શોધખોળ કરો

Atiq Ahmed : આખા UPને ધ્રુજાવનાર અતિકને દેખાયુ સાક્ષાત મોત? અમદાવાદ ભેગો કરવા માંગ

માફિયા અને પૂર્વ સાંસદ અતીક અહેમદ અને તેના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફને ઉમેશ પાલના અપહરણના મામલામાં બપોરે લગભગ 12 વાગ્યે પ્રયાગરાજની સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

Umesh Pal Kidnapping Case: એક સમયે આખા ઉત્તર પ્રદેશને ધ્રુજાવનારો અને ડરનો પર્યાય એવો ગેંગસ્ટર આજે પોતે જ ભયના ઓથાર હેઠળ છે. જેના પર 100થી વધારે કેસ નોંધાયેલા છે તે અતિકને પોતાને જ આજે મોતનો ડર સતાવી રહ્યો છે. માટે જ ઉમેશ પાલ અપહરણ કેસમાં આજીવન કેદની સજા સંભળાવ્યા બાદ માફિયા અતીક અહેમદે ન્યાયાધીશને ઉત્તર પ્રદેશની જેલના બદલે ગુજરાતના અમદાવાદની સાબરમતી જેલમાં રહેવાની વિનંતી કરી છે.

અતિકે ન્યાયાધીશને કહ્યું હતું કે, હું અહીં રહેવા માંગતો નથી. મને સાબરમતી જેલમાં પાછો મોકલવામાં આવે. કોર્ટે માફિયા અતીક અહેમદ સહિત ત્રણ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. 17 વર્ષ જૂના કેસમાં પ્રત્યેકને એક-એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

જાહેર છે કે, માફિયા અને પૂર્વ સાંસદ અતીક અહેમદ અને તેના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફને ઉમેશ પાલના અપહરણના મામલામાં બપોરે લગભગ 12 વાગ્યે પ્રયાગરાજની સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અહેમદને સોમવારે ગુજરાતની સાબરમતી જેલમાંથી અને અશરફને બરેલી જેલમાંથી પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો. જિલ્લા સરકારના એડવોકેટ ગુલાબ ચંદ્ર અગ્રહરીએ જણાવ્યું હતું કે, પ્રયાગરાજના સાંસદ-ધારાસભ્ય કોર્ટના ન્યાયાધીશ દિનેશ ચંદ્ર શુક્લાએ 2006માં ઉમેશ પાલ અપહરણ કેસમાં અતીક અહેમદ, તેના વકીલ સૌલત હનીફ અને ભૂતપૂર્વ કાઉન્સિલર દિનેશ પાસી સહિત ત્રણ આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા હેઠળ ગુનો નોંધ્યો હતો. કોર્ટે કલમ 364-A હેઠળ દોષિત ઠેરવી સશ્રમ આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટે ત્રણેયને એક-એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આ રકમ ઉમેશ પાલના પરિવારને આપવામાં આવશે.

અતીક અહેમદને જૂન 2019માં સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો હતો

કોર્ટે પુરાવાના અભાવે અતીક અહેમદના ભાઈ અશરફ સહિત સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં કુલ 11 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તેમાંથી એકનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું હતું. કોર્ટ પરિસરમાં હાજર વકીલોએ ગુનેગારોને ફાંસી આપવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

ફુલપુરથી સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ સાંસદ અતીક અહેમદને જૂન 2019માં ગુજરાતની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશની જેલમાં હતો ત્યારે અતીકને રિયલ એસ્ટેટ વેપારી મોહિત જયસ્વાલનું અપહરણ અને હુમલો કરવાના આરોપ બાદ તેને સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget