શોધખોળ કરો

Ayodhya : કરોડો લોકોની આતુરતાનો અંત, અયોધ્યામાં આ તારીખે બિરાજમાન થશે રામલલા

સમયાંતરે રામ મંદિરની તસવીરો પણ સામે આવી રહી છે. હવે કરોડો લોકોની ઈંતેજારીનો અંત આવવા જઈ રહ્યો છે.

Ayodhya Ram Mandir: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મંદિરનું નિર્માણ કાર્ય પણ ઝડપથી ચાલી રહ્યું છે. સમયાંતરે રામ મંદિરની તસવીરો પણ સામે આવી રહી છે. હવે કરોડો લોકોની ઈંતેજારીનો અંત આવવા જઈ રહ્યો છે. સામે આવેલા અહેવાન પ્રમાણે, જાન્યુઆરી 2024 સુધીમાં રામ મંદિરનું ભોંયતળિયું તૈયાર થઈ જશે અને 2024માં મકરસંક્રાંતિ બાદ રામ મંદિરનું ઉદ્ઘાટન થશે. રામલલાના ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ આ અંગે પીએમ મોદીને આમંત્રણ મોકલશે.

માનવામાં આવી રહ્યું છે કે, પીએમ મોદીની હાજરીમાં રામ મંદિરનું ઉદ્ઘાટન થશે. મળતી માહિતી મુજબ 14 થી 26 જાન્યુઆરી 2024 વચ્ચે કોઈપણ દિવસે રામ મંદિરનું ઉદ્ઘાટન થઈ શકે છે. આ સાથે જ સદીઓથી ભક્તોની રાહનો અંત આવશે.

બે વધારાની મૂર્તિઓનો આ રીતે કરવામાં આવશે ઉપયોગ

બીજી તરફ, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંદિર પરિસરમાં જ વધુ સારી જગ્યાએ રામલલાની બે વધારાની મૂર્તિઓનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી તેમની પવિત્રતા જળવાઈ રહે. અયોધ્યામાં કોતરવામાં આવેલી રામલલાની ત્રણ મૂર્તિઓમાંથી માત્ર શ્રેષ્ઠ મૂર્તિ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ રામલલાની બાકીની બે મૂર્તિઓ સ્થાપિત કરવા માટે સ્થળ નક્કી કરવા માટે વિવિધ પૂજારીઓની સલાહ લઈ રહ્યું છે. ટ્રસ્ટના એક સભ્યએ કહ્યું હતું કે, રામલલાની બાકીની બે મૂર્તિઓને મંદિરની બહાર મોકલવામાં આવશે નહીં. તેમને મંદિર પરિસરમાં વધુ સારી જગ્યાએ સંપૂર્ણ સન્માન સાથે સ્થાપિત કરવામાં આવશે.

ટ્રસ્ટના સભ્યના જણાવ્યા અનુસાર મંદિરના પહેલા અને બીજા માળે એક-એક મૂર્તિ સ્થાપિત કરી શકાય છે. સભ્યએ કહ્યું હતું કે, રામ મંદિરનો પહેલો અને બીજો માળ પણ એટલો જ ભવ્ય હશે. રામલલાની બાકીની બે મૂર્તિઓ માટે તેઓ યોગ્ય સ્થાન બની શકે છે.

આ તારીખે થશે રામલલાનો અભિષેક

અત્યાર સુધીના બાંધકામની વાત કરીએ તો રામ મંદિરમાં રામલલાના ગર્ભગૃહના ઉપરના ભાગમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ઓક્ટોબર 2023 સુધીમાં રામ મંદિરનો પહેલો માળ તૈયાર થઈ જશે અને 24 જાન્યુઆરી, 2024ના રોજ રામલલાનો અભિષેક થશે. આ કાર્યક્રમ લગભગ સાત દિવસ ચાલશે. જે બાદ રામ ભક્તો રામલલાના દર્શન કરવા મંદિરમાં આવી શકશે. હવે રામલલા વિરાજમાનની પૂજાને લઈને રામ મંદિર ટ્રસ્ટ તરફથી પીએમ મોદીને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જે અંગે વડાપ્રધાન કાર્યાલય તરફથી હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી, જોકે તેનો જવાબ ગમે ત્યારે આવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, ભારે વરસાદનું એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, ભારે વરસાદનું એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
weather Update:કેરળમાં આજે થશે ચોમાસાનું આગમન, 17 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું IMDનું એલર્ટ
weather Update:કેરળમાં આજે થશે ચોમાસાનું આગમન, 17 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું IMDનું એલર્ટ
મુઝફ્ફરનગરની પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, 3 દર્દી જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા
મુઝફ્ફરનગરની પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, 3 દર્દી જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, ભારે વરસાદનું એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, ભારે વરસાદનું એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
આગામી ત્રણ કલાક રાજયના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 61 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
આગામી ત્રણ કલાક રાજયના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 61 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર, જાણો કારણ
ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર, જાણો કારણ
T20 Captain: સૂર્યકુમાર પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન? 3 IPL ચેમ્પિયન સહિત 5 દાવેદાર
T20 Captain: સૂર્યકુમાર પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન? 3 IPL ચેમ્પિયન સહિત 5 દાવેદાર
1 ઓક્ટોબરથી બદલાશે નિયમ, પ્રદૂષણ સર્ટિફિકેટ વગર નહીં મળે પેટ્રોલ-ડીઝલ; આ શહેરોમાં લાગુ થશે નવો રુલ્સ
1 ઓક્ટોબરથી બદલાશે નિયમ, પ્રદૂષણ સર્ટિફિકેટ વગર નહીં મળે પેટ્રોલ-ડીઝલ; આ શહેરોમાં લાગુ થશે નવો રુલ્સ
કોચી ટસ્કર્સ IPL વિવાદ: લલિત મોદીનો વિસ્ફોટ દાવો, શશિ થરૂરે આપી હતી રેડ પાડવાની ધમકી
કોચી ટસ્કર્સ IPL વિવાદ: લલિત મોદીનો વિસ્ફોટ દાવો, શશિ થરૂરે આપી હતી રેડ પાડવાની ધમકી
Embed widget