![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Atiq Ahmed : આખા UPને ધ્રુજાવનાર અતિકને દેખાયુ સાક્ષાત મોત? અમદાવાદ ભેગો કરવા માંગ
માફિયા અને પૂર્વ સાંસદ અતીક અહેમદ અને તેના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફને ઉમેશ પાલના અપહરણના મામલામાં બપોરે લગભગ 12 વાગ્યે પ્રયાગરાજની સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
![Atiq Ahmed : આખા UPને ધ્રુજાવનાર અતિકને દેખાયુ સાક્ષાત મોત? અમદાવાદ ભેગો કરવા માંગ Atiq Ahmed : Atiq to Judge after Sentence Announced in Umesh Pal Kidnapping Case Atiq Ahmed : આખા UPને ધ્રુજાવનાર અતિકને દેખાયુ સાક્ષાત મોત? અમદાવાદ ભેગો કરવા માંગ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/28/e5f3c93a8b1cc71a003845a38505555c168000596843578_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Umesh Pal Kidnapping Case: એક સમયે આખા ઉત્તર પ્રદેશને ધ્રુજાવનારો અને ડરનો પર્યાય એવો ગેંગસ્ટર આજે પોતે જ ભયના ઓથાર હેઠળ છે. જેના પર 100થી વધારે કેસ નોંધાયેલા છે તે અતિકને પોતાને જ આજે મોતનો ડર સતાવી રહ્યો છે. માટે જ ઉમેશ પાલ અપહરણ કેસમાં આજીવન કેદની સજા સંભળાવ્યા બાદ માફિયા અતીક અહેમદે ન્યાયાધીશને ઉત્તર પ્રદેશની જેલના બદલે ગુજરાતના અમદાવાદની સાબરમતી જેલમાં રહેવાની વિનંતી કરી છે.
અતિકે ન્યાયાધીશને કહ્યું હતું કે, હું અહીં રહેવા માંગતો નથી. મને સાબરમતી જેલમાં પાછો મોકલવામાં આવે. કોર્ટે માફિયા અતીક અહેમદ સહિત ત્રણ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. 17 વર્ષ જૂના કેસમાં પ્રત્યેકને એક-એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
જાહેર છે કે, માફિયા અને પૂર્વ સાંસદ અતીક અહેમદ અને તેના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફને ઉમેશ પાલના અપહરણના મામલામાં બપોરે લગભગ 12 વાગ્યે પ્રયાગરાજની સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અહેમદને સોમવારે ગુજરાતની સાબરમતી જેલમાંથી અને અશરફને બરેલી જેલમાંથી પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો. જિલ્લા સરકારના એડવોકેટ ગુલાબ ચંદ્ર અગ્રહરીએ જણાવ્યું હતું કે, પ્રયાગરાજના સાંસદ-ધારાસભ્ય કોર્ટના ન્યાયાધીશ દિનેશ ચંદ્ર શુક્લાએ 2006માં ઉમેશ પાલ અપહરણ કેસમાં અતીક અહેમદ, તેના વકીલ સૌલત હનીફ અને ભૂતપૂર્વ કાઉન્સિલર દિનેશ પાસી સહિત ત્રણ આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા હેઠળ ગુનો નોંધ્યો હતો. કોર્ટે કલમ 364-A હેઠળ દોષિત ઠેરવી સશ્રમ આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટે ત્રણેયને એક-એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આ રકમ ઉમેશ પાલના પરિવારને આપવામાં આવશે.
અતીક અહેમદને જૂન 2019માં સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો હતો
કોર્ટે પુરાવાના અભાવે અતીક અહેમદના ભાઈ અશરફ સહિત સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં કુલ 11 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તેમાંથી એકનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું હતું. કોર્ટ પરિસરમાં હાજર વકીલોએ ગુનેગારોને ફાંસી આપવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.
ફુલપુરથી સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ સાંસદ અતીક અહેમદને જૂન 2019માં ગુજરાતની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશની જેલમાં હતો ત્યારે અતીકને રિયલ એસ્ટેટ વેપારી મોહિત જયસ્વાલનું અપહરણ અને હુમલો કરવાના આરોપ બાદ તેને સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)