શોધખોળ કરો
Video: કેજરીવાલે PMને કરી આવી અપીલ, પાક. મીડિયાએ બનાવ્યા હિરો

નવી દિલ્લી: પીએમ મોદીના આલોચક ગણાતા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પાકિસ્તાનના કબજા વાળા કશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઈકના વખાણ કરતા તેમને સલામ કર્યા છે. આ સાથે જ પાકિસ્તાન દ્વારા કહેવાય રહ્યું છે કે ભારતે કોઈ સર્જિકલ સ્ટ્રાઈક કરી નથી એવા જુઠ્ઠાણાને બેનકાબ કરવા અપીલ કરી છે. આ વીડિયોને પાકિસ્તાની મીડિયામાં ખૂબ ચલાવવામાં આવી રહ્યો છે. અને કેજરીવાલને તેઓ હિરો તરીકે રજૂ કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે એક વીડિયોમાં કહ્યું છે કે આપણી સેનાએ ગયા અઠવાડિયે વીરતા બતાવીને ઉરી હુમલામાં 19 સૈનિકોની શહાદતનો બદલો લીધો છે. પ્રધાનમંત્રી સાથે મને 100થી વધારે મુદ્દે અંગે મતભેદ હશે પણ તેમણે જે ઈચ્છાશક્તિ બતાવી છે, તેને સલામ કરું છું. પણ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મીડિયામાં ભારતની શાખને હાનિ પહોંચાડવા પ્રોપેગંડા ફેલાવી રહ્યું છે. તેઓ મીડિયાને સીમા પર લઈ ગયા હતા અને કહ્યું હતું કે અહીં કોઈ સર્જિકલ સ્ટ્રાઈક થઈ નથી. હું ઈચ્છુ છું કે પીએમ મોદી આ જૂઠ્ઠાણાને બેનકાબ કરે. સર્જિકલ સ્ટ્રાઈક બાદ અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં કહ્યું હતું કે આ સમય કેંદ્ર સરકાર સાથે ઉભા રહેવાનો છે.
વધુ વાંચો






















