શોધખોળ કરો
Advertisement
Bihar Election 2020 Exit Poll Results: NDA-મહાગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોને મળી શકે છે કેટલી સીટ
એબીપી-સી વોટરના એક્ઝિટ પોલમાં એનડીએને 104-128 સીટ મળી રહી છે.
Bihar Election 2020 Exit Poll Results: બિહાર વિધાનસભા ચૂંટણીનું આજે ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન યોજાયું હતું. હવે સૌની નજર 10 નવેમ્બરે જાહેર થનારા પરિણામ પર છે. આ પહેલા એબીપી-સી વોટર એક્ઝિટ પોલ કર્યો હતો.
એબીપી-સી વોટરના એક્ઝિટ પોલમાં એનડીએને 104-128 સીટ મળી રહી છે અને મહાગઠબંધનને 108-131 પર જીતનો અંદાજ છે. આ ઉપરાંત ચિરાગ પાસવાની એલજીપીને માત્ર 1-3 સીટ પર જીત મળી રહી હોવાનું લાગી રહ્યું છે. એક્ઝિટ પોલ મુજબ નીતીશ કુમારને 37.7 ટકા વોટ મળ્યા છે, જ્યારે લાલુની પાર્ટીને 36 ટકા જેટલા વોટ મળ્યા છે.
ગત વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધને 178 સીટ જીતી હતી અને એનડીએના ખાતામાં માત્ર 58 સીટ આવી હતી. 2015માં મહાગઠબંધન તરફથી નીતીશકુમાર સીએમ બન્યા હતા, કારણકે તે સમયે જેડીયુ-આરજેડી અને કોંગ્રેસનું ગઠબંધન હતું, 2017માં નીતીશ કુમાર મહાગઠબંધનથી અલગ થઈને એનડીએમાં ભળી ગયા હતા અને સીએમ પદ પર રહ્યા હતા.
243 સભ્યોની બિહાર વિધાનસભામાં આશરે 7.30 કરોડ વોટર્સે આ વખતે સરકાર પસંદ કરવાનો મોકો મળ્યો હતો. તેમાંથી 78 લાખ મતદાતા પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા હતા.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion