શોધખોળ કરો

Bihar Politics: CM નીતીશ કુમારનું મોટું નિવેદન- 'લાલૂ યાદવ ઈચ્છે તો ગોળી મરાવી દે, તેઓ માત્ર આ જ કરી શકે'

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે (Nitish Kumar) મંગળવારે પેટા ચૂંટણીને લઈ સભા સંબોધી હતી. તેમણે જનતાને એનડીએ (NDA)ના પક્ષમાં મતદાન કરવાની અપીલ કરી હતી.

પટના: બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે (Nitish Kumar) મંગળવારે પેટા ચૂંટણીને લઈ સભા સંબોધી હતી. તેમણે જનતાને એનડીએ (NDA)ના પક્ષમાં મતદાન કરવાની અપીલ કરી હતી. જ્યારે પ્રચાર પરથી પરત ફર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે લાલૂ પ્રસાદ યાદવ (Lalu Yadav) ના સંબંધમાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, લાલૂ યાદવ ઈચ્છે તો મને ગોળી મરાવી દે. તે આ જ કરી શકે. તેનાથી વધારે તેમનાથી કંઈ ન થઈ શકે.

આ પહેલા, લાલૂ યાદવે કહ્યું હતું કે તેઓ નીતિશ કુમારનું વિસર્જન કરવા પટના આવ્યા છે. જ્યારે પત્રકારોએ તેમને આ અંગે સવાલ કર્યો તો તેમણે આ વાત કહી. મુખ્યમંત્રીએ કહ્યું કે, "લાલુ યાદવ પ્રચાર કરવા જવા માંગે છે તો જાય, તેમનાથી અમારે શું મતલબ છે,  જે કરવું હોય તે કરતા રહે. અમને કામ કરવાનો મોકો મળ્યો છે તો દરેક ક્ષેત્રમાં કામ થઈ રહ્યું છે. કોરોનાના સમયમાં પણ રોજગારના ક્ષેત્રમાં કામ થયું. પરંતુ જેમને કંઈ ખબર નથી હોતી તેઓ બોલતા રહે છે.

બિહારમાં પેટાચૂંટણી નજીક આવતા જ રાજકીય નિવેદનોનો દોર શરૂ થઈ ગયો છે. આરજેડી (RJD) પ્રમુખ લાલુ યાદવ (Lalu Yadav) અને મુખ્યમંત્રી નીતીશ કુમાર (Nitish Kumar) વચ્ચેની બયાનબાજી તેજ થઈ ગઈ છે. લાલુ યાદવે કહ્યું હતું કે તેઓ બે બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીમાં પ્રચાર કરશે. આ સાથે તેમણે કહ્યું હતું કે તેઓ એ પણ સુનિશ્ચિત કરશે કે એનડીએ (NDA) અને નીતીશ કુમારને ડૂબાડી શકાય.

નીતિશ કુમારે સોમવારે કુશેશ્વરસ્થાન અને તારાપુરમાં ચૂંટણી જનસભાને સંબોધી હતી. આ સાથે તેમણે લાલુ યાદવ પર નિશાન સાધ્યું. લાલુ યાદવે કહ્યું છે કે તેમની પાર્ટી બંને બેઠકો જીતશે. જેના જવાબમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, દાવો કરવામાં શું જાય છે. અમે જાણીએ છીએ કે જ્યારે લોકોએ તેમને તક આપી ત્યારે તેમણે સેવા કરી ન હતી. તેમનું કામ માત્ર બોલવાનું છે. તે જે ઈચ્છે તે બોલી શકે છે. અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. અમે તેમના શબ્દો પર ધ્યાન આપતા નથી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget