શોધખોળ કરો

Atiq Ahmed : અફઝલ અંસારીનો ચોંકાવનારો દાવો-"અતિકની હત્યામાં 3 નહીં 5 શૂટર હતાં"

ગાઝીપુરના બીએસપી સાંસદ અફઝલ અંસારીએ વિચિત્ર દાવો કરતા કહ્યું હતું કે,  અતિક અને અશરફ અહેમદને મારવા આવેલા શૂટર ત્રણ નહીં પરંતુ પાંચ હતા.

Afzal Ansari React On Atiq Ahmed Shootout: અતીક અહેમદ અને અશરફના મોત બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ મુદ્દે વિપક્ષો સતત શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન ગાઝીપુરના બીએસપી સાંસદ અફઝલ અંસારીએ પણ અતીક અહેમદની હત્યા પર નિવેદન આપ્યું છે. તેમણે અતીક અહેમદ શૂટઆઉટને એક મોટું કાવતરું ગણાવ્યું હતું સાથે જ સનસની દાવો કર્યો હતો.

ગાઝીપુરના બીએસપી સાંસદ અફઝલ અંસારીએ વિચિત્ર દાવો કરતા કહ્યું હતું કે,  અતિક અને અશરફ અહેમદને મારવા આવેલા શૂટર ત્રણ નહીં પરંતુ પાંચ હતા. તેમણે કહ્યું કે, એવી પણ ઘણી વાતો છે કે અતીક પછી હવે મુખ્તારનો નંબર છે. પરંતુ મારનાર કરતા બચાવનાર મોટો હોય છે.

બીએસપી સાંસદે તેમની સામેના ગેંગસ્ટર કેસમાં એમપી એમએલએ કોર્ટના 29 એપ્રિલે આવનારા નિર્ણય વિશે વાત કરી અને કહ્યું હતું કે, આ કેસ તેમના પર યોજનાબદ્ધ રીતે લાદવામાં આવ્યો છે અને તે સંપૂર્ણપણે પાયાવિહોણો છે. અફઝલ અંસારીએ કહ્યું હતું કે, આ કેસની સુનાવણી ટ્રાયલ કોર્ટમાં ચાલી રહી છે અને તેમને દેશની ન્યાયિક વ્યવસ્થા અને બંધારણમાં પૂરો વિશ્વાસ છે. જ્યારે તેમણે પોતાના ભાઈ મુખ્તાર અંસારીના જીવને જોખમ અને પ્રયાગરાજમાં અતીક અહેમદ ગોળીબાર પર આકરી પ્રતિક્રિયા આપી છે.

અતીક-અશરફ ગોળીબારમાં 3 નહીં 5 હત્યારા હતા

અફઝલ અન્સારીએ કહ્યું હતું કે, અતીક અહેમદ ગોળીબાર એક સુનિયોજિત કાવતરું હતું. તેમણે કહ્યું છે કે, આપણે ત્યાં સવારે ઉઠ્યા પછી ઓમ નમઃ શિવાયનો જાપ કરવામાં આવે છે અને જુઓ કામ કેવા કેવા થાય છે. આ દરમિયાન તેમણે સવાલો ઉઠાવ્યા અને કહ્યું હતું કે, કાલનેમી પણ વેશ બદલીને આવ્યો હતો અને રાવણે પણ સીતા મૈયાનું અપહરણ કર્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે, અતીક અને અશરફના ગોળીબારમાં 3 નહીં 5 હત્યારા હતા અને જે બે હતા તેમની કોઈ તસવીર મીડિયામાં આવી નથી. આ અંગે તપાસ થશે તો તમામ રહસ્યો પરથી પડદો ઉચકાશે.

અતીક બાદ હવે કોનો નંબર?

અફઝલ અંસારીએ કહ્યું હતું કે, 15મી એપ્રિલે પ્રયાગરાજમાં જે થયું તે હચમચાવી નાખનારું હતું. એવી ચર્ચા થઈ રહી છે કે, અતિક બાદ હવે મુખ્તાર આન્સરનો નંબર છે. પરંતુ એવું નથી, મારનાર કરતા બચાવનાર મોટો હોય છે. આજે સમાજમાં જે થઈ રહ્યું છે તે સારું નથી. તેમણે કહ્યું હતું કે, તમે રોકાણકાર સમિટમાં દાવો કરો છો કે, ઉત્તર પ્રદેશમાં ચકલું પણ ફરકી નથી શકતું. પરંતુ અતીક અહેમદના ગોળીબાર જેવી મોટી ઘટના બની ગઈ. તેમણે કહ્યું કે, 2024માં કેન્દ્ર સરકાર 200ના આંકડાને પણ સ્પર્શી શકશે નહીં. તેમણે મહારાષ્ટ્રમાંથી જોડાયેલા અન્ય રાજ્યોના આંકડાઓ પણ ગણ્યા અને કહ્યું કે ભાજપની હાલત ખરાબ છે, કારણ કે ઓગસ્ટમાં ક્રાંતિ થવાની છે અને મોટો બદલાવ જોવા મળશે. જે આજે તમારી સાથે છે તે કાલે કદાચ તમારી સાથે ના પન હોય. અતીક અહેમદ હત્યા કેસને પણ દબાવી દેવામાં આવશે.

આ દરમિયાન BSP સાંસદે મીડિયાની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું હતું કે, તેમને દેશની કોર્ટમાં વિશ્વાસ છે. તેમની સામે ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે જેની સામે તેઓ ટ્રાયલ કોર્ટમાં મજબૂત બચાવ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, 29મી એપ્રિલે જે પણ નિર્ણય આવશે તે માટે તેઓ તૈયાર છે.

 
 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Indigo Airlines Crises : દિલ્લી હાઈકોર્ટની ફટકાર બાદ ઇન્ડિગોની મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : હવે હોર્નની હવા નીકળશે
Hun To Bolish : હું તો બોલીશ : જમીન દબાવનાર ખેલાડીઓ કોણ?
Ganesh Jadeja Narco Test : 15મી ડિસેમ્બરે ગણેશ ગોંડલનો નાર્કો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાશે
SIR News : ગુજરાત સહિત 6 રાજ્યમાં SIRની કામગીરી માટેની સમય મર્યાદમાં વધારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ટિકિટ રિઝર્વેશન સિસ્ટમ: 3.02 કરોડ નકલી ID ડિએક્ટિવેટ કર્યા, ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં સુધારો
ટિકિટ રિઝર્વેશન સિસ્ટમ: 3.02 કરોડ નકલી ID ડિએક્ટિવેટ કર્યા, ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં સુધારો
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
Embed widget