શોધખોળ કરો

Ayodhya : કરોડો લોકોની આતુરતાનો અંત, અયોધ્યામાં આ તારીખે બિરાજમાન થશે રામલલા

સમયાંતરે રામ મંદિરની તસવીરો પણ સામે આવી રહી છે. હવે કરોડો લોકોની ઈંતેજારીનો અંત આવવા જઈ રહ્યો છે.

Ayodhya Ram Mandir: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મંદિરનું નિર્માણ કાર્ય પણ ઝડપથી ચાલી રહ્યું છે. સમયાંતરે રામ મંદિરની તસવીરો પણ સામે આવી રહી છે. હવે કરોડો લોકોની ઈંતેજારીનો અંત આવવા જઈ રહ્યો છે. સામે આવેલા અહેવાન પ્રમાણે, જાન્યુઆરી 2024 સુધીમાં રામ મંદિરનું ભોંયતળિયું તૈયાર થઈ જશે અને 2024માં મકરસંક્રાંતિ બાદ રામ મંદિરનું ઉદ્ઘાટન થશે. રામલલાના ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ આ અંગે પીએમ મોદીને આમંત્રણ મોકલશે.

માનવામાં આવી રહ્યું છે કે, પીએમ મોદીની હાજરીમાં રામ મંદિરનું ઉદ્ઘાટન થશે. મળતી માહિતી મુજબ 14 થી 26 જાન્યુઆરી 2024 વચ્ચે કોઈપણ દિવસે રામ મંદિરનું ઉદ્ઘાટન થઈ શકે છે. આ સાથે જ સદીઓથી ભક્તોની રાહનો અંત આવશે.

બે વધારાની મૂર્તિઓનો આ રીતે કરવામાં આવશે ઉપયોગ

બીજી તરફ, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંદિર પરિસરમાં જ વધુ સારી જગ્યાએ રામલલાની બે વધારાની મૂર્તિઓનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી તેમની પવિત્રતા જળવાઈ રહે. અયોધ્યામાં કોતરવામાં આવેલી રામલલાની ત્રણ મૂર્તિઓમાંથી માત્ર શ્રેષ્ઠ મૂર્તિ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ રામલલાની બાકીની બે મૂર્તિઓ સ્થાપિત કરવા માટે સ્થળ નક્કી કરવા માટે વિવિધ પૂજારીઓની સલાહ લઈ રહ્યું છે. ટ્રસ્ટના એક સભ્યએ કહ્યું હતું કે, રામલલાની બાકીની બે મૂર્તિઓને મંદિરની બહાર મોકલવામાં આવશે નહીં. તેમને મંદિર પરિસરમાં વધુ સારી જગ્યાએ સંપૂર્ણ સન્માન સાથે સ્થાપિત કરવામાં આવશે.

ટ્રસ્ટના સભ્યના જણાવ્યા અનુસાર મંદિરના પહેલા અને બીજા માળે એક-એક મૂર્તિ સ્થાપિત કરી શકાય છે. સભ્યએ કહ્યું હતું કે, રામ મંદિરનો પહેલો અને બીજો માળ પણ એટલો જ ભવ્ય હશે. રામલલાની બાકીની બે મૂર્તિઓ માટે તેઓ યોગ્ય સ્થાન બની શકે છે.

આ તારીખે થશે રામલલાનો અભિષેક

અત્યાર સુધીના બાંધકામની વાત કરીએ તો રામ મંદિરમાં રામલલાના ગર્ભગૃહના ઉપરના ભાગમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ઓક્ટોબર 2023 સુધીમાં રામ મંદિરનો પહેલો માળ તૈયાર થઈ જશે અને 24 જાન્યુઆરી, 2024ના રોજ રામલલાનો અભિષેક થશે. આ કાર્યક્રમ લગભગ સાત દિવસ ચાલશે. જે બાદ રામ ભક્તો રામલલાના દર્શન કરવા મંદિરમાં આવી શકશે. હવે રામલલા વિરાજમાનની પૂજાને લઈને રામ મંદિર ટ્રસ્ટ તરફથી પીએમ મોદીને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જે અંગે વડાપ્રધાન કાર્યાલય તરફથી હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી, જોકે તેનો જવાબ ગમે ત્યારે આવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Accident: અમદાવાદ વૈષ્ણદેવી સર્કલ પાસે ધડાકાભેર કાર એસટી બસ સાથે અથડાય, કારનો કૂચડો, ભયંકર અકસ્માતના CCTV
Accident: અમદાવાદ વૈષ્ણદેવી સર્કલ પાસે ધડાકાભેર કાર એસટી બસ સાથે અથડાય, કારનો કૂચડો, ભયંકર અકસ્માતના CCTV

વિડિઓઝ

Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી
Hun To Bolish : હું તો બોલીશ : કઈ પાર્ટીમાં જોડાશે ખજૂરભાઇ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Accident: અમદાવાદ વૈષ્ણદેવી સર્કલ પાસે ધડાકાભેર કાર એસટી બસ સાથે અથડાય, કારનો કૂચડો, ભયંકર અકસ્માતના CCTV
Accident: અમદાવાદ વૈષ્ણદેવી સર્કલ પાસે ધડાકાભેર કાર એસટી બસ સાથે અથડાય, કારનો કૂચડો, ભયંકર અકસ્માતના CCTV
ટોલ પ્લાઝા પર હવે કેશ નહિ ફક્ત FASTag અથવા UPI દ્વારા જ થશે પેમેન્ટ, જાણો કઇ તારીખથી થશે અમલ
ટોલ પ્લાઝા પર હવે કેશ નહિ ફક્ત FASTag અથવા UPI દ્વારા જ થશે પેમેન્ટ, જાણો કઇ તારીખથી થશે અમલ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Delhi Cold Wave: દિલ્લીમાં ડબલ અટેક, કાતિલ ઠંડી સાથે હવાનું પ્રદૂષણ ગંભીર સ્તરે, AQI 400ને પારને પાર
Delhi Cold Wave: દિલ્લીમાં ડબલ અટેક, કાતિલ ઠંડી સાથે હવાનું પ્રદૂષણ ગંભીર સ્તરે, AQI 400ને પારને પાર
Trump Warning: યુરોપ પર 25% ટેરિફનો બોમ્બ! ગ્રીનલેન્ડ માટે ટ્રમ્પ જીદે ચડ્યા, 8 દેશોના અર્થતંત્ર પર ખતરો
Trump Warning: યુરોપ પર 25% ટેરિફનો બોમ્બ! ગ્રીનલેન્ડ માટે ટ્રમ્પ જીદે ચડ્યા, 8 દેશોના અર્થતંત્ર પર ખતરો
Embed widget