શોધખોળ કરો

Ram Temple Donation Scam: રામ મંદિર દાન ચોરીનો મામલો પહોંચ્યો સુપ્રિમ કોર્ટ, CBI તપાસની માંગ પર થશે મહત્વની સુનાવણી

Ram Temple Donation Scam: સુપ્રીમ કોર્ટ 13 જુલાઈના રોજ અયોધ્યા રામ મંદિરમાં ભક્તોના દાનની કથિત ચોરી અંગેના મામલાની સુનાવણી કરશે. અરજીમાં સીબીઆઈ તપાસ, ખાસ એસઆઈટીની રચના, ફોરેન્સિક ઓડિટ અને દાન સંબંધિત વિગતો જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સુપ્રીમ કોર્ટ 13 જુલાઈએ રામ મંદિર દાન ચોરીની સુનાવણી કરશે.
  • CBI તપાસ, SIT, ફોરેન્સિક ઓડિટની માંગ કરતી ત્રણ અરજીઓ.
  • વકીલો અને સાંસદે ભક્તોની આસ્થાનો વિષય ગણાવી હસ્તક્ષેપ માંગ્યો.
  • અખિલેશ યાદવે દાન ચોરી, SIT ગઠન પર સવાલો કર્યા.

Ram Temple Donation Scam: અયોધ્યાના રામ મંદિરમાં શ્રદ્ધાળુઓના દાનની કથિત ચોરી પર સુપ્રિમ કોર્ટ 13 જુલાઈએ સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ સૂર્ય કાંતની અધ્યક્ષતા વાળી 3 જજોની બેંચ આ મામલા પર સુનાવણી કરશે. આ મુદ્દાને લઈને કુલ 3 અરજીઓ કોર્ટ સમક્ષ સુનાવણી માટે લાગશે.

 

આ અરજીઓમાં તપાસ સીબીઆઈને સોંપવાની અને વિશેષ SIT ના ગઠનની માંગ કરવામાં આવી છે. સાથે જ, મંદિરમાં દાનના સંચાલન સાથે જોડાયેલા અલગ-અલગ વિષયોની સમીક્ષા માટે એક્સપર્ટ કમિટીના ગઠનની પણ માંગ કરવામાં આવી છે. અરજીકર્તાઓએ કોઈ સ્વતંત્ર એજન્સી દ્વારા ટ્રસ્ટનું ફોરેન્સિક ઓડિટ કરાવવાની અને મંદિરને મળી રહેલા દાનની માહિતી સત્તાવાર વેબસાઈટ પર લાઈવ સાર્વજનિક કરવાની પણ માંગ કરી છે.

આ પણ વાંચો...Rain Forecast: દેશના 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર

સુપ્રિમ કોર્ટમાં કયા જજ કરશે સુનાવણી?

સુપ્રિમ કોર્ટના જે 3 જજોની બેંચ આ મામલા પર સુનાવણી કરશે, તેમાં ચીફ જસ્ટિસ ઉપરાંત જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી મોહના સામેલ છે. જે 3 અરજીઓ કોર્ટમાં સુનાવણી માટે લાગવા જઈ રહી છે, તેને વકીલ નરેન્દ્ર કુમાર ગોસ્વામી, વકીલ અજય કુમાર રાય અને આરજેડી સાંસદ સુધાકર સિંહે દાખલ કરી છે. અરજીકર્તાઓએ આને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલો વિષય ગણાવીને સુપ્રિમ કોર્ટ પાસે હસ્તક્ષેપની માંગ કરી છે. એક અરજીમાં ભક્તોના તમામ ચઢાવાને પવિત્ર ટ્રસ્ટની સંપત્તિ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે તે ટ્રસ્ટનું પારદર્શી અને ભરોસાપાત્ર સંચાલન સુનિશ્ચિત કરવા માટે યોગ્ય આદેશ આપે. હવે આ મામલામાં તમામની નજર 13 જુલાઈએ થનારી સુપ્રિમ કોર્ટની સુનાવણી પર ટકેલી છે, જ્યાં અદાલત આ માંગો અને આરોપો પર પોતાનું વલણ સ્પષ્ટ કરી શકે છે.

રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો

રામ મંદિરમાં દાનની કથિત ચોરી સાથે જોડાયેલા વિવાદનો ઉલ્લેખ કરતા અખિલેશ યાદવે કહ્યું કે આ ઘટનાથી વિશ્વભરમાં સનાતન ધર્મના અનુયાયીઓ ચિંતિત છે. તેમણે આરોપ લગાવ્યો, "આખો સનાતન સમાજ ચિંતિત છે. ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ તરીકે પૂજવામાં આવે છે, પરંતુ ભાજપે પોતાના રાજકીય હિતો માટે તે આદર્શોને તોડી-મરોડી નાખ્યા છે."

સપા પ્રમુખે કથિત દાન ચોરી મામલાની તપાસ માટે ગઠિત એસઆઈટી પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે આ તો બસ મામલાને દબાવવાનો પ્રયાસ છે. તેમણે કહ્યું કે એસઆઈટી શું છે, આ લીપાપોતી છે. સાંભળવામાં આવ્યું છે કે ખુદ એસઆઈટી પર જ સવાલો ઉઠી રહ્યા છે. એસઆઈટીના એક સભ્ય પર 420 (છેતરપિંડી) નો કેસ ચાલી રહ્યો છે. હવે જણાવો, શું તેઓ જ રહેશે એસઆઈટીમાં?

Frequently Asked Questions

રામ મંદિર દાન કૌભાંડ મામલે સુપ્રિમ કોર્ટ ક્યારે સુનાવણી કરશે?

સુપ્રિમ કોર્ટ આ મામલા પર 13 જુલાઈએ સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ સૂર્ય કાંતની અધ્યક્ષતાવાળી 3 જજોની બેંચ આ સુનાવણી કરશે.

રામ મંદિર દાન ચોરીની અરજીઓમાં શું મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે?

અરજીકર્તાઓએ CBI તપાસ, વિશેષ SIT ગઠન અને ટ્રસ્ટનું ફોરેન્સિક ઓડિટ કરાવવાની માંગ કરી છે. તેઓ દાનની માહિતી સત્તાવાર વેબસાઈટ પર સાર્વજનિક કરવાની પણ વિનંતી કરે છે.

સુપ્રિમ કોર્ટની કઈ બેંચ રામ મંદિર દાન ચોરી મામલે સુનાવણી કરશે?

ચીફ જસ્ટિસ સૂર્ય કાંત ઉપરાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી મોહના આ 3 જજોની બેંચમાં સામેલ છે. આ બેંચ આ મહત્વપૂર્ણ કેસની સુનાવણી કરશે.

રામ મંદિર દાન ચોરીના વિવાદ પર અખિલેશ યાદવે શું કહ્યું?

અખિલેશ યાદવે આ ઘટનાથી સનાતન ધર્મના અનુયાયીઓ ચિંતિત હોવાનું જણાવ્યું. તેમણે SIT ગઠન પર પણ સવાલ ઉઠાવતા તેને મામલાને દબાવવાનો પ્રયાસ ગણાવ્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

શહેઝાદ પૂનાવાલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી આપ્યું રાજીનામું? X પર બાયો ચેન્જ
શહેઝાદ પૂનાવાલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી આપ્યું રાજીનામું? X પર બાયો ચેન્જ
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Advertisement

વિડિઓઝ

Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 13 જિલ્લામાં રેડ એલર્ટ, દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં 13 જિલ્લામાં રેડ એલર્ટ, દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ
અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન
અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો
Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
Gir Somnath: ઘરમાં ઘૂસ્યો 8 ફૂટનો મગર, રાત્રે ખાટલા નીચે છુપાયેલો મગર સવારે હલચલ કરતા મચી અફરાતફરી
Gir Somnath: ઘરમાં ઘૂસ્યો 8 ફૂટનો મગર, રાત્રે ખાટલા નીચે છુપાયેલો મગર સવારે હલચલ કરતા મચી અફરાતફરી
Embed widget