શોધખોળ કરો

Bihar: ભાજપ બનાવી શકે છે પોતાનો મુખ્યમંત્રી, CM નીતિશ કુમારને રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે

આ દરમિયાન નીતીશે કહ્યું કે આજ સુધી તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા નથી. આ કારણે જ એવી ચર્ચા શરૂ થઇ ગઇ છે કે તેઓ રાજ્યસભામાં જવા માંગે છે

પટણાઃ શું નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રીનું પદ છોડી દિલ્હી જવા માંગે છે? રાજ્યસભાના સભ્ય બનવા માંગે છે? અમે આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે 30 માર્ચના રોજ બિહાર વિધાનસભામાં પોતાના ચેમ્બરમાં પત્રકારો સાથેની વાતચીતમાં  તેમણે જે કહ્યું તેનાથી આ પ્રકારના સંકેત મળી રહ્યા છે.

નીતિશ કુમાર ધારાસભ્ય, લોકસભાના સાંસદ, કેન્દ્ર સરકારમાં મંત્રી, બિહાર વિધાન પરિષદના સભ્ય રહી ચૂક્યા છે. હાલમાં તેઓ એમએલસી છે. નીતિશને લાગે છે કે તેઓ એકવાર રાજ્યસભાના સાંસદ બની જાય તો તેમનું રાજકીય જીવન પૂર્ણ થઇ

જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે તમે તમારા જૂના સંસદીય ક્ષેત્ર નાલંદાની મુલાકાત લઈ રહ્યા છો. જૂના સંસદીય મતવિસ્તાર બાઢને જિલ્લો બનાવવાની વાત થઈ છે. જો તમે ત્યાંથી ઘણી વખત સાંસદ રહી ચુક્યા છો તો શું તમે ફરીથી લોકસભાની ચૂંટણી લડશો? તેના પર તેમણે કહ્યું કે આ મારી અંગત મુલાકાત છે. હું કોરોના મહામારીના કારણે  2 વર્ષ સુધી જઈ શક્યો નહીં. તેથી જ હું ત્યાં જાઉં છું. હું લોકોને મળી રહ્યો છું. હું સમસ્યાઓ સાંભળી રહ્યો છું. લોકસભા ચૂંટણી લડવાનો મારો કોઈ ઈરાદો નથી.

આ દરમિયાન નીતીશે કહ્યું કે આજ સુધી તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા નથી. આ કારણે જ એવી ચર્ચા શરૂ થઇ ગઇ છે કે તેઓ રાજ્યસભામાં જવા માંગે છે. આ સાથે નીતીશે એમ પણ કહ્યું કે તેઓ હાલમાં બિહારની સેવા કરી રહ્યા છે. અહીંની જવાબદારી તેમની છે.

નીતિશના ઉપરાષ્ટ્રપતિ બનવાની ચર્ચા પણ જોરશોરથી ચાલી રહી છે. જો ભાજપ તેમને ઉપરાષ્ટ્રપતિ બનાવવાની ઓફર કરશે તો તેમના માટે રાજ્યસભામાં જવાનો રસ્તો પણ સાફ થઈ જશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. રાજ્યસભાના અધ્યક્ષ બની જશે.

ભાજપ પોતાના જ મુખ્યમંત્રી બનાવવા માંગે છે!

બિહારના રાજકારણમાં એવી ચર્ચા છે કે ભાજપ બિહારમાં પોતાના મુખ્યમંત્રી બનાવવા માંગે છે. ત્રણ VIP ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. બિહાર વિધાનસભામાં 77 ધારાસભ્યો સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. બિહારના ભાજપના ધારાસભ્ય હરિભૂષણ ઠાકુર બચૌલે દાવો કર્યો છે કે કોંગ્રેસના 19માંથી 13 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે જે ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે.

બીજેપી બિહારમાં પોતાના ધારાસભ્યોની સંખ્યા વધારી રહી છે. સવાલો ઉઠવા લાગ્યા છે કે શું તેમની નજર મુખ્યમંત્રી પદ પર છે?  બિહારના બીજેપી ધારાસભ્ય વિનય બિહારીએ આ અટકળોને વેગ આપ્યો હતો. બીજેપી ધારાસભ્ય વિનય બિહારીએ કહ્યું છે કે બિહારમાં નીતિશને સીએમ પદ પરથી હટાવવા જોઈએ. તેમણે કહ્યું કે બિહારમાં ભાજપનો મુખ્યમંત્રી હોવો જોઈએ.

બિહારના મંત્રીએ શું કહ્યું?

બિહારના કૃષિ મંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા અમરેન્દ્ર કુમારે કહ્યું કે મને ખબર નથી કે નીતીશજીએ પત્રકારો સાથે વાતચીતમાં શું કહ્યું, પરંતુ હું ઈચ્છું છું કે તેઓ રાજ્યસભામાં ન જાય. બિહારમાં રહે . બિહારના મુખ્યમંત્રી રહે. બિહારને તેમની જરૂર છે. તેમણે મુખ્યમંત્રી તરીકે સારું કામ કર્યું છે. બિહારમાં જ રહે છે તો રાજ્યનો ઝડપથી વિકાસ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
રેશનકાર્ડ ધારકો માટે સરકાર લાવી ડિજિટલ 'સાર્થક PDS' યોજના, જાણો તમને શું ફાયદો થશે
રેશનકાર્ડ ધારકો માટે સરકાર લાવી ડિજિટલ 'સાર્થક PDS' યોજના, જાણો તમને શું ફાયદો થશે
દુનિયા પર એક્સ્ટ્રીમ અલ નીનોનો મોટો ખતરો: 80% શક્યતા, ગરમી અને પૂર મચાવશે ભારે તબાહી
દુનિયા પર એક્સ્ટ્રીમ અલ નીનોનો મોટો ખતરો: 80% શક્યતા, ગરમી અને પૂર મચાવશે ભારે તબાહી
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા

વિડિઓઝ

BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન
Gujarat Mini Cyclone : ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકતા 5 લોકોના મોત
Kheda Rain : ખેડામાં પોણા 2 ઇંચ વરસાદ, અંડરપાસમાં ભરાયા પાણી
Dahod Cyclone Effect : દાહોદમાં ત્રાટક્યું વાવાઝોડું, સાઇન બોર્ડ પડતા 3ના મોત
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ભણતર મોંઘું થયું! સ્કૂલો ખુલતા પહેલાં વાલીઓને મોંઘવારીનો ઝટકો, ગાઈડના ભાવ ૨૫ ટકા વધ્યા
ભણતર મોંઘું થયું! સ્કૂલો ખુલતા પહેલાં વાલીઓને મોંઘવારીનો ઝટકો, ગાઈડના ભાવ ૨૫ ટકા વધ્યા
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
Embed widget