શોધખોળ કરો

Ayodhya : કરોડો લોકોની આતુરતાનો અંત, અયોધ્યામાં આ તારીખે બિરાજમાન થશે રામલલા

સમયાંતરે રામ મંદિરની તસવીરો પણ સામે આવી રહી છે. હવે કરોડો લોકોની ઈંતેજારીનો અંત આવવા જઈ રહ્યો છે.

Ayodhya Ram Mandir: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મંદિરનું નિર્માણ કાર્ય પણ ઝડપથી ચાલી રહ્યું છે. સમયાંતરે રામ મંદિરની તસવીરો પણ સામે આવી રહી છે. હવે કરોડો લોકોની ઈંતેજારીનો અંત આવવા જઈ રહ્યો છે. સામે આવેલા અહેવાન પ્રમાણે, જાન્યુઆરી 2024 સુધીમાં રામ મંદિરનું ભોંયતળિયું તૈયાર થઈ જશે અને 2024માં મકરસંક્રાંતિ બાદ રામ મંદિરનું ઉદ્ઘાટન થશે. રામલલાના ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ આ અંગે પીએમ મોદીને આમંત્રણ મોકલશે.

માનવામાં આવી રહ્યું છે કે, પીએમ મોદીની હાજરીમાં રામ મંદિરનું ઉદ્ઘાટન થશે. મળતી માહિતી મુજબ 14 થી 26 જાન્યુઆરી 2024 વચ્ચે કોઈપણ દિવસે રામ મંદિરનું ઉદ્ઘાટન થઈ શકે છે. આ સાથે જ સદીઓથી ભક્તોની રાહનો અંત આવશે.

બે વધારાની મૂર્તિઓનો આ રીતે કરવામાં આવશે ઉપયોગ

બીજી તરફ, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંદિર પરિસરમાં જ વધુ સારી જગ્યાએ રામલલાની બે વધારાની મૂર્તિઓનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી તેમની પવિત્રતા જળવાઈ રહે. અયોધ્યામાં કોતરવામાં આવેલી રામલલાની ત્રણ મૂર્તિઓમાંથી માત્ર શ્રેષ્ઠ મૂર્તિ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ રામલલાની બાકીની બે મૂર્તિઓ સ્થાપિત કરવા માટે સ્થળ નક્કી કરવા માટે વિવિધ પૂજારીઓની સલાહ લઈ રહ્યું છે. ટ્રસ્ટના એક સભ્યએ કહ્યું હતું કે, રામલલાની બાકીની બે મૂર્તિઓને મંદિરની બહાર મોકલવામાં આવશે નહીં. તેમને મંદિર પરિસરમાં વધુ સારી જગ્યાએ સંપૂર્ણ સન્માન સાથે સ્થાપિત કરવામાં આવશે.

ટ્રસ્ટના સભ્યના જણાવ્યા અનુસાર મંદિરના પહેલા અને બીજા માળે એક-એક મૂર્તિ સ્થાપિત કરી શકાય છે. સભ્યએ કહ્યું હતું કે, રામ મંદિરનો પહેલો અને બીજો માળ પણ એટલો જ ભવ્ય હશે. રામલલાની બાકીની બે મૂર્તિઓ માટે તેઓ યોગ્ય સ્થાન બની શકે છે.

આ તારીખે થશે રામલલાનો અભિષેક

અત્યાર સુધીના બાંધકામની વાત કરીએ તો રામ મંદિરમાં રામલલાના ગર્ભગૃહના ઉપરના ભાગમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ઓક્ટોબર 2023 સુધીમાં રામ મંદિરનો પહેલો માળ તૈયાર થઈ જશે અને 24 જાન્યુઆરી, 2024ના રોજ રામલલાનો અભિષેક થશે. આ કાર્યક્રમ લગભગ સાત દિવસ ચાલશે. જે બાદ રામ ભક્તો રામલલાના દર્શન કરવા મંદિરમાં આવી શકશે. હવે રામલલા વિરાજમાનની પૂજાને લઈને રામ મંદિર ટ્રસ્ટ તરફથી પીએમ મોદીને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જે અંગે વડાપ્રધાન કાર્યાલય તરફથી હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી, જોકે તેનો જવાબ ગમે ત્યારે આવી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget