શોધખોળ કરો

Ankita Murder Case: BJP ધારાસભ્યની કાર પર હુમલો, તપાસ માટે SITની રચના, અંકિતા મર્ડર કેસના 10 મોટા અપડેટ 

ઉત્તરાખંડ(Uttarakhand)માં રિસેપ્શનિસ્ટ અંકિતાની હત્યાના કેસ (Ankita Murder Case) માં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

ઉત્તરાખંડ(Uttarakhand)માં રિસેપ્શનિસ્ટ અંકિતાની હત્યાના કેસ (Ankita Murder Case) માં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. SDRFની ટીમે આજે સવારે ચિલા કેનાલમાંથી અંકિતાનો મૃતદેહ બહાર કાઢ્યો છે. આ સાથે જ ગેરકાયદેસર રિસોર્ટ સામે બુલડોઝર ચલાવવામાં  આવ્યું હતું. આ દરમિયાન ડીજીપીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું કે અંકિતા પર ખોટું કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું.

દરમિયાન અંકિતા ભંડારી હત્યા કેસને લઈને ઋષિકેશમાં સ્થાનિક લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. વનંતારા રિસોર્ટમાં આગ લાગાવવામાં આવી હતી. અંકિતા ભંડારી 18 સપ્ટેમ્બરથી ગુમ હતી.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીનું કડક વલણ

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ કડક વલણ અપનાવીને કાર્યવાહીના આદેશ આપ્યા છે. આ મામલાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. મોડી રાત્રે રિસોર્ટનો એક ભાગ જેસીબી દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો. 24 સપ્ટેમ્બરે ઉત્તરાખંડ SDRF એ અંકિતાના મૃતદેહને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, ત્યારબાદ શનિવારે સવારે ચિલા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.

અંકિતા હત્યા કેસમાં 10 મુખ્ય અપડેટ્સ

• પોલીસે અંકિતા હત્યા કેસમાં બીજેપી નેતાના પુત્ર પુલકિત આર્ય સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. તમામ આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

• પોલીસે આરોપીને આજે કોટદ્વાર કોર્ટમાં રજૂ કર્યો હતો. આરોપીઓને પૌડી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. શુક્રવારે મોડી રાત્રે આરોપીઓના ગેરકાયદેસર રીતે બનાવેલા રિસોર્ટ પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી.

• અંકિતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે AIIMS ઋષિકેશમાં મોકલવામાં આવ્યો હતો. પોસ્ટ મોર્ટમમાં ત્રણ ડોક્ટરોની પેનલ સામેલ છે. ડીએમએ પોસ્ટમોર્ટમ દરમિયાન વીડિયોગ્રાફીનો પણ આદેશ આપ્યો હતો.
 
• પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેના પિતા અને ભાઈએ પુષ્ટિ કરી છે કે તે અંકિતાની લાશ છે. અંકિતા 18 સપ્ટેમ્બરના રોજ ગુમ થઈ હતી, જેના પાંચ દિવસ પછી તેનો મૃતદેહ ચિલા કેનાલમાંથી મળી આવ્યો હતો.

• અંકિતા ભંડારી હત્યાકાંડને લઈને ઋષિકેશમાં સ્થાનિક લોકોએ આંદોલન કર્યું. આ દરમિયાન લોકોએ ભાજપના ધારાસભ્ય રેણુ બિષ્ટનો વિરોધ કર્યો હતો અને તેમની કારની તોડફોડ કરી હતી. લોકોએ યમકેશ્વરના ભાજપના ધારાસભ્ય (આરોપીના પિતા)ના વાહન પર હુમલો કર્યો.

• અંકિતા હત્યા કેસમાં પુલકિત આર્યની ધરપકડ બાદ ભાજપે વિનોદ આર્ય અને તેમના પુત્ર ડૉ. અંકિત આર્યને પક્ષમાંથી હાંકી કાઢ્યા. પાર્ટીના રાજ્ય મીડિયા પ્રભારી મનવીર સિંહ ચૌહાણે જણાવ્યું કે પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટના નિર્દેશ પર આ કાર્યવાહી કરવામાં આવી છે.

• અંકિતા હત્યા કેસમાં, ઉત્તરાખંડ સરકાર આરોપી પુલકિત આર્યના ભાઈ અંકિત આર્યને બેકવર્ડ કમિશનમાંથી હટાવી શકે છે. અંકિત પછાત વર્ગ આયોગના ઉપાધ્યક્ષ છે.

• ડીજીપીએ કહ્યું કે મુખ્યમંત્રીની સૂચના પર, આ મામલાની તપાસ કરવા માટે પી. રેણુકા દેવીના નેતૃત્વમાં એક SITની રચના કરવામાં આવી હતી. ડીજીપીએ એમ પણ કહ્યું કે અંકિતા પર ખોટું કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

• ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કર્યું કે દીકરી અંકિતાનો મૃતદેહ આજે સવારે મળી આવ્યો. આ હૃદયદ્રાવક ઘટનાથી મારું હૃદય ખૂબ જ દુઃખી છે. ગુનેગારોને સખતમાં સખત સજા મળે તે માટે, SITની રચના કરવામાં આવી છે અને આ ગંભીર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

• અંકિતા ભંડારી હત્યા કેસમાં પટવારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીની સૂચના મુજબ તમામ સૂત્રોની તપાસ કરવામાં આવી રહી છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Embed widget