Bihar Assembly Election 2025: તેજસ્વી યાદવ મહાગઠબંધનના CM તો મુકેશ સહની હશે નાયબ મુખ્યપ્રધાનનો ચહેરો
Bihar Assembly Election 2025: તેજસ્વી યાદવે કહ્યું હતું કે, "આપણે બિહારના નિર્માણ માટે કામ કરવું પડશે

Bihar Assembly Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણી (2025) સંદર્ભે ગુરુવારે (23 ઓક્ટોબર, 2025) ના રોજ પટનાના મૌર્યા હોટેલમાં મહાગઠબંધન દ્વારા સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ હતી. આરજેડી નેતા તેજસ્વી યાદવ, કોંગ્રેસ નેતા અશોક ગેહલોત, બિહાર કોંગ્રેસ પ્રમુખ રાજેશ રામ, વીઆઈપીના વડા મુકેશ સહની, સીપીઆઈએમના દીપાંકર ભટ્ટાચાર્ય અને અન્ય સહયોગી પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. પત્રકાર પરિષદમાં જાહેરાત કરવામાં આવી હતી કે તેજસ્વી યાદવ મહાગઠબંધનનો મુખ્યમંત્રી ચહેરો હશે. અશોક ગેહલોતે આ જાહેરાત કરી હતી.
Former Bihar Deputy CM and RJD leader Tejashwi Yadav announced as Mahagathbandhan's Chief Minister face for #BiharAssemblyElections pic.twitter.com/Fe7vW61mK6
— ANI (@ANI) October 23, 2025
આ પ્રસંગે વીઆઈપીના વડા મુકેશ સહનીએ કહ્યું હતું કે લાખો પક્ષના કાર્યકરો આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા. તેમણે ભાજપ પર તેમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ભાજપને જ્યાં સુધી તોડીશું નહીં ત્યાં સુધી છોડીશું નહીં. તે સમય આવી ગયો છે. હવે, અમે મહાગઠબંધન સાથે મજબૂત રહીને સરકાર બનાવીશું. મહાગઠબંધન મજબૂત છે.
VIP chief Mukesh Sahani announced as the Deputy CM face of Mahagathbandhan for #BiharElection2025 https://t.co/kVK313TycW
— ANI (@ANI) October 23, 2025
13 બેઠકો પર મહાગઠબંધનના ઉમેદવારો આમને-સામને
વાસ્તવમાં મહાગઠબંધનની અંદર બેઠકોની વહેંચણી અંગે અગાઉ કોઈ સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ ન હતી. તણાવપૂર્ણ પરિસ્થિતિ પ્રવર્તી રહી હતી. આજે (ગુરુવારે), પહેલીવાર બિહાર ચૂંટણી અંગે સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ હતી. સૌથી અગત્યનું મહાગઠબંધનના ઉમેદવારો લગભગ 13 બેઠકો પર સામ-સામે ચૂંટણી લડી રહ્યા છે
#WATCH | Patna, Bihar: RJD leader Tejashwi Yadav says, "We, the people of Mahagathbandhan, do not just want to form the govt or become the CM, but we want to make Bihar, that is why we are together... I thank all the members of the Mahagathbandhan for showing trust in me. I want… pic.twitter.com/13nCX1Ha8V
— ANI (@ANI) October 23, 2025
મહાગઠબંધનની અંદર તણાવ છે, ખાસ કરીને રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસ વચ્ચે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના વરિષ્ઠ નિરીક્ષક અશોક ગેહલોતે ગયા બુધવારે લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી હતી.
પોસ્ટર પર તેજસ્વી યાદવના ફોટાને લઈને વિવાદ
બીજી તરફ, આ પત્રકાર પરિષદ માટે લગાવવામાં આવેલ પોસ્ટર વિવાદનું કારણ બની રહ્યું છે કારણ કે તેમાં ફક્ત તેજસ્વી યાદવનો ફોટો છે. અન્ય કોઈ નેતાઓના ફોટા નથી, ફક્ત અન્ય સાથી પક્ષોના પ્રતિકો છે. ભાજપના નેતા અમિત માલવિયાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, "મહાગઠબંધનમાં ચાલી રહેલી આંતરિક લડાઈ હવે જાહેર થઈ ગઈ છે. પહેલા રાહુલ ગાંધીએ તેજસ્વીને પોતાના ચહેરા તરીકે સ્વીકાર્યા ન હતા, હવે તેજસ્વીએ રાહુલ ગાંધીને પોસ્ટર પરથી હટાવી દીધા છે. આ પોસ્ટર પોતે જ મહાગઠબંધનના તૂટવાની જાહેરાત છે."
સાંસદ પપ્પુ યાદવે પોસ્ટર પર અન્ય નેતાઓના ફોટા ન હોવાનો પણ વાંધો ઉઠાવ્યો હતો. પપ્પુ યાદવે પ્રશ્ન કર્યો હતો કે શું રાહુલ ગાંધી વિના પોસ્ટર વાજબી છે. તેમણે કહ્યું કે ગઠબંધનમાં દરેકના ફોટા હોવા જોઈએ. ફોટા ન હોવા અંગે સાંસદે કહ્યું કે સંદેશ ખોટો છે.
તેજસ્વી યાદવે કહ્યું હતું કે, "આપણે બિહારના નિર્માણ માટે કામ કરવું પડશે. અમે લાલુ પ્રસાદ યાદવ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મહાગઠબંધનના તમામ સાથીઓનો આભાર માનીએ છીએ. તમે અમારા પર મૂકેલા વિશ્વાસ પર અમે ચોક્કસપણે ખરા ઉતરીશું." NDA પર નિશાન સાધતા તેમણે કહ્યું, "આ લોકો થાકી ગયા છે, તેઓ ફક્ત સત્તાના ભૂખ્યા છે. જો અમને 30 મહિનાનો મોકો મળે તો અમે તે પૂર્ણ કરીશું જે તેમણે 30 વર્ષમાં નથી કર્યું."
રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના નેતા તેજસ્વી યાદવે મહાગઠબંધનના નેતાઓનો આભાર વ્યક્ત કરતા કહ્યું, "અમે, મહાગઠબંધનના લોકો, ફક્ત સરકાર બનાવવા માટે જ નહીં પરંતુ બિહારના નિર્માણ માટે એકઠા થયા છીએ." તેજસ્વીએ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધીનો આભાર વ્યક્ત કર્યો. તેમણે લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને અન્ય મહાગઠબંધનના નેતાઓનો પણ આભાર માન્યો હતો.
તેજસ્વી યાદવે આરોપ લગાવ્યો કે NDA નીતિશ કુમાર સાથે અન્યાય કરી રહ્યું છે. તેજસ્વીએ પ્રશ્ન કર્યો કે NDAના ચૂંટણી પ્રચારમાં નીતિશ કુમારના ચહેરાનો ઉપયોગ કેમ નથી થઈ રહ્યો. તેમનું માનવું હતું કે નીતિશ કુમારના નામની સત્તાવાર જાહેરાત ન થવી એ પણ અન્યાય છે.



















