શોધખોળ કરો

Bihar Political Crisis: નીતિશ કુમારે સીએમ પદ પરથી આપ્યું રાજીનામું

Bihar Political Crisis: નીતિશ કુમારે રાજ્યપાલને આપ્યું રાજીનામું, હવે આરજેડી સાથે સરકાર બનાવશે. મળતી માહિતી પ્રમાણે તેજસ્વી યાદવને ડેપ્યૂટી સીએમ અને ગૃહ મંત્રાલય મળી શકે છે.

Bihar Political Crisis: નીતિશ કુમારે બિહારના સીએમ પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે તેમનું રાજીનામું રાજ્યપાલને સોપ્યું છે, હવે આરજેડી સાથે સરકાર બનાવશે. મળતી માહિતી પ્રમાણે તેજસ્વી યાદવને ડેપ્યૂટી સીએમ અને ગૃહ મંત્રાલય મળી શકે છે. બિહારમાં સંખ્યાબળની દ્રષ્ટીએ આરજેડી અત્યારે સૌથી મોટી પાર્ટી છે.

 

ચિરાગ પાસવાને બિહારમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી 
ચિરાગ પાસવાને કહ્યું કે આજે નીતિશ કુમારની વિશ્વસનીયતા શૂન્ય છે. અમે ઈચ્છીએ છીએ કે બિહારમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે અને રાજ્યને નવો આદેશ આપવામાં આવે. શું તમારી (નીતીશ કુમાર) કોઈ વિચારધારા છે કે નહીં? જેડીયુને આગામી ચૂંટણીમાં ઝીરો બેઠકો મળશે.

પટનામાં પાર્ટી કાર્યાલયમાં આજે બીજેપી કોર કમિટીની બેઠક
પટનામાં નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદના ઘરે ભાજપની બેઠક યોજાઈ હતી. ભીખુભાઈ દલસાનિયા, રેણુ દેવી, મંગલ પાંડે, નીતિન નવીન, અમરેન્દ્ર પ્રતાપ સિંહ અને સમ્રાટ ચૌધરી બેઠક છોડીને ચાલ્યા ગયા છે. તો બીજી તરફ, આજે પટનામાં પાર્ટી કાર્યાલયમાં ભાજપની કોર કમિટીની બેઠક યોજાશે.

ગઠબંધન તૂટ્યા બાદ નીતિશ કુમારે આપ્યું પહેલું નિવેદન

બિહારમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે ગઠબંધન તોડ્યા બાદ જનતા દળ (યૂ)ના અધ્યક્ષ અને મુખ્યમંત્રી નીતિશ કુમારે પહેલું નિવેદન આપ્યું છે. તેમણે ભાજપ પર JDUને ખતમ કરવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. નીતિશ કુમારે કહ્યું કે ભાજપે હંમેશા તેમનું અપમાન કર્યું છે. સીએમ નીતિશે જેડીયુ ધારાસભ્યો સાથેની બેઠકમાં આ નિવેદન આપ્યું હતું. બેઠકમાં નીતીશ કુમારે પાર્ટીના ધારાસભ્યોને કહ્યું, ભાજપે હંમેશા અપમાનિત કર્યું છે. જેડીયુને ખતમ કરવા માટે ષડયંત્ર રચવામાં આવ્યું હતું. ભાજપે અમારા ધારાસભ્યોને ખરીદવાની તૈયારી કરી લીધી હતી.

ભાજપ સાથે ગઠબંધન તૂટ્યું

તો બીજી તરફ JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે નીતિશ કુમારના શબ્દો પર મહોર મારી દીધી છે. લલન સિંહે કહ્યું કે ભાજપ 2013થી છેતરપિંડી કરી રહી છે. લલન સિંહે વધુમાં કહ્યું કે 2020થી ભાજપે તેમની પીઠમાં છરો માર્યો છે. તેમણે કહ્યું કે હવે અમે ભાજપ સાથે ગઠબંધન નહીં કરીએ. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આજે મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજીનામું આપશે અને બિહારમાં નવી સરકાર બનાવવાનો દાવો આજે જ રજૂ કરવામાં આવશે.

લલન સિંહ સતત નિવેદનો આપી રહ્યા હતા

મંગળવારે જેડીયુની બેઠક બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહ દ્વારા આપવામાં આવેલા નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે બિહારમાં સરકાર બદલાવાની છે. છેલ્લા ઘણા દિવસોથી લાલન સિંહ ભાજપ વિશે નિવેદન આપી રહ્યા હતા. તેમના નિવેદનમાં કડવાશ હતી. બીજેપીએ 30 અને 31 જુલાઈના રોજ બિહારમાં પોતાની પાર્ટીના તમામ સાત મોરચાની બેઠક યોજી હતી ત્યારે તે સમયે પણ લલન સિંહે હુમલો કર્યો હતો. લાલન સિંહે ટોણો મારતા કહ્યું હતું કે દરેક પાર્ટીને તૈયારી કરવાનો અધિકાર છે. અમે 243 બેઠકો માટે પણ તૈયારી કરી રહ્યા છીએ. આ દરમિયાન ભાજપ વિશે એવું પણ કહેવામાં આવ્યું કે તમે (ભાજપ) 200 સીટોની તૈયારી કેમ કરી રહ્યા છો? 243 સીટો પર કરો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
Embed widget