શોધખોળ કરો

Ayodhya : કરોડો લોકોની આતુરતાનો અંત, અયોધ્યામાં આ તારીખે બિરાજમાન થશે રામલલા

સમયાંતરે રામ મંદિરની તસવીરો પણ સામે આવી રહી છે. હવે કરોડો લોકોની ઈંતેજારીનો અંત આવવા જઈ રહ્યો છે.

Ayodhya Ram Mandir: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મંદિરનું નિર્માણ કાર્ય પણ ઝડપથી ચાલી રહ્યું છે. સમયાંતરે રામ મંદિરની તસવીરો પણ સામે આવી રહી છે. હવે કરોડો લોકોની ઈંતેજારીનો અંત આવવા જઈ રહ્યો છે. સામે આવેલા અહેવાન પ્રમાણે, જાન્યુઆરી 2024 સુધીમાં રામ મંદિરનું ભોંયતળિયું તૈયાર થઈ જશે અને 2024માં મકરસંક્રાંતિ બાદ રામ મંદિરનું ઉદ્ઘાટન થશે. રામલલાના ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ આ અંગે પીએમ મોદીને આમંત્રણ મોકલશે.

માનવામાં આવી રહ્યું છે કે, પીએમ મોદીની હાજરીમાં રામ મંદિરનું ઉદ્ઘાટન થશે. મળતી માહિતી મુજબ 14 થી 26 જાન્યુઆરી 2024 વચ્ચે કોઈપણ દિવસે રામ મંદિરનું ઉદ્ઘાટન થઈ શકે છે. આ સાથે જ સદીઓથી ભક્તોની રાહનો અંત આવશે.

બે વધારાની મૂર્તિઓનો આ રીતે કરવામાં આવશે ઉપયોગ

બીજી તરફ, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંદિર પરિસરમાં જ વધુ સારી જગ્યાએ રામલલાની બે વધારાની મૂર્તિઓનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી તેમની પવિત્રતા જળવાઈ રહે. અયોધ્યામાં કોતરવામાં આવેલી રામલલાની ત્રણ મૂર્તિઓમાંથી માત્ર શ્રેષ્ઠ મૂર્તિ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ રામલલાની બાકીની બે મૂર્તિઓ સ્થાપિત કરવા માટે સ્થળ નક્કી કરવા માટે વિવિધ પૂજારીઓની સલાહ લઈ રહ્યું છે. ટ્રસ્ટના એક સભ્યએ કહ્યું હતું કે, રામલલાની બાકીની બે મૂર્તિઓને મંદિરની બહાર મોકલવામાં આવશે નહીં. તેમને મંદિર પરિસરમાં વધુ સારી જગ્યાએ સંપૂર્ણ સન્માન સાથે સ્થાપિત કરવામાં આવશે.

ટ્રસ્ટના સભ્યના જણાવ્યા અનુસાર મંદિરના પહેલા અને બીજા માળે એક-એક મૂર્તિ સ્થાપિત કરી શકાય છે. સભ્યએ કહ્યું હતું કે, રામ મંદિરનો પહેલો અને બીજો માળ પણ એટલો જ ભવ્ય હશે. રામલલાની બાકીની બે મૂર્તિઓ માટે તેઓ યોગ્ય સ્થાન બની શકે છે.

આ તારીખે થશે રામલલાનો અભિષેક

અત્યાર સુધીના બાંધકામની વાત કરીએ તો રામ મંદિરમાં રામલલાના ગર્ભગૃહના ઉપરના ભાગમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ઓક્ટોબર 2023 સુધીમાં રામ મંદિરનો પહેલો માળ તૈયાર થઈ જશે અને 24 જાન્યુઆરી, 2024ના રોજ રામલલાનો અભિષેક થશે. આ કાર્યક્રમ લગભગ સાત દિવસ ચાલશે. જે બાદ રામ ભક્તો રામલલાના દર્શન કરવા મંદિરમાં આવી શકશે. હવે રામલલા વિરાજમાનની પૂજાને લઈને રામ મંદિર ટ્રસ્ટ તરફથી પીએમ મોદીને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જે અંગે વડાપ્રધાન કાર્યાલય તરફથી હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી, જોકે તેનો જવાબ ગમે ત્યારે આવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'પાકિસ્તાન પર હુમલો કરવામાં માત્ર થોડીક મિનીટો જ બચી હતી...' ઓપરેશન સિંદૂર પર નેવી ચીફનો મોટો ખુલાસો
'પાકિસ્તાન પર હુમલો કરવામાં માત્ર થોડીક મિનીટો જ બચી હતી...' ઓપરેશન સિંદૂર પર નેવી ચીફનો મોટો ખુલાસો
Iran War: તેલ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર મોટી છૂટ
Iran War: તેલ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર મોટી છૂટ
Train Cancelled: આજથી 42 દિવસ સુધી પ્રભાવિત રહેશે વન્દે ભારત-શતાબ્દી સહિતની ટ્રેનો, જુઓ લિસ્ટ
Train Cancelled: આજથી 42 દિવસ સુધી પ્રભાવિત રહેશે વન્દે ભારત-શતાબ્દી સહિતની ટ્રેનો, જુઓ લિસ્ટ
મધ્ય પૂર્વના તણાવ વચ્ચે એક્શન મોડમાં સરકાર: અફવાઓ રોકવા PM મોદીની કડક સૂચના
મધ્ય પૂર્વના તણાવ વચ્ચે એક્શન મોડમાં સરકાર: અફવાઓ રોકવા PM મોદીની કડક સૂચના

વિડિઓઝ

સાળંગપુરધામમાં હનુમાન જયંતિની ઉજવણી, 8 કિલોના સુવર્ણ વાઘાનો હનુમાનજીને શણગાર
Hun To Bolish : હું તો બોલીશ : 2027ની સેમિફાઇનલ
Hun To Bolish : હું તો બોલીશ : મકાનોમાં કેમ ફેલાય છે આગ ?
Surat Corporation Election : કથીરિયાના પત્નીએ ભાજપમાંથી માંગી ટિકિટ
Amit Chavda : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારો અંગે શું કહ્યું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran War: તેલ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર મોટી છૂટ
Iran War: તેલ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર મોટી છૂટ
ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટતા, ઇરાન સામે જંગ હજુ 2થી3 સપ્તાહ રહેશે ચાલુ, તેજ હુમલાની આપી ચેતવણી
ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટતા, ઇરાન સામે જંગ હજુ 2થી3 સપ્તાહ રહેશે ચાલુ, તેજ હુમલાની આપી ચેતવણી
ઇરાન જંગ પર ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન: ઇરાન સાથે નહીં કરીએ કોઇ ડીલ, પરમાણુ શક્તિ નહિં બનવા દઇએ
ઇરાન જંગ પર ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન: ઇરાન સાથે નહીં કરીએ કોઇ ડીલ, પરમાણુ શક્તિ નહિં બનવા દઇએ
Gold- Silver Price Today: સોના-ચાંદીની ચમક પડી ફિક્કી, કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price Today: સોના-ચાંદીની ચમક પડી ફિક્કી, કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Donald Trump: 'યુદ્ધ હજુ પૂર્ણ નહીં, બે-ત્રણ સપ્તાહ ઈરાન પર કરીશું મોટા હુમલાઓ', ટ્રમ્પના સંબોધનની મોટી વાતો
Donald Trump: 'યુદ્ધ હજુ પૂર્ણ નહીં, બે-ત્રણ સપ્તાહ ઈરાન પર કરીશું મોટા હુમલાઓ', ટ્રમ્પના સંબોધનની મોટી વાતો
મધ્ય પૂર્વના તણાવ વચ્ચે એક્શન મોડમાં સરકાર: અફવાઓ રોકવા PM મોદીની કડક સૂચના
મધ્ય પૂર્વના તણાવ વચ્ચે એક્શન મોડમાં સરકાર: અફવાઓ રોકવા PM મોદીની કડક સૂચના
KL રાહુલ અને અક્ષર પટેલ 'ઝીરો' પર આઉટ, છતાં દિલ્હીનો ડંકો! જુઓ કેવી રીતે પાછળથી બાજી પલટાઈ
KL રાહુલ અને અક્ષર પટેલ 'ઝીરો' પર આઉટ, છતાં દિલ્હીનો ડંકો! જુઓ કેવી રીતે પાછળથી બાજી પલટાઈ
ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, આખું શિડ્યુલ અહીં જુઓ, આચાર સંહિતા આજથી લાગુ
ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, આખું શિડ્યુલ અહીં જુઓ, આચાર સંહિતા આજથી લાગુ
Embed widget