણી સ્પષ્ટ થઈ રહી છે અને તેના તાર પરમબીર સિંહ સાથે જોડાયેલા છે. "

મુંબઈ: મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી પર મોટો આરોપ લગાવ્યો છે. પૂર્વ કમિશનરે કહ્યું કે અનિલ દેશમુખે સચિન વાઝે પાસે દર મહિને 100 કરોડ રૂપિયાની માંગ કરી હતી. બાર, પબ અને રેસ્ટોરન્ટ પાસેથી વસુલવા કહ્યું હતું. પરમબીર સિંહના આરોપો પર રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખની પ્રતિક્રિયા સામે આવી છે. પરમબીર સિંહના આરોપોને અનિલ દેશમુખે ફગાવી દિધા છે. તેમણે કહ્યું કે પરમબીર સિંહે પોતાને બચાવવા માટે ખોટા આરોપ લગાવ્યા છે.

અનિલ દેશમુખે ટ્વિટ કરી કહ્યું કે, "પરમબીર સિંહે પોતાના બચાવવા માટે અને કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે ખોટા આરોપ લગાવ્યા છે. મુકેશ અંબાણી કેસની સાથે સાથે મનસુખ હિરેન હત્યા કેસમાં સચિન વાઝેની સંડોવણી સ્પષ્ટ થઈ રહી છે અને તેના તાર પરમબીર સિંહ સાથે જોડાયેલા છે. "

પરમબીર સિંહે રાજ્યપાલ અને મુખ્યમંત્રીને લખ્યો પત્ર

મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે. કહેવામાં આવી રહ્યું છે  કે આ પત્ર રાજ્યમાં રાજકીય ભૂકંપ લાવી શકે છે. પોતાના પત્રમાં પરમબીર સિંહે અનિલ દેશમુખ પર ગંભીર આરોપ લગાવ્યા છે. જેમાં પરમબીર સિંહે આરોપ લગાવ્યો છે કે અનિલ દેશમુખ તરફથી દબાણ હતું કે તેમને 100 કરોડ રૂપિયા દર મહિને જોઈએ. પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે 100 કરોડ રૂપિયાનો ટાર્ગેટ સચિન વાઝેનો આપવામાં આવ્યો હતો.

આ સાથે જ પરમબીર સિંહે લખ્યું કે આ ટાર્ગેટને પૂરો કરવા માટે મુંબઈના બાર, પબ અને રેસ્ટોરન્ટ પાસેથી રૂપિયા વસૂલવા કહેવામાં આવ્યું હતું. પત્ર મુજબ આ ટાર્ગેટ પર સચિન વાઝેએ કહ્યું હતું કે તેઓ 40 કરોડ પૂરા કરી શકે છે પરંતુ 100 કરોડ ખૂબ જ વધારે છે. પરમબીર સિંહે દાવો કર્યો છે કે 100 કરોડનો ટાર્ગેટ પૂર્ણ કરવા અનિલ દેશમુખે સચિન વાઝેને બીજા વિકલ્પો પર વિચાર કરવા કહ્યું હતું.

પરમબીર સિંહે ક્યા-ક્યા આરોપ લગાવ્યા ?

અનિલ દેશમુખે સચિન વાઝેને ઘણી વખત ઘરે મળવા બોલાવ્યા

અનિલ દેશમુખે સચિન વાઝેને ફંડ એકઠુ કરવા માટે કહ્યું 

અનિલ દેશમુખે દર મહિને સચિન વાઝેને 100 કરોડ રૂપિયા વસૂલવાનો ટાર્ગેટ આપ્યો હતો.

દરેક બીયર બાર, પબમાંથી 2-3 લાખ રૂપિયા વસૂલવા કહ્યું હતું.

હુક્કા પાર્લર પર પણ દરોડા પાડવા કહ્યું હતું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી
દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી
નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય
નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી

વિડિઓઝ

Surat Deputy Mayor : સુરતના ડે. મેયર સુધાકર ચૌધરી આવ્યા વિવાદમાં, પુત્રો પર શું લાગ્યો આરોપ?
Share Market News: ભારતીય શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સમાં 550થી વધુ પોઇન્ટનો કડાકો
School Opening : શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ,વિદ્યાર્થીઓનું તિલક કરી કરાયું સ્વાગત
Dhirendra Krishna Shashtri : ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં મહિલાઓ ધૂણવા લાગી
Philippines Earthquake : ફિલિપાઇન્સમાં શક્તિશાળી ભૂકંપ, અનેક ઈમારતો ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાનમાંથી તરત જ નીકળી જાય ભારતીય...', મિડલ ઈસ્ટમાં ફરીથી યુદ્ધ શરૂ થતા ભારતે જાહેર કરી એડવાઈઝરી
'ઈરાનમાંથી તરત જ નીકળી જાય ભારતીય...', મિડલ ઈસ્ટમાં ફરીથી યુદ્ધ શરૂ થતા ભારતે જાહેર કરી એડવાઈઝરી
રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત
રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત
દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી
દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી
IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ
IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
Home Loan Interest Rates: સૌથી સસ્તી હોમ લોન આપી રહી છે આ બેન્કો, ફટાફટ ચેક કરો વ્યાજ દર
Home Loan Interest Rates: સૌથી સસ્તી હોમ લોન આપી રહી છે આ બેન્કો, ફટાફટ ચેક કરો વ્યાજ દર
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
Credit Card: ક્રેડિટ કાર્ડ ચોરી થઈ જાય તો શું કરશો? પ્રથમ કલાકમાં કરો આ પાંચ કામ નહીં તો બનશો ફ્રોડનો શિકાર
Credit Card: ક્રેડિટ કાર્ડ ચોરી થઈ જાય તો શું કરશો? પ્રથમ કલાકમાં કરો આ પાંચ કામ નહીં તો બનશો ફ્રોડનો શિકાર
Embed widget