શોધખોળ કરો

Bihar: ભાજપ બનાવી શકે છે પોતાનો મુખ્યમંત્રી, CM નીતિશ કુમારને રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે

આ દરમિયાન નીતીશે કહ્યું કે આજ સુધી તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા નથી. આ કારણે જ એવી ચર્ચા શરૂ થઇ ગઇ છે કે તેઓ રાજ્યસભામાં જવા માંગે છે

પટણાઃ શું નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રીનું પદ છોડી દિલ્હી જવા માંગે છે? રાજ્યસભાના સભ્ય બનવા માંગે છે? અમે આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે 30 માર્ચના રોજ બિહાર વિધાનસભામાં પોતાના ચેમ્બરમાં પત્રકારો સાથેની વાતચીતમાં  તેમણે જે કહ્યું તેનાથી આ પ્રકારના સંકેત મળી રહ્યા છે.

નીતિશ કુમાર ધારાસભ્ય, લોકસભાના સાંસદ, કેન્દ્ર સરકારમાં મંત્રી, બિહાર વિધાન પરિષદના સભ્ય રહી ચૂક્યા છે. હાલમાં તેઓ એમએલસી છે. નીતિશને લાગે છે કે તેઓ એકવાર રાજ્યસભાના સાંસદ બની જાય તો તેમનું રાજકીય જીવન પૂર્ણ થઇ

જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે તમે તમારા જૂના સંસદીય ક્ષેત્ર નાલંદાની મુલાકાત લઈ રહ્યા છો. જૂના સંસદીય મતવિસ્તાર બાઢને જિલ્લો બનાવવાની વાત થઈ છે. જો તમે ત્યાંથી ઘણી વખત સાંસદ રહી ચુક્યા છો તો શું તમે ફરીથી લોકસભાની ચૂંટણી લડશો? તેના પર તેમણે કહ્યું કે આ મારી અંગત મુલાકાત છે. હું કોરોના મહામારીના કારણે  2 વર્ષ સુધી જઈ શક્યો નહીં. તેથી જ હું ત્યાં જાઉં છું. હું લોકોને મળી રહ્યો છું. હું સમસ્યાઓ સાંભળી રહ્યો છું. લોકસભા ચૂંટણી લડવાનો મારો કોઈ ઈરાદો નથી.

આ દરમિયાન નીતીશે કહ્યું કે આજ સુધી તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા નથી. આ કારણે જ એવી ચર્ચા શરૂ થઇ ગઇ છે કે તેઓ રાજ્યસભામાં જવા માંગે છે. આ સાથે નીતીશે એમ પણ કહ્યું કે તેઓ હાલમાં બિહારની સેવા કરી રહ્યા છે. અહીંની જવાબદારી તેમની છે.

નીતિશના ઉપરાષ્ટ્રપતિ બનવાની ચર્ચા પણ જોરશોરથી ચાલી રહી છે. જો ભાજપ તેમને ઉપરાષ્ટ્રપતિ બનાવવાની ઓફર કરશે તો તેમના માટે રાજ્યસભામાં જવાનો રસ્તો પણ સાફ થઈ જશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. રાજ્યસભાના અધ્યક્ષ બની જશે.

ભાજપ પોતાના જ મુખ્યમંત્રી બનાવવા માંગે છે!

બિહારના રાજકારણમાં એવી ચર્ચા છે કે ભાજપ બિહારમાં પોતાના મુખ્યમંત્રી બનાવવા માંગે છે. ત્રણ VIP ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. બિહાર વિધાનસભામાં 77 ધારાસભ્યો સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. બિહારના ભાજપના ધારાસભ્ય હરિભૂષણ ઠાકુર બચૌલે દાવો કર્યો છે કે કોંગ્રેસના 19માંથી 13 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે જે ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે.

બીજેપી બિહારમાં પોતાના ધારાસભ્યોની સંખ્યા વધારી રહી છે. સવાલો ઉઠવા લાગ્યા છે કે શું તેમની નજર મુખ્યમંત્રી પદ પર છે?  બિહારના બીજેપી ધારાસભ્ય વિનય બિહારીએ આ અટકળોને વેગ આપ્યો હતો. બીજેપી ધારાસભ્ય વિનય બિહારીએ કહ્યું છે કે બિહારમાં નીતિશને સીએમ પદ પરથી હટાવવા જોઈએ. તેમણે કહ્યું કે બિહારમાં ભાજપનો મુખ્યમંત્રી હોવો જોઈએ.

બિહારના મંત્રીએ શું કહ્યું?

બિહારના કૃષિ મંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા અમરેન્દ્ર કુમારે કહ્યું કે મને ખબર નથી કે નીતીશજીએ પત્રકારો સાથે વાતચીતમાં શું કહ્યું, પરંતુ હું ઈચ્છું છું કે તેઓ રાજ્યસભામાં ન જાય. બિહારમાં રહે . બિહારના મુખ્યમંત્રી રહે. બિહારને તેમની જરૂર છે. તેમણે મુખ્યમંત્રી તરીકે સારું કામ કર્યું છે. બિહારમાં જ રહે છે તો રાજ્યનો ઝડપથી વિકાસ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget