શોધખોળ કરો
અમૃતસર પહોંચેલા કેજરીવાલનો વિરોધ, કાળા વાવટા ફરકાવી કરાયું સ્વાગત

નવી દિલ્લી: દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે એક દિવસના પંજાબ પ્રવાસે છે. કેજરીવાલ જ્યારે આજે અમૃતસર પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત કાળા ઝંડાથી કરવામાં આવ્યું હતું. પંજાબ મહિલા કોંગ્રેસની અધ્યક્ષ મમતા દત્તા અને તેમના સમર્થકોએ કેજરીવાલના કાફલાને કાળા ઝંડા દેખાડ્યા હતા. મમતા દત્તાએ કહ્યું, “પ્રદર્શન કેજરીવાલની પાર્ટીના નેતાઓએ તે નેતાઓ વિરુદ્ધ કર્યું છે જેમના પર સતત મહિલાઓના શારીરિક શોષણનો આરોપ લાગી રહ્યો છે પરંતુ કેજરીવાલ બધુ જાણતા હોવા છતાં તેમની વિરુદ્ધ કોઈ કરી શકે તેમ નથી.”
આ લોકોના વિરોધ વચ્ચે પોલીસે કેજરીવાલના કાફલાને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢયો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેજરીવાલની ગાડીની આગળ આવીને તેમને રોકવાની કોશિશ કરી પરંતુ કેજરીવાલના ડ્રાઈવરે કારને ઝડપી હંકારી કાઢી હતી.
આ લોકોના વિરોધ વચ્ચે પોલીસે કેજરીવાલના કાફલાને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢયો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેજરીવાલની ગાડીની આગળ આવીને તેમને રોકવાની કોશિશ કરી પરંતુ કેજરીવાલના ડ્રાઈવરે કારને ઝડપી હંકારી કાઢી હતી. એક દિવસના પંજાબ પ્રવાસ પર આવેલા કેજરીવાલને જાલંધરમાં આગ્રવાલ સમાજના એક કાર્યક્રમમાં હાજરી આપવાની છે. કેજરીવાલ આજે સાંજે દિલ્લી માટે પાછા ફરશે. પહેલા કેજરીવાલનો સપ્ટેબરના છેલ્લા અઠવાડિયામાં પંજાબમાં રોકાવવાનો કાર્યક્રમ બન્યો હતો, પરંતુ તબિયત બરાબર ન હોવાના કારણે હાલ કેજરીવાલ એક દિવસ માટે જ જઈ રહ્યા છે.
વધુ વાંચો






















